ETV Bharat / state

સુરતની દિવ્યાંગ બાળકી અન્વી ઝાંઝરુકીયાએ 13 વર્ષની ઉમરે યોગમાં નેશનલ એવોર્ડ મેળવ્યો

author img

By

Published : Oct 27, 2021, 1:54 PM IST

સુરતની દિવ્યાંગ(Divyang Surat) રબરગર્લ અન્વી ઝાંઝરુકીયાએ માત્ર 13 વર્ષની નાની ઉમરે યોગમાં નેશનલ એવોર્ડ(National Award in Yoga) મેળવ્યો છે.શારીરીક અને માનસિક મર્યાદાઓની પરવાહ કર્યા વગર યોગમાં નેશનલ એવોર્ડ સુધી પહોંચી ગઇ છે.આગામી તા. 1થી 5 ડિસેમ્બર દરમિયાન ભારતના રાષ્ટ્રપતિના હસ્તે અન્વી ઝાંઝરુકીયાને દબદબાભેર નેશનલ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવશે.

સુરતની દિવ્યાંગ રબરગર્લ અન્વી ઝાંઝરુકીયાએ 13 વર્ષની ઉમરે યોગમાં નેશનલ એવોર્ડ મેળવ્યો
સુરતની દિવ્યાંગ રબરગર્લ અન્વી ઝાંઝરુકીયાએ 13 વર્ષની ઉમરે યોગમાં નેશનલ એવોર્ડ મેળવ્યો
  • માત્ર 13 વર્ષની નાની ઉમરે યોગમાં નેશનલ એવોર્ડ મેળવ્યો છે
  • આ દીકરી બીમારીથી પીડાઈ રહી છે તેનો વિશ્વાસમાં કોઈ ઈલાજ નથી
  • સખત પરિશ્રમ એ જ સફળતાની ચાવી છે સુરતની દીકરી દર્શાવી દીધુ

સુરતઃ ગુજરાતમાં રબર ગર્લ તરીકે જાણિતી સુરત(Surat)ની સંસ્કારકુંજ જ્ઞાનપીઠ શાળાની દિવ્યાંગ વિદ્યાર્થીની(crippled student) અન્વી વિજય ઝાંઝરુકીયાને 13 વર્ષની નાની વયે જ યોગાસનોમાં વિશિષ્ટ પ્રદાન કરવા બદલ કેન્દ્ર સરકારના સોશ્યલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ ડિપાર્ટમેન્ટ(Department of Social Justice and Empowerment) દ્વારા નેશનલ ડિસેબલ એવોર્ડ એનાયત કરવાની ઘોષણા કરવામાં આવી છે. આગામી તા.1થી 5 ડિસેમ્બર દરમિયાન ભારતના રાષ્ટ્રપતિના હસ્તે(hands of the President of India Award) સુરતની રબરગર્લ અન્વી ઝાંઝરુકીયાને દબદબાભેર નેશનલ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવશે.

અન્વી ઝાંઝરુકીયા અનેક બિમારીથી પિડાઈ રહી છે

અન્વી ઝાંઝરુકીયા(Anvi Zanzarukia) જન્મજાત અનેક પ્રકારની શારીરીક અને માનસિક બિમારી(Physical and mental illness)ઓથી પીડાય રહી છે, જેનો વિશ્વમાં કોઇ ઇલાજ આજની તારીખે ઉપલબ્ધ નથી. આમ છતાં પણ અન્વીએ યોગને પોતાનો જીવનમંત્ર બનાવીને યોગમાં નેશનલ ચેમ્પિયન સુધીની સફર અન્વીએ 13 વર્ષની નાની ઉમરે ખેડી લીધી છે. આ દિકરી દિવ્યાંગ હોવા છતાં અન્વી નોર્મલ બાળકો સાથેની સ્પર્ધામાં પણ ચેમ્પિયન બનીને આવે છે. પોતાની અનેક શારીરીક અને માનસિક બિમારીઓની જરાય પરવાહ કર્યા વગર અન્વી ઝાંઝરુકીયા યોગનું પ્રશિક્ષણ મેળવીને દિનપ્રતિદિન તેમાં પારંગતતા કેળવી રહી છે. અન્વીને યોગનું પ્રશિક્ષણ સંસ્કારકુંજ જ્ઞાનપીઠમાં જ મળે છે અને તેને નમ્રતાબેન વર્મા કોચિંગ આપી રહ્યા છે.

