રોજકોટ : માં ની માતા એટલે નાનીમાં, માં થી પણ વધારે પ્રેમ અને લાગણી એટલે નાનીમાં પરંતુ ટ્રાફિકથી સતત ધમધમતા રહેતા ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે ઉપર શાપર વેરાવળ ઔદ્યોગિક વસાહત પોલીસ ચોકીના પીએસઆઇ એન વી હરિયાણીના નાનીમાં દેવકુંવરબા ગોવિંદરામજી દૂધરેજીયાનું નિધન થયું હતું.
આ દુઃખદ સમયમાં પરિવાર સાથે ન રહી તેઓ હાલ દેશ પર કોરોના મહામારી આવી પડી છે તેથી તેઓ દેશ માટે પોતાની ફરજ નિભાવી રહ્યા હતા.
પીએસઆઇ હરીયાણી એ જણાવ્યું હતું કે, બે દિવસ પહેલાં જ નાનીમાં સાથે મોબાઇલ ફોન પર વાત થઇ હતી અને કહ્યું હતું કે, આ કપરા સમયમાં તારું અને તારા પરિવારનું ધ્યાન રાખજે આથી વિશેષ કશું બોલી શક્યા ન હતા. તેઓના એકેએક શબ્દ મારા મનમગજમાં ઘૂમી રહ્યા છે, તેઓના આશીર્વાદથી જ સમાધી વિધિમાં જવા કરતા મારી ફરજ નિષ્ઠા00ને પ્રાથમિકતા આપી રહ્યો છું.