ETV Bharat / state

સુરતમાં બેરોજગાર પતિએ પત્નીની પથ્થરના ઘા ઝીંકી હત્યા કરી

author img

By

Published : May 20, 2021, 3:33 PM IST

સુરત જિલ્લાના વરાછામાં બેરોજગાર પતિએ પત્નીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. પતિ પોતાની જ પત્નીને પથ્થરના ઘા ઝીંકી હત્યા કરી છે. બીજી તરફ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

murder news surat
murder news surat
  • સુરતમાં પતિએ પત્નીની પથ્થરના ઘા ઝીંકી હત્યા કરી
  • હત્યા બાદ તે પત્નીના મૃતદેહ પાસે જ બેસી રહ્યો હતો અને પોલીસને જાણ કરી
  • બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો

સુરત : મૂળ બિહારના વતની અને હાલ 13 વર્ષથી સુરતના અશ્વની કુમાર વિસ્તારમાં 65 વર્ષીય સાધુ ચરણ કેસરી તેમની 55 વર્ષીય પત્ની દુર્ગાવતી સાથે રહેતો હતો. આ દરમિયાન પતિએ તેની જ પત્નીની પથ્થરના ઘા ઝીંકી હત્યા કરી દીધી હતી. હત્યા બાદ તે પત્નીના મૃતદેહ પાસે જ બેસી રહ્યો હતો અને પોલીસને જાણ કરી હતી. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આરોપીની અટકાયત કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે.

મૃતક પત્ની
મૃતક પત્ની

આ પણ વાંચો : સુરતના ઉધ વિસ્તારમાં બે યુવકોની હત્યા

પત્ની બેકાર થતાં ઝઘડો થતો હતો

હત્યારો પતિ કોઈ કામ ધંધો કરતો ન હોવાનું અને પત્નીની કમાણી પર જ નિર્ભર રહેતો હતો. જોકે લોકડાઉનને લઈને પત્ની પણ હાલ બેકાર બની હતી અને બન્ને વચ્ચે ઝઘડાઓ થયા કરતા હતા. જેમાં પતિ પત્નીને ગાળો આપતો, મારામારી કરતો હતો. એટલું જ નહીં તેણીને વતન મોકલી દેવાની ધમકીઓ પણ આપતો હતો. હત્યારો પતિ અગાઉ વોચમેન તરીકે કામ કરતો હતો. તેમ છતાં તે ઘરમાં પૈસા ન આપતો હોવાનું બહાર આવ્યું છે. વધુમાં બન્ને દંપતીને લગ્નના 35 વર્ષ થયાં છે છતાં તેઓને કોઈ સંતાન નથી.

આ પણ વાંચો : સુરતમાં સિદ્ધાર્થ રાવની હત્યાના મામલે બે આરોપી ઝડપાયા

સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી

પતિએ પત્નીની હત્યા કરી હોવાની ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં ચકચાર મચી હતી. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આ મામલે હત્યારા પતિને અટકાયત કરી હોવાનું બહાર આવ્યું છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

  • સુરતમાં પતિએ પત્નીની પથ્થરના ઘા ઝીંકી હત્યા કરી
  • હત્યા બાદ તે પત્નીના મૃતદેહ પાસે જ બેસી રહ્યો હતો અને પોલીસને જાણ કરી
  • બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો

સુરત : મૂળ બિહારના વતની અને હાલ 13 વર્ષથી સુરતના અશ્વની કુમાર વિસ્તારમાં 65 વર્ષીય સાધુ ચરણ કેસરી તેમની 55 વર્ષીય પત્ની દુર્ગાવતી સાથે રહેતો હતો. આ દરમિયાન પતિએ તેની જ પત્નીની પથ્થરના ઘા ઝીંકી હત્યા કરી દીધી હતી. હત્યા બાદ તે પત્નીના મૃતદેહ પાસે જ બેસી રહ્યો હતો અને પોલીસને જાણ કરી હતી. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આરોપીની અટકાયત કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે.

મૃતક પત્ની
મૃતક પત્ની

આ પણ વાંચો : સુરતના ઉધ વિસ્તારમાં બે યુવકોની હત્યા

પત્ની બેકાર થતાં ઝઘડો થતો હતો

હત્યારો પતિ કોઈ કામ ધંધો કરતો ન હોવાનું અને પત્નીની કમાણી પર જ નિર્ભર રહેતો હતો. જોકે લોકડાઉનને લઈને પત્ની પણ હાલ બેકાર બની હતી અને બન્ને વચ્ચે ઝઘડાઓ થયા કરતા હતા. જેમાં પતિ પત્નીને ગાળો આપતો, મારામારી કરતો હતો. એટલું જ નહીં તેણીને વતન મોકલી દેવાની ધમકીઓ પણ આપતો હતો. હત્યારો પતિ અગાઉ વોચમેન તરીકે કામ કરતો હતો. તેમ છતાં તે ઘરમાં પૈસા ન આપતો હોવાનું બહાર આવ્યું છે. વધુમાં બન્ને દંપતીને લગ્નના 35 વર્ષ થયાં છે છતાં તેઓને કોઈ સંતાન નથી.

આ પણ વાંચો : સુરતમાં સિદ્ધાર્થ રાવની હત્યાના મામલે બે આરોપી ઝડપાયા

સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી

પતિએ પત્નીની હત્યા કરી હોવાની ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં ચકચાર મચી હતી. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આ મામલે હત્યારા પતિને અટકાયત કરી હોવાનું બહાર આવ્યું છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.