13 વર્ષની દીકરીએ સુરતનું ગૌરવ વધાર્યું

સંસ્કારકુંજ જ્ઞાનપીઠ શાળાના ટ્રસ્ટી પરેશભાઈ એ જણાવ્યું કે, જે રીતે નાના ભૂલકા બાળકોમાં કઈને કઈ પ્રવુતિઓ કરવાની ધગ્સ હોય છે. તે જ રીતે શાળાની અન્વી ઝાંઝરુકીયાને પણ છે. તે ભલે અનેક બીમારી્યોથી પીડાતી હોય પણ તેનો જુસ્સો ખુબ જ અનેરો છે. કહેવાય છે કે ઈશ્વર બધાને બધું જ આપે છે પણ એ બધું આપણામાં છે. પરંતુ અન્વી ઝાંઝરુકીયા જે બીમારીથી પીડાઈ રહી છે. તેનો વિશ્વાસમાં કોઈ ઈલાજ નથી. તે ક્રિએટિવ ચાઇલ્ડ વિથ ડિસેબ્લિટી કેટેગરીમા નેશનલ એવોર્ડ(National Award) માટે પસંદગી કરવામાં આવી છે. સુરતમાં પણ તે રબરગર્લ તારીકે જ ઓળખાય છે.

શાળાના ટ્રસ્ટી આગળ કહ્યું હતું કે, આજકાલના યુગમાં આ ઉમરાના બાળકો ટેક્નોલોજી સાથે લઈને ચાલી રહ્યા છે. ચાલવું પણ જોઈએ કારણ કે મોબાઈલમાં જ આખી દુનિયા આવી ગઈ છે હવે પણ તેનાથી ભારતીય સંસ્કૃતિને યોગ જેવા વ્યાયામ પણ કરવું જરૂરી છે. જેથી આગળ જઈ આપણું શરીર તંદુરસ્ત રહે. હું મોબાઇલ કે ટેક્નોલોજીના ખિલાફ નથી પણ સમય યોગને પણ આપવો જોઈએ. અમારી શાળામાં હંમેશા હસતી રહેતી અન્વી ઝાંઝરુકીયાએ માત્ર 13 વર્ષની નાની ઉમરે યોગમાં નેશનલ એવોર્ડ મેળવ્યો છે. જેથી હું ખુબ જ આનંદ અનુભવ કરી રહ્યો છું.

આ પણ વાંચોઃ Pegasus Spyware: સ્વતંત્ર તપાસ માટે સુપ્રીમ કોર્ટે એક્સપર્ટ કમિટી બનાવી

આ પણ વાંચોઃ દેશ સાથે ગદ્દારી કરનાર BSF જવાનના 10 દિવસના રિમાન્ડ મંજૂર

  • માત્ર 13 વર્ષની નાની ઉમરે યોગમાં નેશનલ એવોર્ડ મેળવ્યો છે
  • આ દીકરી બીમારીથી પીડાઈ રહી છે તેનો વિશ્વાસમાં કોઈ ઈલાજ નથી
  • સખત પરિશ્રમ એ જ સફળતાની ચાવી છે સુરતની દીકરી દર્શાવી દીધુ

સુરતઃ ગુજરાતમાં રબર ગર્લ તરીકે જાણિતી સુરત(Surat)ની સંસ્કારકુંજ જ્ઞાનપીઠ શાળાની દિવ્યાંગ વિદ્યાર્થીની(crippled student) અન્વી વિજય ઝાંઝરુકીયાને 13 વર્ષની નાની વયે જ યોગાસનોમાં વિશિષ્ટ પ્રદાન કરવા બદલ કેન્દ્ર સરકારના સોશ્યલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ ડિપાર્ટમેન્ટ(Department of Social Justice and Empowerment) દ્વારા નેશનલ ડિસેબલ એવોર્ડ એનાયત કરવાની ઘોષણા કરવામાં આવી છે. આગામી તા.1થી 5 ડિસેમ્બર દરમિયાન ભારતના રાષ્ટ્રપતિના હસ્તે(hands of the President of India Award) સુરતની રબરગર્લ અન્વી ઝાંઝરુકીયાને દબદબાભેર નેશનલ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવશે.

