ETV Bharat / state

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મુદ્દે ભાજપ સરકાર સામે AAPએ નોંધાવ્યો વિરોધ - આમ આદમી પાર્ટી

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે બુધવારના રોજ સુરત શહેર આમ આદમી પાર્ટી દ્વારા શહેરના અઠવાલાઇન્સ ખાતે ભાજપ સરકાર સામે દેખાવો કરી સૂત્રોચ્ચાર કરાયા હતા. ક્રૂડ ઓઈલના ભાવોમાં ઘટાડો થયો હોવા છતા પણ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો ન હોવાનો આરોપ AAP પાર્ટીએ મુક્યો હતો.

પેટ્રોલ ડીઝલના ભાવ મુદ્દે AAP દ્વારા ભાજપ સરકાર સામે દેખાવો કરી સૂત્રોચ્ચાર કરાયા
પેટ્રોલ ડીઝલના ભાવ મુદ્દે AAP દ્વારા ભાજપ સરકાર સામે દેખાવો કરી સૂત્રોચ્ચાર કરાયા
author img

By

Published : Jul 1, 2020, 5:08 PM IST

સુરત: કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવોમાં વધારો કરાતા સામાન્યથી મધ્યમ વર્ગને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. લોક ડાઉનમાંથી માંડ-માંડ બહાર આવેલા લોકોને પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયા પછી પડ્યા પર પાટું મારવા જેવી સ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો છે.

આવી પરિસ્થિતિમાં લોકોને પડતી હાલાકી સામે લોકોના પ્રશ્નોને વાંચા આપવા સુરત શહેર આમ આદમી પાર્ટી દ્વારા અઠવાલાઇન્સ સ્થિત વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે દેખાવો કરી સૂત્રોચ્ચાર કરાયા હતા. એટલું જ નહીં ક્રૂડના ઓઈલના ભાવોમાં ઘટાડો થયો હોવા છતાં સરકાર ભાવમાં ઘટાડો નથી કરી રહી તેવા આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા કરાયા હતા. જો આગામી દિવસોમાં ભાવ ધટાડો નહીં કરાયા તો જનતાના હિતમાં આંદોલન કરવાની ચીમકી આપી હતી.

પેટ્રોલ ડીઝલના ભાવ વધારા મુદ્દે AAP દ્વારા ભાજપ સરકાર સામે દેખાવો કરી સૂત્રોચ્ચાર કર્યા

મહત્વનું છે કે, થોડા દિવસ પહેલા પણ આમ આદમી પાર્ટી ઉપાધ્યક્ષ દ્વારા પણ વિરોધ નોધાવ્યો હતો. ગુજરાત આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ ગોપાલ ઇટાલિયા દ્વારા સુરત ટ્રાફિક ડીસીપીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. કોરોનાની વૈશ્વિક મહામારીને ધ્યાનમાં રાખી હાલ ટ્રાફિકના દંડ ઉઘરાવવાની કામગીરી પર રોક નહીં લગાવવામાં આવે તો આગામી દિવસમાં આમ આદમી પાર્ટી પ્રજાને સાથે લઈ સંઘર્ષમાં પણ ઉતરશે તેવી ચીમકી આપી હતી.

સુરત: કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવોમાં વધારો કરાતા સામાન્યથી મધ્યમ વર્ગને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. લોક ડાઉનમાંથી માંડ-માંડ બહાર આવેલા લોકોને પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયા પછી પડ્યા પર પાટું મારવા જેવી સ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો છે.

આવી પરિસ્થિતિમાં લોકોને પડતી હાલાકી સામે લોકોના પ્રશ્નોને વાંચા આપવા સુરત શહેર આમ આદમી પાર્ટી દ્વારા અઠવાલાઇન્સ સ્થિત વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે દેખાવો કરી સૂત્રોચ્ચાર કરાયા હતા. એટલું જ નહીં ક્રૂડના ઓઈલના ભાવોમાં ઘટાડો થયો હોવા છતાં સરકાર ભાવમાં ઘટાડો નથી કરી રહી તેવા આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા કરાયા હતા. જો આગામી દિવસોમાં ભાવ ધટાડો નહીં કરાયા તો જનતાના હિતમાં આંદોલન કરવાની ચીમકી આપી હતી.

પેટ્રોલ ડીઝલના ભાવ વધારા મુદ્દે AAP દ્વારા ભાજપ સરકાર સામે દેખાવો કરી સૂત્રોચ્ચાર કર્યા

મહત્વનું છે કે, થોડા દિવસ પહેલા પણ આમ આદમી પાર્ટી ઉપાધ્યક્ષ દ્વારા પણ વિરોધ નોધાવ્યો હતો. ગુજરાત આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ ગોપાલ ઇટાલિયા દ્વારા સુરત ટ્રાફિક ડીસીપીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. કોરોનાની વૈશ્વિક મહામારીને ધ્યાનમાં રાખી હાલ ટ્રાફિકના દંડ ઉઘરાવવાની કામગીરી પર રોક નહીં લગાવવામાં આવે તો આગામી દિવસમાં આમ આદમી પાર્ટી પ્રજાને સાથે લઈ સંઘર્ષમાં પણ ઉતરશે તેવી ચીમકી આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.