રાજકોટઃ ગોંડલ SRP ગૃપ-8, ગોંડલ બી-કંપની વર્ગ-4ના સફાઇ-કર્મચારી ચનાભાઈ કેશવભાઇ જેઠવાનું જૂનાગઢ શહેર ખાતે ફરજ દરમિયાન આકસ્મિક અવસાન થયુ હતુ. જેથી જુથ-8, ગોંડલના અધિકારી, કર્મચારીઓ દ્વારા સ્વૈચ્છીક ફાળો ઉઘરાવી રૂપિયા 1,62,550/ (અંકે રૂપિયા એક લાખ બાસઠ હજાર પાંચસો પચાસ પુરા) એકત્રિત કરી તેમના પત્ની નિમુબેન ચનાભાઇ જેઠવા તથા તેમના પુત્ર સુરેશને દળ જુથ-8, ગોંડલ ખાતે સેનાપતિ ડૉ. જે.એમ. ચાવડા તથા DYSP એમ.ડી. પરમાર દ્વારા રૂબરૂમાં રોકડ મદદ કરવામાં આવી હતી.
ગોંડલ SRP કર્મચારીના પરિવારજનોને રોકડ સહાય કરવામાં આવી
ગોંડલના SRP કર્મચારી જૂનાગઢ શહેરમાં ફરજ બજાવતા હતા. ફરજ દરમિયાન તેમનું આકસ્મિક અવસાન થયુ હતુ. ગોંડલના અધિકારી દ્વારા તેમના પરિવારને સ્વૈચ્છીક ફાળો ઉઘરાવી રૂપિયા 1,62,550/ મદદ કરવામાં આવી હતી.
રાજકોટઃ ગોંડલ SRP ગૃપ-8, ગોંડલ બી-કંપની વર્ગ-4ના સફાઇ-કર્મચારી ચનાભાઈ કેશવભાઇ જેઠવાનું જૂનાગઢ શહેર ખાતે ફરજ દરમિયાન આકસ્મિક અવસાન થયુ હતુ. જેથી જુથ-8, ગોંડલના અધિકારી, કર્મચારીઓ દ્વારા સ્વૈચ્છીક ફાળો ઉઘરાવી રૂપિયા 1,62,550/ (અંકે રૂપિયા એક લાખ બાસઠ હજાર પાંચસો પચાસ પુરા) એકત્રિત કરી તેમના પત્ની નિમુબેન ચનાભાઇ જેઠવા તથા તેમના પુત્ર સુરેશને દળ જુથ-8, ગોંડલ ખાતે સેનાપતિ ડૉ. જે.એમ. ચાવડા તથા DYSP એમ.ડી. પરમાર દ્વારા રૂબરૂમાં રોકડ મદદ કરવામાં આવી હતી.