ETV Bharat / state

ખેતતલાવડી કૌભાંડઃ સરકારી અધિકારી થયા 'માલામાલ', ACBએ કરી ફરિયાદ દાખલ

author img

By

Published : Dec 28, 2019, 5:00 PM IST

સુરતઃ દક્ષિણ ગુજરાતમાં વર્ષ 2018 દરમિયાન ખેતતલાવડીના નામે સરકારી કર્મચારી દ્વારા કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું, ત્યારે આવા ભ્રષ્ટ કર્મચારી પૈકી પ્રવીણ પ્રેમલની આવક કરતા 201 ટકા વધુ સંપત્તિ હોવાનો ખુલાસો થયો હતો. પ્રવીણે પોતાના પુત્રને જ ખેતતલાવડીનો કોન્ટ્રાકટ આપી દીધો હતો. નવસારી પોલીસે પિતા, પુત્ર અને માતા વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

government-officer-scam-in-khettalavdi-sceam-in-surat
government-officer-scam-in-khettalavdi-sceam-in-surat

રાજ્ય સરકાર દ્વારા ગરીબ ખેડુતો માટે ખેતતલાવડીની યોજના અમલમાં મુકવામાં આવી હતી. આ યોજનાનો કેટલાક સરકારી કર્મચારી દ્વારા ગેરફાયદો ઉઠાવવામાં આવ્યો હતો. જે અંગે રાજ્ય સરકારને ફરિયાદ મળતા ACBની ટીમ દ્વારા સમગ્ર કૌભાંડ અંગે તપાસ કરવામાં આવી હતી.

સુરતમાં ખેતતલાવડી કૌભાંડઃ સરકારી અધિકારી થયા 'માલામાલ', ACBએ ફરિયાદ દાખલ કરી

આ કૌભાંડમાં ACBએ 41 ગુનાઓ દાખલ કર્યા હતા. જેઓની પાસેથી પોલીસે રૂ 56 લાખની રોકડ કબ્જે કરી હતી. આ સમગ્ર મામલે એસીબીએ કલાસ 2 ઑફિસર પ્રવીણ પ્રેમલ વિરુદ્ધ 26 જેટલા અલગ-અલગ ગુનાઓ નોંધ્યા હતાં અને એસીબીના મદદનીશ નિયામક એન.ડી.ચૌહાણ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

મિલકતની તપાસ કરતા પ્રવીણ ભાઈની આવક કરતા 201 ટકા વધુ મિલકત મળી આવી હતી. આરોપી પ્રવીણના એકાઉન્ટ, ઘર, પ્રોપટી તેમજ પુત્ર ચિરાગના એકાઉન્ટમાંથી રૂ 3 કરોડ અને પત્ની દમયંતીના એકાઉન્ટ મળી કુલે રૂ 10 કરોડની મિલકત મળી આવી હતી.

આ કૌભાંડમાં પ્રવીણે તેના પુત્રને પણ સામેલ કર્યો હતો. ખેત તલાવડીના કોન્ટ્રાકટ પુત્ર ચિરાગને આપી કૌભાંડ આચર્યું હતું અને પેમેન્ટ પણ તેના જ એકાઉન્ટમાં ડાયરેકટ ટ્રાન્સફર કરાવ્યું હતું. હાલ નવસારી પોલીસે પ્રવીણ તેના પુત્ર અને પત્ની વિરુદ્ધ આવક કરતાં વધુ મિલકત હોવાનો ગુનો નોંધ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા ગરીબ ખેડુતો માટે ખેતતલાવડીની યોજના અમલમાં મુકવામાં આવી હતી. આ યોજનાનો કેટલાક સરકારી કર્મચારી દ્વારા ગેરફાયદો ઉઠાવવામાં આવ્યો હતો. જે અંગે રાજ્ય સરકારને ફરિયાદ મળતા ACBની ટીમ દ્વારા સમગ્ર કૌભાંડ અંગે તપાસ કરવામાં આવી હતી.

