ETV Bharat / state

Rajkot News: મહિલા સરપંચે મુખ્યમંત્રીને લખ્યો પત્ર, હાર્ટ એટેકથી મૃત્યું પામેલા વ્યક્તિના પરિવારને આર્થિક સહાયની કરી રજૂઆત

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 6, 2023, 6:31 AM IST

Updated : Nov 6, 2023, 9:27 AM IST

ધોરાજીના ઝાંઝમેર ગામના મહિલા સરપંચે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. પોતાના પત્રમાં તેમણે રાજ્યમાં વધી રહેલાં હાર્ટ એટેકના બનાવોના કારણે ઘણા પરિવારના મોભી કે મુખ્ય કમાનાર વ્યક્તિ ગુમાવનાર પરિવારને આર્થિક સહાયની માંગ કરતી રજૂઆત કરી છે.

મહિલા સરપંચનો મુખ્યમંત્રીને પત્ર
મહિલા સરપંચનો મુખ્યમંત્રીને પત્ર
હાર્ટ એટેકથી મૃત્યું પામેલા વ્યક્તિના પરિવારને આર્થિક સહાયની માંગ સાથે મહિલા સરપંચનો મુખ્યમંત્રીને પત્ર

રાજકોટ: ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામના મહિલા સરપંચ દ્વારા વધતા જતા હાર્ટ એટેકના કેસના કારણે થઈ રહેલાં મૃત્યુને પગલે મૃતક વ્યક્તિના પરિવારને સહાય ચૂકવવાની માંગ સાથે ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાનને પત્ર લખી સહાયની માંગ કરી છે, જેમાં મૃતકના પરિવારને આર્થિક સહાય ચૂકવવામાં આવે જેથી પરિવારને આર્થિક મદદ મળે તેવી માંગ આ પત્રમાં કરવામાં આવી છે.

મહિલા સરપંચનો મુખ્યમંત્રીને પત્ર: ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામના મહિલા સરપંચ કિરણબેન પુનિતભાઈ બગડાએ ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાનને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના કારણે અનેક લોકોના મૃત્યુ થઈ રહ્યાં છે. જેથી અચાનક થતાં મૃત્યુના કારણે પરિવારનો મુખ્ય વ્યક્તિ અથવા તો પરિવારનો મુખ્ય કમાવનાર વ્યક્તિ ગુમાવનાર પરિવાર લાચાર બની જાય છે. ત્યારે આવા પરિવારોને આર્થિક સંકળામણ ભોગવવાનો વારો આવે છે, અને તેમની મુસીબતોમાં વધારો થઈ થાય છે. ત્યારે આવું આર્થિક સંકટ દૂર કરી શકવા માટે સરકારને વિનંતી કરી છે કે, મૃત્યુ પામનારના પરિવારને મૃત્યુ સહાય આપવાની જોગવાઈ આપવામાં આવે.

હાર્ટ એટેકની વધતી ઘટનાઓ: મહત્વપૂર્ણ છે કે, વર્તમાન સમયમાં જે રીતે છેલ્લા ઘણા સમયથી દિવસે ને દિવસે હાર્ટ એટેકના કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, જેમાં યુવાનોથી લઈને મોટી ઉંમરના લોકો હૃદય રોગના હુમલાનો બહોળા પ્રમાણમાં ભોગ બની રહ્યા છે, અને હૃદય રોગના કારણે જીવ ગુમાવવાના પણ કિસ્સાઓ પણ વધી રહ્યા છે. ત્યારે આવા કિસ્સાઓમાં ઘણા કિસ્સાઓની અંદર પરિવારના મોભી અથવા તો મુખ્ય કમાવનાર વ્યક્તિ હાર્ટ એટેકના કારણે મૃત્યુ પામે છે જેથી તેમના પરિવારને આર્થિક સામાજિક સંકળામણનો ભોગ બનવો પડે છે. તે બાબતે સરકાર દ્વારા મૃત્યું સહાય ચૂકવવામાં આવે તેવી માંગ સાથે ઝાંઝમેરના મહિલા સરપંચે મુખ્ય પ્રધાનને પત્ર લખી લેખિત સહાયની માંગ કરતી રજૂઆત કરી છે.

