ETV Bharat / state

સોશિયલ એકસચેન્જ કાર્યક્રમ હેઠળ બ્રાઝીલ ગયેલા સુરત સહિતના 23 સગીર વિદ્યાર્થીઓ ફસાયા - 23 students from Surat who went to Brazil under the social exchange program are trapped

બ્રાઝિલ જેવા દેશમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા પોણા ચાર લાખ સુધી પહોંચી ગઈ છે. ત્યારે રોટરી ક્લબ સાથે જોડાયેલા પરિવારના સુરત સહિતના અન્ય શહેરોના 23 જેટલા સગીરો છેલ્લા 4 મહિનાથી બ્રાઝિલમાં ફસાયા છે. અનેક રજૂઆતો કરવા છતાં પણ તેમને ભારત પરત લાવવાની વ્યવસ્થા કરવાને બદલે બ્રાઝિલની ઈન્ડિયન એમ્બેસી દ્વારા તેઓને સ્વખર્ચે જવા માટે બે લાખ રૂપિયા તેમજ 14 દિવસનો કોરોન્ટાઈન ખર્ચ આપવા જણાવવામાં આવ્યું છે. જેથી તેમના સગીર બાળકોને લઈને પરિવારજનો ચિંતામાં મુકાયા છે.

Surat
બ્રાઝીલ ગયેલા સુરતના વિદ્યાર્થીઓ
author img

By

Published : May 26, 2020, 8:26 PM IST

સુરત : કોરોનાની મહામારીને પગલે ભારત સહિતના અનેક દેશોએ લોકડાઉનની જાહેરાત કરી છે. ત્યારે અન્ય દેશોમાં લાખો ભારતીયો ફસાયા છે. ત્યારે રોટરી ક્લબ સાથે જોડાયેલા પરિવારના બાળકો સોશિયલ એકસચેન્જ કાર્યક્રમ હેઠળ બ્રાઝીલ ગયેલા હતા. સુરત સહિતના 23 સગીર વિદ્યાર્થીઓ ફસાયા છે. કેન્દ્ર સરકારે વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે વંદે ભારત મિશનની શરૂઆત કરી છે. જેના ભાગ રૂપે અનેક લોકોને પરત લાવવામાં આવ્યા છે. જો કે, બ્રાઝિલમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટેનું કોઈ આયોજન કરવામાં ન આવ્યું હોવાનો આરોપ પરિવારજનો કરી રહ્યા છે.

સોશ્યિલ એકસચેન્જ કાર્યક્રમ હેઠળ બ્રાઝીલ ગયેલા સુરત સહિતના 23 સગીર વિદ્યાર્થીઓ ફસાયા
રોટરી કલબના કલ્ચર પ્રોગ્રામ અંતર્ગત ઓકટોબરમાં સુરત સહિત અનેક શહેરોના વિદ્યાર્થીઓ બ્રાઝીલ ગયા હતા. જ્યાં તેમણે ભારતીય કલ્ચરનો ફેલાવો કરવાનો હતો અને તેમનું કલ્ચર શીખવાનું હોય છે. જો કે, કોરોનાના કહેર વચ્ચે બ્રાઝિલમાં કોરોનાના પોણા ચાર લાખ કેસ વધી ગયા છે. જેથી આ સગીર બાળકો ત્યાં ફસાઈ ગયા છે. હાલ તેઓ ભારતીય સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહ્યાં છે કે, તેમને જલ્દીથી જલ્દી ભારત લાવવાની વ્યવસ્થા કરવામાં આવે. જો કે, તેમને પરત લાવવા માટે બ્રાઝિલની ઈન્ડિયન એમ્બેસીએ જણાવ્યું છે કે, વંદે ભારત મિશન હેઠળ ભારતીયોને ભારત લઈ જવાનું કોઈ આયોજન નથી, તેમજ સ્વખર્ચે જવા માટે બે લાખ અને 14 દિવસનો કોરન્ટાઈનનો ખર્ચ આપવો પડશે.આ અંગે વાલી યતિન સંઘોઈ જણાવ્યું હતું કે, અમારા બાળકો રોટરી કલબના સોશિયલ એકસેન્જ કાર્યક્રમ હેઠળ બ્રાઝીલ ગયા હતાં. હાલ અમારા બાળકો ત્યાં ફસાયેલા છે, જેમને પરત લાવવા માટેના પ્રયાસો અમે કરી રહ્યાં છીએ. અમને બીજા કે ત્રીજા ફેઝમાં બાળકોને પરત લાવવાનું જણાવવામાં આવ્યું હતું. જો કે, બે દિવસ પહેલા બ્રાઝીલમાં કાર્યરત ભારતીય એમ્બેસીએ કહ્યું છે કે, વંદે ભારત મિશન હેઠળ ભારતીયોને ભારત લઈ જવાનું કોઈ આયોજન નથી. જેમને ભારત જવું હોય તેને સ્વખર્ચે જવાનું રહશે. જેનો ખર્ચ બે લાખ થશે અને સાથે જ કોરોન્ટાઈનનો ખર્ચ પણ આપવો પડશે. સુરત સહિત મુંબઈ, પુણે જેવા શહેરોના મળીને લગભગ 23 જેટલા તો માત્ર સગીરો છે. બ્રાઝિલ કોરોના અસરગ્રસ્ત દેશોના ક્રમમાં બીજા નંબરે છે. ત્યારે અમારા બાળકોને લઈને અમારી ચિંતા દિવસે ને દિવસે વધતી જાય છે.

