ETV Bharat / state

માકણા ગામના બે ભાઈઓના માર્ગ અકસ્માતમાં મૃત્યુ થતાં ગ્રામજનોનું ચક્કાજામ

સુરતઃ નેશનલ હાઈવે 48 પર આજે માકણા ગામના લોકોએ ચક્કાજામ કર્યુ હતુ. ગામના બે સગાભાઈના માર્ગ અકસ્માતમાં મૃત્યુ થતાં ગ્રામજનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતુ.

author img

By

Published : Jun 20, 2019, 6:21 AM IST

GS

કામરેજની વલથાણ ચોકડી નજીક બે દિવસ પહેલા લક્ઝરી બસ અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં બાઈક સવાર માકણા ગામનાં બે સગા ભાઈઓના કમકમાટી ભર્યા મોત થયા હતા, જેને પગલે ગ્રામજનોમાં ઉગ્ર રોષ હતો અને એ રોષ આજે નેશનલ હાઇવે ૪૮ પર જોવા મળ્યો.

માકણા ગામના બે ભાઈઓના માર્ગ અકસ્માતમાં મૃત્યુ થતાં ગ્રામજનોનું ચક્કાજામ

માકણા ગામના લોકોએ ગામમાં એકઠા થઇ બન્ને સગા ભાઈઓને શ્રધ્ધાંજલી આપી હતી અને આવી ઘટના બીજી વાર ન બને તે માટે સુરત જિલ્લા કલેકટર, મામલતદાર અને કામરેજ પોલીસ ઇન્સ્પેક્ટરને આવેદન આપ્યું હતું.

નેશનલ હાઇવે ૪૮ પર આવેલી આ વલઠાણ ચોકડી પર અવાર-નવાર જીવલેણ અકસ્માત થતાં રહે છે અને અનેકો લોકો પોતના જીવ ગુમાવે છે. ગ્રામજનોએ વારંવાર આ વલઠાણ ચોકડી પર ઓવરબ્રિજ બનાવવાની માંગ કરી ચુક્યા છે, અનેકવાર સત્તાધીશો અને અધિકારીઓને રજુઆત કરી છે, રજુઆત બાદ ઓવરબ્રીજ મંજુર પણ કરી દેવામાં આવ્યો છે પણ બ્રિજનું નિર્માણ કરવામાં આવતું નથી.

કામરેજની વલથાણ ચોકડી નજીક બે દિવસ પહેલા લક્ઝરી બસ અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં બાઈક સવાર માકણા ગામનાં બે સગા ભાઈઓના કમકમાટી ભર્યા મોત થયા હતા, જેને પગલે ગ્રામજનોમાં ઉગ્ર રોષ હતો અને એ રોષ આજે નેશનલ હાઇવે ૪૮ પર જોવા મળ્યો.

માકણા ગામના બે ભાઈઓના માર્ગ અકસ્માતમાં મૃત્યુ થતાં ગ્રામજનોનું ચક્કાજામ

માકણા ગામના લોકોએ ગામમાં એકઠા થઇ બન્ને સગા ભાઈઓને શ્રધ્ધાંજલી આપી હતી અને આવી ઘટના બીજી વાર ન બને તે માટે સુરત જિલ્લા કલેકટર, મામલતદાર અને કામરેજ પોલીસ ઇન્સ્પેક્ટરને આવેદન આપ્યું હતું.

નેશનલ હાઇવે ૪૮ પર આવેલી આ વલઠાણ ચોકડી પર અવાર-નવાર જીવલેણ અકસ્માત થતાં રહે છે અને અનેકો લોકો પોતના જીવ ગુમાવે છે. ગ્રામજનોએ વારંવાર આ વલઠાણ ચોકડી પર ઓવરબ્રિજ બનાવવાની માંગ કરી ચુક્યા છે, અનેકવાર સત્તાધીશો અને અધિકારીઓને રજુઆત કરી છે, રજુઆત બાદ ઓવરબ્રીજ મંજુર પણ કરી દેવામાં આવ્યો છે પણ બ્રિજનું નિર્માણ કરવામાં આવતું નથી.

