ETV Bharat / state

ધોરાજીમાં ભૂગર્ભ ગટર છલકાતાં ગંદકીનું સામ્રાજ્ય, લોકો પરેશાન - dirt flooding

રાજકોટઃ જિલ્લાના ધોરાજી શહેરમાં 5 વર્ષ પહેલા બનાવેલી ભૂગર્ભ ગટર યોજના હાલ લોકો માટે માથાનો દુખાવો સાબિત થઈ રહી છે. મનફાવે તેમ ધોરાજીનાં રોડ-રસ્તાનું ખોદકામ કરી નાખ્યું છે અને યોગ્ય આયોજન કર્યા વગર ભૂગર્ભ ગટર યોજના ધોરાજીમાં નાંખી દેવામાં આવતા આ સમસ્યા સામે આવી છે.

dhoraji
author img

By

Published : Sep 20, 2019, 10:37 AM IST

હાલ ધોરાજી નગરપાલિકા વોર્ડ નંબર-6 અને ભુતનાથ મંદિર વિસ્તારમાં ભૂગર્ભ ગટર યોજના માથાનો દુખાવો બની છે. ભૂગર્ભ ગટરની ચેમ્બરો હંમેશા પાણીથી છલકાતી રહે છે. જેથી સ્થાનિકો અને રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ભૂતનાથ મંદિર તથા સ્મશાનનો રસ્તો તથા આજ વિસ્તારમાંથી નીકળતા ત્યાં રહેતા લોકોને તકલીફો પડી રહી છે.

ધોરાજીમાં ભૂગર્ભ ગટર છલકાતાં ગંદકીનું સામ્રાજ્ય

ભૂગર્ભ ગટરમાં ઉભરાતું પાણી મુખ્ય માર્ગ પર ફળી વળે છે અને ગંદકીનું સામ્રાજ્ય ખડકાયેલુ જોવાં મળે છે. આ મુદ્દે જવાબદાર તંત્રને અનેક વખત રજુઆત કરવા છતાં, તેનું નિરાકરણ આવતું નથી. કોન્ટ્રાક્ટરો કે, જવાબદાર તંત્ર થુંકનાં સાંધા કરીને વેઠ ઊતારી ચાલ્યા જાય છે અને કાયમીની સમસ્યા ઉભી રહે છે.

હાલ ધોરાજી નગરપાલિકા વોર્ડ નંબર-6 અને ભુતનાથ મંદિર વિસ્તારમાં ભૂગર્ભ ગટર યોજના માથાનો દુખાવો બની છે. ભૂગર્ભ ગટરની ચેમ્બરો હંમેશા પાણીથી છલકાતી રહે છે. જેથી સ્થાનિકો અને રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ભૂતનાથ મંદિર તથા સ્મશાનનો રસ્તો તથા આજ વિસ્તારમાંથી નીકળતા ત્યાં રહેતા લોકોને તકલીફો પડી રહી છે.

ધોરાજીમાં ભૂગર્ભ ગટર છલકાતાં ગંદકીનું સામ્રાજ્ય

ભૂગર્ભ ગટરમાં ઉભરાતું પાણી મુખ્ય માર્ગ પર ફળી વળે છે અને ગંદકીનું સામ્રાજ્ય ખડકાયેલુ જોવાં મળે છે. આ મુદ્દે જવાબદાર તંત્રને અનેક વખત રજુઆત કરવા છતાં, તેનું નિરાકરણ આવતું નથી. કોન્ટ્રાક્ટરો કે, જવાબદાર તંત્ર થુંકનાં સાંધા કરીને વેઠ ઊતારી ચાલ્યા જાય છે અને કાયમીની સમસ્યા ઉભી રહે છે.

Intro:એન્કર :- ધોરાજી નગરપાલિકા વોર્ડ નંબર ૬ અને ભૂતનાથ મંદિર વિસ્તારમાં ભૂગર્ભ ગટર છલકાતાં લોકો પરેશાન અને ગંદકી નું સામ્રાજ્ય.

વિઓ : ધોરાજી શહેર માં પાંચ વર્ષ પહેલા બનાવેલ ભૂગર્ભ ગટર યોજના હાલ લોકો માટે માથાનો દુખાવો સમાન સાબિત થઈ રહયો છે મનફાવે તેમ ખોદકામ કરી ધોરાજી નાં રોડ રસ્તા ઓ ખોદી નાખ્યા અને યોગ્ય આયોજન કર્યા વિનાં ભૂગર્ભ ગટર યોજના ધોરાજી માં નાંખી દેવામાં આવી ત્યારે હાલ ધોરાજી નગરપાલિકા વોર્ડ નંબર ૬ અને ભુતનાથ મંદિર વિસ્તાર માં ભૂગર્ભ ગટર યોજના માથાં નાં દુખાવો સમાન સાબિત થઈ રહયો છે ભૂગર્ભ ગટર ની ચેમ્બરો હમેશા પાણી ઓથી છલકાતી રહે છે ત્યાના લોકો રાહદારીઓ ને ભારે પરેશાની વેઠવાનો વારો આવ્યો છે ભૂતનાથ મંદિર તથા સ્મશાન નો રસ્તો તથા આજ વિસ્તારમાં રહેતા લોકો ને ઘણી જ તકલીફો પડી રહી છે ભૂગર્ભ ગટર માં ઉભરાતું પાણી મુખ્ય માર્ગ પર ફળી વળે છે ગંદકી નું સામ્રાજ્ય ખડકાયેલુ જોવાં મળે છે જવાબદાર તંત્ર ને અનેક વખત રજુઆત કરવા છતાં આનું નિરાકરણ આવતું નથી લોકો ની ધાર્મિક લાગણી દુભાય છે અને કોન્ટ્રાકટરો કે જવાબદાર તંત્ર થુક નાં સાંધા કરીને વેઠ કરીને ચાલ્યા જાય છે કાયમી ની સમસ્યા ઉભી રહે છે.Body:બાઈટ :- સલીમ શેખ (સ્થાનિક આગેવાન - ધોરાજી)Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.