સુરત : કોરોનાની મહામારીને પગલે ભારત સહિતના અનેક દેશોએ લોકડાઉનની જાહેરાત કરી છે. ત્યારે અન્ય દેશોમાં લાખો ભારતીયો ફસાયા છે. ત્યારે રોટરી ક્લબ સાથે જોડાયેલા પરિવારના બાળકો સોશિયલ એકસચેન્જ કાર્યક્રમ હેઠળ બ્રાઝીલ ગયેલા હતા. સુરત સહિતના 23 સગીર વિદ્યાર્થીઓ ફસાયા છે. કેન્દ્ર સરકારે વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે વંદે ભારત મિશનની શરૂઆત કરી છે. જેના ભાગ રૂપે અનેક લોકોને પરત લાવવામાં આવ્યા છે. જો કે, બ્રાઝિલમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટેનું કોઈ આયોજન કરવામાં ન આવ્યું હોવાનો આરોપ પરિવારજનો કરી રહ્યા છે.

સોશ્યિલ એકસચેન્જ કાર્યક્રમ હેઠળ બ્રાઝીલ ગયેલા સુરત સહિતના 23 સગીર વિદ્યાર્થીઓ ફસાયા
રોટરી કલબના કલ્ચર પ્રોગ્રામ અંતર્ગત ઓકટોબરમાં સુરત સહિત અનેક શહેરોના વિદ્યાર્થીઓ બ્રાઝીલ ગયા હતા. જ્યાં તેમણે ભારતીય કલ્ચરનો ફેલાવો કરવાનો હતો અને તેમનું કલ્ચર શીખવાનું હોય છે. જો કે, કોરોનાના કહેર વચ્ચે બ્રાઝિલમાં કોરોનાના પોણા ચાર લાખ કેસ વધી ગયા છે. જેથી આ સગીર બાળકો ત્યાં ફસાઈ ગયા છે. હાલ તેઓ ભારતીય સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહ્યાં છે કે, તેમને જલ્દીથી જલ્દી ભારત લાવવાની વ્યવસ્થા કરવામાં આવે. જો કે, તેમને પરત લાવવા માટે બ્રાઝિલની ઈન્ડિયન એમ્બેસીએ જણાવ્યું છે કે, વંદે ભારત મિશન હેઠળ ભારતીયોને ભારત લઈ જવાનું કોઈ આયોજન નથી, તેમજ સ્વખર્ચે જવા માટે બે લાખ અને 14 દિવસનો કોરન્ટાઈનનો ખર્ચ આપવો પડશે.આ અંગે વાલી યતિન સંઘોઈ જણાવ્યું હતું કે, અમારા બાળકો રોટરી કલબના સોશિયલ એકસેન્જ કાર્યક્રમ હેઠળ બ્રાઝીલ ગયા હતાં. હાલ અમારા બાળકો ત્યાં ફસાયેલા છે, જેમને પરત લાવવા માટેના પ્રયાસો અમે કરી રહ્યાં છીએ. અમને બીજા કે ત્રીજા ફેઝમાં બાળકોને પરત લાવવાનું જણાવવામાં આવ્યું હતું. જો કે, બે દિવસ પહેલા બ્રાઝીલમાં કાર્યરત ભારતીય એમ્બેસીએ કહ્યું છે કે, વંદે ભારત મિશન હેઠળ ભારતીયોને ભારત લઈ જવાનું કોઈ આયોજન નથી. જેમને ભારત જવું હોય તેને સ્વખર્ચે જવાનું રહશે. જેનો ખર્ચ બે લાખ થશે અને સાથે જ કોરોન્ટાઈનનો ખર્ચ પણ આપવો પડશે. સુરત સહિત મુંબઈ, પુણે જેવા શહેરોના મળીને લગભગ 23 જેટલા તો માત્ર સગીરો છે. બ્રાઝિલ કોરોના અસરગ્રસ્ત દેશોના ક્રમમાં બીજા નંબરે છે. ત્યારે અમારા બાળકોને લઈને અમારી ચિંતા દિવસે ને દિવસે વધતી જાય છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.