સુરતમાં ખેતતલાવડી કૌભાંડઃ સરકારી અધિકારી થયા 'માલામાલ', ACBએ ફરિયાદ દાખલ કરી

આ કૌભાંડમાં ACBએ 41 ગુનાઓ દાખલ કર્યા હતા. જેઓની પાસેથી પોલીસે રૂ 56 લાખની રોકડ કબ્જે કરી હતી. આ સમગ્ર મામલે એસીબીએ કલાસ 2 ઑફિસર પ્રવીણ પ્રેમલ વિરુદ્ધ 26 જેટલા અલગ-અલગ ગુનાઓ નોંધ્યા હતાં અને એસીબીના મદદનીશ નિયામક એન.ડી.ચૌહાણ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

મિલકતની તપાસ કરતા પ્રવીણ ભાઈની આવક કરતા 201 ટકા વધુ મિલકત મળી આવી હતી. આરોપી પ્રવીણના એકાઉન્ટ, ઘર, પ્રોપટી તેમજ પુત્ર ચિરાગના એકાઉન્ટમાંથી રૂ 3 કરોડ અને પત્ની દમયંતીના એકાઉન્ટ મળી કુલે રૂ 10 કરોડની મિલકત મળી આવી હતી.

આ કૌભાંડમાં પ્રવીણે તેના પુત્રને પણ સામેલ કર્યો હતો. ખેત તલાવડીના કોન્ટ્રાકટ પુત્ર ચિરાગને આપી કૌભાંડ આચર્યું હતું અને પેમેન્ટ પણ તેના જ એકાઉન્ટમાં ડાયરેકટ ટ્રાન્સફર કરાવ્યું હતું. હાલ નવસારી પોલીસે પ્રવીણ તેના પુત્ર અને પત્ની વિરુદ્ધ આવક કરતાં વધુ મિલકત હોવાનો ગુનો નોંધ્યો છે.

Intro:દક્ષિણ ગુજરાત માં વર્ષ 2018 માં ખેત તલાવડી ના નામે સરકારી કર્મચારીઓ દ્વારા કરોડો રૂપિયા નું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. ત્યારે આવા ભ્રષ્ટ કર્મચારી પૈકી પ્રવીણ પ્રેમલ ની આવક કરતા 201 ટકા વધુ સપતિ નીકળી હતી. પ્રવીણ એ પોતાના પુત્ર ને જ ખેતતલાવડી નો કોન્ટ્રાકટ આપી દેવાયો હતો. નવસારી પોલીસે પિતા, પુત્ર અને માતા વિરુદ્ધ અપ્રમાનસર મિલકત નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Body:વિઓ.1

રાજ્ય સરકાર દ્વારા ગરીબ ખેડુતો માટે ખેત તલાવડી ની યોજના અમલ માં મુકવામાં આવી હતી.જો કે આ યોજના નો કેટલાક સરકારી કર્મચારી દ્વારા ગેરફાયદો ઉઠાવવામાં આવ્યો હતો. જે અંગે રાજ્ય સરકાર ને ફરિયાદ મળતા એસીબી ની ટિમ દ્વારા સમગ્ર કૌભાંડ અંગે તપાસ કરવામાં આવી હતી. આ કૌભાંડ માં એસીબી એ 41 ગુનાઓ દાખલ કર્યા હતા. જેઓની પાસે થી પોલીસે રૂ 56 લાખ ની રોકડ કબ્જે કરી હતી. આ સમગ્ર મામલે એસીબી એ કલાસ 2 ઑફિસર પ્રવીણ પ્રેમલ વિરુદ્ધ 26 જેટલા અલગ અલગ ગુનાઓ નોંધ્યા હતાં અને એસીબી ના મદદનીશ નિયામક એન.ડી.ચૌહાણ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. મિલકત ની તપાસ કરતા પ્રવીણ ભાઈ ની આવક કરતા 201 ટકા વધુ અપ્રમાનસર મિલકત મળી આવી હતી. આરોપી પ્રવીણ ના એકાઉન્ટ , ઘર, પ્રોપટી તેમજ પુત્ર ચિરાગ ના એકાઉન્ટ માંથી રૂ 3 કરોડ અને પત્ની દમયંતી ના એકાઉન્ટ મળી કુલે રૂ 10 કરોડ ની મિલકત મળી આવી હતી.Conclusion: આ કૌભાંડ માં પ્રવીણ એ તેના પુત્ર ને પણ સામેલ કર્યો હતો. ખેત તલાવડી ના કોન્ટ્રાકટ પુત્ર ચિરાગ ને આપી કૌભાંડ આચર્યું હતું અને પેમેન્ટ પણ તેના જ એકાઉન્ટ માં ડાયરેકટ ટ્રાન્સફર કરાવ્યું હતું. હાલ નવસારી પોલીસે પ્રવીણ, તેનો પુત્ર અને પત્ની વિરુદ્ધ અપ્રમાનસર મિલકત નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

બાયટ..એમ.ડી.ચૌહાણ..મદદનીશ નિયામક એસીબી

Assign by -Sweta singh
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.