R_GJ_SUR_01_19JUNE_HIGWAY CHAKKAJAM_GJ10025



નેશનલ હાઇવે ૪૮ પર ચક્કાજામ,માકણા ગામ ના બે સગાભાઈ ના માર્ગ અકસ્માત માં મોત થતા ગ્રામજનો એ કર્યું ચક્કાજામ,ચક્કાજામ ને પગલે સર્જાયો ટ્રાફિક જામ.


એન્કર:- 

કામરેજ ના વલથાણ ચોકડી નજીક બે દિવસ પહેલા લક્ઝરી બસ અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો જેમાં બાઈક સવાર માકણા ગામ ના બે સગા ભાઈઓ ના કમકમાટી ભર્યા મોત થયા હતા,જેને પગલે ગ્રામજનો માં ઉગ્ર રોષ હતો અને એ રોષ આજે નેશનલ હાઇવે ૪૮ પર જોવા મળ્યો.

બાઈટ:-હિંમત કાતરિયા_ગ્રામજન

વિઓ:- આ દ્રશ્ય છે નેશનલ હાઇવે ૪૮ પર આવેલા વલઠાણ ચોકડી ના છે,લોકો રસ્તા પર બેસી સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.લોકો માં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે,લોકો એટલા માટે ગુસ્સે ભરાયા છે કે માકણા ગામ ના આહીર સમાજ ના બે સગા ભાઈ ઓ ની બાઈક ને લક્ઝરી બસે ટક્કર મારી હતી જેના લીધે ઘટના સ્થળે જ બન્ને સગા ભાઈઓ ના મોત થઈ ગયા હતા,આ પગલે માકણા ગામ ના લોકો એ ગામ માં એકઠા થઇ બન્ને સગા ભાઈઓ ને શ્રધ્ધાંજલી આપી હતી,અને આવી ઘટના બીજી વાર ન બને તે માટે સુરત જિલ્લા કલેકટર,મામલતદાર અને કામરેજ પોલીસ ઇન્સ્પેક્ટર ને આવેદન આપ્યું હતું

બાઈટ:- જગદીશ કાતરિયા_ગ્રામજન


વિઓ:-

નેશનલ હાઇવે ૪૮ પર આવેલી આ વલઠાણ ચોકડી પર વારંવાર આગ જીવલેણ અકસ્માત બનતા રહે છે અને અનેકો લોકો પોતના જીવ ગુમાવે છે,ગ્રામજનો એ વારંવાર આ વલઠાણ ચોકડી પર ઓવરબ્રિજ બનાવવાની માંગ કરી ચુક્યા છે,અનેક વાર સત્તાધીશો અને અધિકારી ઓ ને રજુઆત કરી ચુક્યા છે,રજુઆત પછી ઓવરબ્રિજ મંજુર પણ કરી દેવામાં આવ્યો છે પણ કયા કારણોસર બ્રિજ નથી બનતો તે એક પ્રશ્ન છે.


બાઈટ:-મહેન્દ્ર આહીર_ગ્રામજન

વિઓ:-

"વલઠાણ ચોકડી એટલે મોત ની ચોકડી" 
વારંવાર બનતા અકસ્માતો ને પગલે ગ્રામજનો એ આ ચોકડી પર ઓવરબ્રિજ ની માંગ કરી હતી,ઓવરબ્રિજ મંજુર પણ કરવામાં આવ્યો હતો પરંતુ ઓવરબ્રિજ મંજુર થયા પછી પણ આ ચોકડી પણ ઓવરબ્રિજ બનવામાં આવ્યો નથી,આ ઓવરબ્રિજ ને લઈ રોષે ભરાયેલા ગ્રામજનો એ નેશનલ હાઈ વે પર ચક્કાજામ કર્યો હતો અને ઓવરબ્રિજ જલ્દી થી આ ચોકડી પર બનાવમાં આવે તેવી માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.