  1. Heart Disease : આધુનિક ખોરાક પદ્ધતિ અને અનિયમિત દિનચર્યા હૃદયરોગને આપે છે નિમંત્રણ, જૂનાગઢના તબીબનો પ્રતિભાવ
  2. Heart Attack: હાર્ટ એટેકના બનાવોને લઈને આનંદીબહેનની ચિંતા- એક વર્ષમાં કેટલા યુવાનો મૃત્યુ પામ્યા તેનો સ્ટડી કરાવો

હાર્ટ એટેકથી મૃત્યું પામેલા વ્યક્તિના પરિવારને આર્થિક સહાયની માંગ સાથે મહિલા સરપંચનો મુખ્યમંત્રીને પત્ર

રાજકોટ: ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામના મહિલા સરપંચ દ્વારા વધતા જતા હાર્ટ એટેકના કેસના કારણે થઈ રહેલાં મૃત્યુને પગલે મૃતક વ્યક્તિના પરિવારને સહાય ચૂકવવાની માંગ સાથે ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાનને પત્ર લખી સહાયની માંગ કરી છે, જેમાં મૃતકના પરિવારને આર્થિક સહાય ચૂકવવામાં આવે જેથી પરિવારને આર્થિક મદદ મળે તેવી માંગ આ પત્રમાં કરવામાં આવી છે.

મહિલા સરપંચનો મુખ્યમંત્રીને પત્ર: ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામના મહિલા સરપંચ કિરણબેન પુનિતભાઈ બગડાએ ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાનને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના કારણે અનેક લોકોના મૃત્યુ થઈ રહ્યાં છે. જેથી અચાનક થતાં મૃત્યુના કારણે પરિવારનો મુખ્ય વ્યક્તિ અથવા તો પરિવારનો મુખ્ય કમાવનાર વ્યક્તિ ગુમાવનાર પરિવાર લાચાર બની જાય છે. ત્યારે આવા પરિવારોને આર્થિક સંકળામણ ભોગવવાનો વારો આવે છે, અને તેમની મુસીબતોમાં વધારો થઈ થાય છે. ત્યારે આવું આર્થિક સંકટ દૂર કરી શકવા માટે સરકારને વિનંતી કરી છે કે, મૃત્યુ પામનારના પરિવારને મૃત્યુ સહાય આપવાની જોગવાઈ આપવામાં આવે.

હાર્ટ એટેકની વધતી ઘટનાઓ: મહત્વપૂર્ણ છે કે, વર્તમાન સમયમાં જે રીતે છેલ્લા ઘણા સમયથી દિવસે ને દિવસે હાર્ટ એટેકના કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, જેમાં યુવાનોથી લઈને મોટી ઉંમરના લોકો હૃદય રોગના હુમલાનો બહોળા પ્રમાણમાં ભોગ બની રહ્યા છે, અને હૃદય રોગના કારણે જીવ ગુમાવવાના પણ કિસ્સાઓ પણ વધી રહ્યા છે. ત્યારે આવા કિસ્સાઓમાં ઘણા કિસ્સાઓની અંદર પરિવારના મોભી અથવા તો મુખ્ય કમાવનાર વ્યક્તિ હાર્ટ એટેકના કારણે મૃત્યુ પામે છે જેથી તેમના પરિવારને આર્થિક સામાજિક સંકળામણનો ભોગ બનવો પડે છે. તે બાબતે સરકાર દ્વારા મૃત્યું સહાય ચૂકવવામાં આવે તેવી માંગ સાથે ઝાંઝમેરના મહિલા સરપંચે મુખ્ય પ્રધાનને પત્ર લખી લેખિત સહાયની માંગ કરતી રજૂઆત કરી છે.

  1. Heart Disease : આધુનિક ખોરાક પદ્ધતિ અને અનિયમિત દિનચર્યા હૃદયરોગને આપે છે નિમંત્રણ, જૂનાગઢના તબીબનો પ્રતિભાવ
  2. Heart Attack: હાર્ટ એટેકના બનાવોને લઈને આનંદીબહેનની ચિંતા- એક વર્ષમાં કેટલા યુવાનો મૃત્યુ પામ્યા તેનો સ્ટડી કરાવો
Last Updated : Nov 6, 2023, 9:27 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.