ETV Bharat / state

ગ્રામ્યજનોના વિરોધ વચ્ચે પોલીસ બંદોબસ્ત સાથે નીકળ્યો દલિત સમાજનો વરઘોડો

સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના સીતવાડા બોરીયા ગામે દલિત સમાજનો વરઘોડો યોજવાની બાબતે વિરોધાભાસ જોવા મળ્યો છે. દલિત સમાજ અને ગ્રામજનો સામસામે આવી જતા વાતાવરણ ઉગ્ર બન્યું હતું. બાદમાં પોલીસ કાફલો ખડકી દેવાતા ગામમાં પુનઃ શાંતિ સ્થપાઈ છે.

author img

By

Published : May 10, 2019, 7:28 PM IST

દલિત સમાજ

ભારત વર્ષની આઝાદીને સાત દાયકા વિતિ જવા છતાં હાલ પણ ગ્રામ્ય કક્ષાએ જાતિ વચ્ચેના ભેદભાવો યથાવત્ જોવા મળી રહ્યાં છે. આવું જ એક ઉદાહરણ સાબરકાંઠા જિલ્લામાં જોવા મળ્યું. સમરસતાની વાતો વચ્ચે પ્રાંતિજ તાલુકાના સીતવાડા બોરીયા ગામમાં દલિત સમાજનો વરઘોડો કાઢવા બાબતે ગ્રામજનોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. તેના કારણે ગામમાં દલિત સમાજ અને ગ્રામજનો વચ્ચે મતમતાંતર થતા વાતાવરણ ઉગ્ર બન્યુ હતુ. બંને સમાજ સામસામે આવી જતા પરિસ્થિતિ વણસી હતી. આ ઘટનાની જાણ પોલીસ વિભાગને થતાં સમગ્ર જિલ્લાની પોલીસ દોડતી થઈ હતી. તેમજ પોલીસ સુરક્ષા વચ્ચે દલિત સમાજના લોકોએ પોતાના વરઘોડો ગામમાં ફેરવ્યો હતો.

ગ્રામ્યજનોના વિરોધ વચ્ચે પોલીસ બંદોબસ્ત સાથે નીકળ્યો દલિત સમાજનો વરઘોડો

પોલીસ પ્રોટેક્શનના કારણે શાંતિમય માહોલમાં વરઘોડો પૂર્ણ થયો હતો. મોટી સંખ્યામાં પોલીસ જવાનો આ ગામમાં ઠાલવી દેવાના કારણે ગામમાં પુનઃ શાંતિ સ્થપાઈ હતી.

આ પ્રકારની ઘટનાઓ સભ્ય સમાજ અને આઝાદ ભારત માટે શરમજનક હોવાથી લોકો જાતિવાદને પાછળ મૂકી નવા ભારત તરફ આગળ વધે, ઉપરાંત જાગૃતતા કેળવી સામાજિક સુધારા તરફ આગેકુચ કરે તે જરુરી બન્યું છે.

ભારત વર્ષની આઝાદીને સાત દાયકા વિતિ જવા છતાં હાલ પણ ગ્રામ્ય કક્ષાએ જાતિ વચ્ચેના ભેદભાવો યથાવત્ જોવા મળી રહ્યાં છે. આવું જ એક ઉદાહરણ સાબરકાંઠા જિલ્લામાં જોવા મળ્યું. સમરસતાની વાતો વચ્ચે પ્રાંતિજ તાલુકાના સીતવાડા બોરીયા ગામમાં દલિત સમાજનો વરઘોડો કાઢવા બાબતે ગ્રામજનોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. તેના કારણે ગામમાં દલિત સમાજ અને ગ્રામજનો વચ્ચે મતમતાંતર થતા વાતાવરણ ઉગ્ર બન્યુ હતુ. બંને સમાજ સામસામે આવી જતા પરિસ્થિતિ વણસી હતી. આ ઘટનાની જાણ પોલીસ વિભાગને થતાં સમગ્ર જિલ્લાની પોલીસ દોડતી થઈ હતી. તેમજ પોલીસ સુરક્ષા વચ્ચે દલિત સમાજના લોકોએ પોતાના વરઘોડો ગામમાં ફેરવ્યો હતો.

ગ્રામ્યજનોના વિરોધ વચ્ચે પોલીસ બંદોબસ્ત સાથે નીકળ્યો દલિત સમાજનો વરઘોડો

પોલીસ પ્રોટેક્શનના કારણે શાંતિમય માહોલમાં વરઘોડો પૂર્ણ થયો હતો. મોટી સંખ્યામાં પોલીસ જવાનો આ ગામમાં ઠાલવી દેવાના કારણે ગામમાં પુનઃ શાંતિ સ્થપાઈ હતી.

આ પ્રકારની ઘટનાઓ સભ્ય સમાજ અને આઝાદ ભારત માટે શરમજનક હોવાથી લોકો જાતિવાદને પાછળ મૂકી નવા ભારત તરફ આગળ વધે, ઉપરાંત જાગૃતતા કેળવી સામાજિક સુધારા તરફ આગેકુચ કરે તે જરુરી બન્યું છે.

Intro:એન્કર-એક તરફ આઝાદી ના 70 વર્ષ બાદ સામાજિક સમરસતા ની વાતો થાય છે ત્યારે આજે પણ કેટલાક ગામડાઓમાં વિરોધાભાસ જોવા મળે છે. વાત છે સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના સીતવાડા બોરીયા ગામે દલિત સમાજ ના વરઘોડો યોજાવા બાબતે હંગામો સર્જાતા સમગ્ર જિલ્લાની પોલીસ દોડતી થઈ હતી જોકે હાલ માં સ્થાનિક કક્ષાએ શાંતિનો માહોલ સર્જાયો છે


Body:સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના સીતવાડા બોરીયા ગામે આજે સવારે દલિત સમાજ ના વરઘોડો યોજાવા બાબતે સ્થાનિક ગ્રામજનો અને દલીત સમાજ ના લોકો વચ્ચે હંગામો સર્જાયો હતો.જેના પગલે તકેદારીના ભાગ રૂપે સમગ્ર જિલ્લાની પોલીસ સમસ્ત ગામ માં ખડકી દેવાઈ હતી.તેમજ પોલીસ પ્રોટેકશન હેઠળ સમગ્ર ગામમાં વરઘોડો ફેરવાયો હતો જોકે આ સમય દરમિયાન કોઈપણ પ્રકારનો વિરોધાભાસ સર્જાયો ન હતો.તેમજ હાલ માં સમગ્ર ગામ માં શાંતિનો માહોલ સર્જાયો છે


Conclusion:જોકે આ વિસ્તારમાં સામાજિક વિરોધાભાસ ને પગલે હવે જાગૃત થવાની જરૂર છે ત્યારે સામાજીક જાગૃતિ ક્યારે આવશે એ એક સવાલ છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.