સુરત: ટેક્ષટાઈલ સીટી સુરતના કાપડના ઉદ્યોગપતિ સાવરજી બુધિયા શ્રી બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રીને ઉપહાર સ્વરૂપ ચાંદીની ગદા આપશે. ધીરેન્દ્ર શાસ્ત્રી સુરતમાં દિવ્યા દરબારમાં હાજરી આપશે, જે તારીખ 26 અને 27મી મેના રોજ તેઓ સુરતની નીલગીરી ગ્રાઉન્ડ ખાતે આશરે અઢી લાખ લોકો સામે કથા અને પ્રવચન આપવા જઈ રહ્યા છે. જેને લઇ તેમના ચાહકોમાં અને પ્રશંસકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવો જ ઉત્સાહ સુરતના કાપડના ઉદ્યોગ સાથે સંકળાયેલા સાવરજી બુધીયાને પણ છે. કારણ છે કે, તેઓએ ધીરેન્દ્ર શાસ્ત્રી માટે 1 કિલોથી પણ વધુ વજનદાર ચાંદીની ગદાનો ઓર્ડર સુરતના જ્વેલર્સ દીપક ચોકસીને આપ્યો હતો.
![A specially handmade 1161 kg silver gada made by a cloth merchant in Surat to gift Baba Bageshwar Dhirendra Shastri](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-sur-suilver-gadha-7200931_23052023123100_2305f_1684825260_812.jpg)
હિન્દુ અને સનાતન ધર્મની વાત: આ અંગે વેપારી સાવરજી બુધિયાએ જણાવ્યું હતું કે, જે લોકો હિન્દુ અને સનાતન ધર્મની વાત કરશે, તે હંમેશાથી આદર યોગ્ય છે. પ્રથમવાર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી સુરત આવી રહ્યા છે, જેના કારણે લોકોમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ હનુમાનજીની ગદા અમે તેમને ભેટ સ્વરૂપ આપવા જઈ રહ્યા છે, જેથી આ ગદા બાબા બાગેશ્વર ધામના હનુમાનજીના ચરણોમાં હંમેશા રહે. અમે ઈચ્છી રહ્યા છે કે, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે આ ગદા તેમને આપવામાં આવે.
સંપૂર્ણ રીતે હેન્ડમેન્ટ: આ ગદા બનાવનાર જ્વેલર્સ દીપકભાઈ ચોક્સીએ જણાવ્યું હતું કે, આ ખાસ ગદા બનાવવા માટે અમને પંદર દિવસ પહેલા જ ઓર્ડર મળ્યો હતો. આ સંપૂર્ણ રીતે હેન્ડમેન્ટ છે, એમાં મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આ ગદાનું વજન 1161 ગ્રામ છે અને ચાર કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ ગદાની ડિઝાઇનની વાત કરવામાં આવે તો, ખાસ ભારતીય પરંપરાગત જે ડિઝાઇન હોય છે, તે આ ગદા ઉપર જોવા મળશે. 15 દિવસમાં ગદા તૈયાર કરવામાં આવી છે અને સૌથી અગત્યની વાત છે કે કારીગરોએ આ ગદાને પોતાના હાથે તૈયાર કરી છે.
![A specially handmade 1161 kg silver gada made by a cloth merchant in Surat to gift Baba Bageshwar Dhirendra Shastri](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-sur-suilver-gadha-7200931_23052023123100_2305f_1684825260_916.jpg)
એક ઝલક મેળવવા માટે ખૂબ જ આતુર છે સુરતવાસીઓ: અત્રે ઉલ્લેખનીય છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને લઇ તડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે અને બીજી બાજુ અનેક વિવાદો પણ સર્જાયા છે, પરંતુ આ વચ્ચે તેમના ચાહક અને પ્રશંસક એક ઝલક મેળવવા માટે ખૂબ જ આતુર છે. આ જ કારણ છે કે, સુરતના કાપડના વેપારી દ્વારા તેમને આ ચાંદીની ખૂબસૂરત ગદા ભેટ કરવા માટે તૈયાર કરાઈ છે.
આ પણ વાંચો: