રાજકોટ બિગ બજારની પાછળ આવેલા સમરથ એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી. જેમાં નેપાળી પરિવારના 3 વર્ષના બાળક આયુષચંદ અને 6 વર્ષની બાળકી શ્રીસ્ટી શેરબહાદુર ચંદના મોત થયા છે. સમરથ એપાર્ટમેન્ટના બિલ્ડરે નેપાળી પરિવારને ઇલેક્ટ્રિક રૂમમાં રહેવાની વ્યવસ્થા કરી આપી હતી. આ દુર્ઘટનાને પગલે એપાર્ટમેન્ટમાં રહેતા તમામ રહેવાસીઓ ભાગી છૂટ્યા છે. જેમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે.
આ આગમાં ઇલેક્ટ્રિક રૂમના સામાન સહિત 3.80 લાખ રૂપિયા રોકડા બળીને ખાખ થઈ ગયા છે. ત્યારે આ મામલે યોગ્ય પોલીસ તપાસની માગ સાથે મોટી સંખ્યામાં નેપાળી પરિવારો સિવિલ હોસ્પિટલમાં ઉમટ્યાં છે.