અન્વી ઝાંઝરુકીયા અનેક બિમારીથી પિડાઈ રહી છે

અન્વી ઝાંઝરુકીયા(Anvi Zanzarukia) જન્મજાત અનેક પ્રકારની શારીરીક અને માનસિક બિમારી(Physical and mental illness)ઓથી પીડાય રહી છે, જેનો વિશ્વમાં કોઇ ઇલાજ આજની તારીખે ઉપલબ્ધ નથી. આમ છતાં પણ અન્વીએ યોગને પોતાનો જીવનમંત્ર બનાવીને યોગમાં નેશનલ ચેમ્પિયન સુધીની સફર અન્વીએ 13 વર્ષની નાની ઉમરે ખેડી લીધી છે. આ દિકરી દિવ્યાંગ હોવા છતાં અન્વી નોર્મલ બાળકો સાથેની સ્પર્ધામાં પણ ચેમ્પિયન બનીને આવે છે. પોતાની અનેક શારીરીક અને માનસિક બિમારીઓની જરાય પરવાહ કર્યા વગર અન્વી ઝાંઝરુકીયા યોગનું પ્રશિક્ષણ મેળવીને દિનપ્રતિદિન તેમાં પારંગતતા કેળવી રહી છે. અન્વીને યોગનું પ્રશિક્ષણ સંસ્કારકુંજ જ્ઞાનપીઠમાં જ મળે છે અને તેને નમ્રતાબેન વર્મા કોચિંગ આપી રહ્યા છે.

13 વર્ષની દીકરીએ સુરતનું ગૌરવ વધાર્યું

સંસ્કારકુંજ જ્ઞાનપીઠ શાળાના ટ્રસ્ટી પરેશભાઈ એ જણાવ્યું કે, જે રીતે નાના ભૂલકા બાળકોમાં કઈને કઈ પ્રવુતિઓ કરવાની ધગ્સ હોય છે. તે જ રીતે શાળાની અન્વી ઝાંઝરુકીયાને પણ છે. તે ભલે અનેક બીમારી્યોથી પીડાતી હોય પણ તેનો જુસ્સો ખુબ જ અનેરો છે. કહેવાય છે કે ઈશ્વર બધાને બધું જ આપે છે પણ એ બધું આપણામાં છે. પરંતુ અન્વી ઝાંઝરુકીયા જે બીમારીથી પીડાઈ રહી છે. તેનો વિશ્વાસમાં કોઈ ઈલાજ નથી. તે ક્રિએટિવ ચાઇલ્ડ વિથ ડિસેબ્લિટી કેટેગરીમા નેશનલ એવોર્ડ(National Award) માટે પસંદગી કરવામાં આવી છે. સુરતમાં પણ તે રબરગર્લ તારીકે જ ઓળખાય છે.

શાળાના ટ્રસ્ટી આગળ કહ્યું હતું કે, આજકાલના યુગમાં આ ઉમરાના બાળકો ટેક્નોલોજી સાથે લઈને ચાલી રહ્યા છે. ચાલવું પણ જોઈએ કારણ કે મોબાઈલમાં જ આખી દુનિયા આવી ગઈ છે હવે પણ તેનાથી ભારતીય સંસ્કૃતિને યોગ જેવા વ્યાયામ પણ કરવું જરૂરી છે. જેથી આગળ જઈ આપણું શરીર તંદુરસ્ત રહે. હું મોબાઇલ કે ટેક્નોલોજીના ખિલાફ નથી પણ સમય યોગને પણ આપવો જોઈએ. અમારી શાળામાં હંમેશા હસતી રહેતી અન્વી ઝાંઝરુકીયાએ માત્ર 13 વર્ષની નાની ઉમરે યોગમાં નેશનલ એવોર્ડ મેળવ્યો છે. જેથી હું ખુબ જ આનંદ અનુભવ કરી રહ્યો છું.

આ પણ વાંચોઃ Pegasus Spyware: સ્વતંત્ર તપાસ માટે સુપ્રીમ કોર્ટે એક્સપર્ટ કમિટી બનાવી

આ પણ વાંચોઃ દેશ સાથે ગદ્દારી કરનાર BSF જવાનના 10 દિવસના રિમાન્ડ મંજૂર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.