ETV Bharat / state

રાજકોટમાં કરમાળ કોટડા ગામેથી નવજાત શિશુ જીવિત હાલતમાં મળી આવ્યું

author img

By

Published : Nov 23, 2019, 10:34 PM IST

રાજકોટ :ગોંડલ તાલુકાના કરમાળ કોટડા ગામની નદી કિનારે નવજાત શિશુ જીવિત હાલતમાં મળી આવ્યું હતું. આ જાણ પશુપાલક અને ગામના સરપંચને થતાં શિશુને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સની મદદથી ગોંડલ સરકારી દવાખાને લાવવામાં આવ્યું હતું. નવજાત શિશુને ત્યજીને નાસી જતી માતા પર ગ્રામજનોએ ફિટકાર વરસાવી હતી.

etv bharat

વર્તમાન સમયમાં ઘણા દંપતીઓ નિ:સંતાનપણાથી પીડાઈ રહ્યાં છે. ત્યારે કરમાળ નદીના કિનારેથી 3 દિવસનું નવજાત શિશુ મળી આવ્યું છે. જેને હાલ સારવાર હેઠળ ગોંડલ સરકરી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. નવજાત શિશુને હાલત જોઈને ગ્રામજનોએ બાળકની માતા પ્રત્યે રોષ વ્યક્ત કર્યો હતો. સાથે તેને આકરી સજા અપાવાની માગ કરી હતી.

રાજકોટમાં કરમાળ કોટડા ગામેથી નવજાત શિશુ જીવિત હાલતમાં મળી આવ્યું

આ બનાવ અંગે ગામના સરપંચ સુરેશભાઈ બેરાણીએ જણાવ્યું હતું કે, "ગામમાં જ રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતાં ભગાભાઈ બાબરીયા સવારે પોતાનું પશુધન લઈ ચારો ચરાવી રહ્યા હતા. ત્યારે નદી કિનારે બાળકના રુદનનો અવાજ સંભળાતા ક્ષણભર ગભરાઈ ગયા હતા. ત્યારબાદ અન્ય લોકોને બોલાવી રૂદનનો અવાજ આવી રહ્યો હતો. ત્યાં પહોંચી નજર કરતા કાળી ધાબડીમાં વીંટેલી હાલતમાં એક નવજાત પુત્ર રૂપી બાળક મળી આવ્યું હતું. બાદમાં સાણથલીની 108 એમ્બ્યુલન્સના પાયલોટ સંજય સાંબડ, ઈ. એમ.ટી હેમંત શેખ દ્વારા નવજાત શિશુની પ્રાથમિક સારવાર કરી ગોંડલ સરકારી દવાખાને લાવવામાં આવ્યું હતું.

આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ ગોંડલ બાલાશ્રમ કમિટીના ચેરમેન અનીતાબેન રાજ્યગુરુ તેમજ માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ પ્રફુલભાઈ રાજ્યગુરુને ઘટનાની જાણ થતાં બંને સરકારી દવાખાને દોડી આવ્યા હતા. તેમજ પોલીસને જાણ કરી નવજાત બાળકનો કબજો બાલાશ્રમે મેળવી લીધો હતો. હાલ, આ અઢી કિલોનું વજન ધરાવતા નવજાત શિશુને ગોંડલ સરકારી દવાખાનામાં તબીબની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યું છે.


આ અંગે કરમાળાના ગ્રામજનોએ રોષ ઠાવતાં જણાવ્યું હતું કે, "શિયાળાની શરૂઆત થઈ જેથી નદી કિનારે પરોઢીએ ઠંડીનું વાતાવરણ પણ વધારે હોય છે. ત્યારે આ નિષ્ઠુર માતાએ કઈ મજબૂરીમાં પોતાના કાળજાના કટકાને તરછોડ્યું હશે. નદી કિનારે શ્વાન સહિતના પ્રાણીઓની અવર-જવર પણ વધુ રહેતી હોય છે. ત્યારે આ નવજાત બાળક હેમખેમ મળી આવતાં ગ્રામજનોએ હાશકારો પણ અનુભવ્યો હતો."

વર્તમાન સમયમાં ઘણા દંપતીઓ નિ:સંતાનપણાથી પીડાઈ રહ્યાં છે. ત્યારે કરમાળ નદીના કિનારેથી 3 દિવસનું નવજાત શિશુ મળી આવ્યું છે. જેને હાલ સારવાર હેઠળ ગોંડલ સરકરી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. નવજાત શિશુને હાલત જોઈને ગ્રામજનોએ બાળકની માતા પ્રત્યે રોષ વ્યક્ત કર્યો હતો. સાથે તેને આકરી સજા અપાવાની માગ કરી હતી.

રાજકોટમાં કરમાળ કોટડા ગામેથી નવજાત શિશુ જીવિત હાલતમાં મળી આવ્યું

આ બનાવ અંગે ગામના સરપંચ સુરેશભાઈ બેરાણીએ જણાવ્યું હતું કે, "ગામમાં જ રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતાં ભગાભાઈ બાબરીયા સવારે પોતાનું પશુધન લઈ ચારો ચરાવી રહ્યા હતા. ત્યારે નદી કિનારે બાળકના રુદનનો અવાજ સંભળાતા ક્ષણભર ગભરાઈ ગયા હતા. ત્યારબાદ અન્ય લોકોને બોલાવી રૂદનનો અવાજ આવી રહ્યો હતો. ત્યાં પહોંચી નજર કરતા કાળી ધાબડીમાં વીંટેલી હાલતમાં એક નવજાત પુત્ર રૂપી બાળક મળી આવ્યું હતું. બાદમાં સાણથલીની 108 એમ્બ્યુલન્સના પાયલોટ સંજય સાંબડ, ઈ. એમ.ટી હેમંત શેખ દ્વારા નવજાત શિશુની પ્રાથમિક સારવાર કરી ગોંડલ સરકારી દવાખાને લાવવામાં આવ્યું હતું.

આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ ગોંડલ બાલાશ્રમ કમિટીના ચેરમેન અનીતાબેન રાજ્યગુરુ તેમજ માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ પ્રફુલભાઈ રાજ્યગુરુને ઘટનાની જાણ થતાં બંને સરકારી દવાખાને દોડી આવ્યા હતા. તેમજ પોલીસને જાણ કરી નવજાત બાળકનો કબજો બાલાશ્રમે મેળવી લીધો હતો. હાલ, આ અઢી કિલોનું વજન ધરાવતા નવજાત શિશુને ગોંડલ સરકારી દવાખાનામાં તબીબની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યું છે.


આ અંગે કરમાળાના ગ્રામજનોએ રોષ ઠાવતાં જણાવ્યું હતું કે, "શિયાળાની શરૂઆત થઈ જેથી નદી કિનારે પરોઢીએ ઠંડીનું વાતાવરણ પણ વધારે હોય છે. ત્યારે આ નિષ્ઠુર માતાએ કઈ મજબૂરીમાં પોતાના કાળજાના કટકાને તરછોડ્યું હશે. નદી કિનારે શ્વાન સહિતના પ્રાણીઓની અવર-જવર પણ વધુ રહેતી હોય છે. ત્યારે આ નવજાત બાળક હેમખેમ મળી આવતાં ગ્રામજનોએ હાશકારો પણ અનુભવ્યો હતો."

Intro:એન્કર :- કરમાળ કોટડા ગામ ની નદી કિનારે નવજાત શિશુ જીવિત હાલત માં મળી આવ્યું.

વિઓ :- ગોંડલ તાલુકા ના કરમાળ કોટડા ગામ ની નદી કિનારે નવજાત શિશુને નિષ્ઠુર માતા ત્યજી ગઈ પશુપાલક અને ગામના સરપંચને જાણ થતાં નવજાત શિશુને ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ ની મદદથી ગોંડલ સરકારી દવાખાને લાવવામાં આવ્યું ગોંડલ તાલુકાના કરમાળ કોટડા ગામની કરમાળ નદીના કિનારે પરોઢિયે કોઈ નિષ્ઠુર માતા ત્રણ દિવસના નવજાત
શિશુને ત્યજી ને નાશી જતા ગ્રામજનોએ ફિટકાર વરસાવી હતી અને આગેવાનો "ધૂલ કા ફૂલ" નો કબજો લઇ સારવાર માટે સરકારી દવાખાને પહોંચ્યા હતા.

વર્તમાન સમયે ઘણા દંપતીઓ નિસંતાન પણાથી દુઃખ અનુભવી રહ્યા છે અને પથ્થર એટલા દેવ પુજી સંતાન માટે પ્રાર્થના કરી રહ્યા હોય છે ત્યારે કરમાળ નદીના કિનારે પરોઢિયે કોઈ નિષ્ઠુર માતા માત્ર ત્રણ દિવસના નવજાત શિશુને ત્યજી દઈ ચાલી જતા નાના એવા કરમાળ ગામમાં ચર્ચાનો વિષય બની જવા પામ્યો હતો બનાવ અંગે ગામના સરપંચ સુરેશભાઈ બેરાણી એ જણાવ્યું હતું કે ગામમાં જ રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતાં ભગાભાઈ બાબરીયા સવારે પોતાનું પશુધન લઈ ચારો ચરાવી રહ્યા હતા ત્યારે નદી કિનારે બાળકના રુદનનો અવાજ સંભળાતા ક્ષણભર ગભરાઈ ગયા હતા ત્યારબાદ અન્ય લોકોને બોલાવી રૂદનનો અવાજ આવી રહ્યો હતો ત્યાં પહોંચી નજર કરતા કાળી ધાબડી માં વીંટેલી હાલતમાં એક નવજાત પુત્ર રૂપી બાળક મળી આવ્યું હતું બાદમાં સાણથલીની 108 એમ્બ્યુલન્સના પાયલોટ સંજય સાંબડ, ઈ. એમ.ટી હેમંત શેખ દ્વારા નવજાત શિશુ ની પ્રાથમિક સારવાર કરી ગોંડલ સરકારી દવાખાને લાવવામાં આવ્યું હતું અને બનાવ અંગેની પોલીસને જાણ કરાઇ હતી ઘટનાની જાણ ગોંડલ બાલાશ્રમ કમિટીના ચેરમેન અનીતાબેન રાજ્યગુરુ તેમજ માનવ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ પ્રફુલભાઈ રાજ્યગુરુને થતા બંને સરકારી દવાખાને દોડી આવ્યા હતા પોલીસને જાણ કરી નવજાત બાળકનો કબજો બાલાશ્રમ દ્વારા સંભાળવામાં આવ્યો હતો હાલ આ અઢી કિલો નું વજન ધરાવતા નવજાત શિશુને ગોંડલ સરકારી દવાખાને તબીબની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યું છે.

ધૂલ કા ફૂલ સમાન આ કિસ્સા અંગે કરમાળાના ગ્રામજનો જણાવી રહ્યા હતા કે શિયાળાની શરૂઆત થઈ રહી છે નદી કિનારે પરોઢીએ ઠંડીનું વાતાવરણ પણ વધારે હોય છે ત્યારે આ નિષ્ઠુર માતા એ કઈ મજબૂરીમાં પોતાના કાળજાના કટકાને તરછોડ્યું હશે. કહેવત છે ને કે "રામ રાખે તેને કોણ ચાખે" નદી કિનારે સ્વાન સહિતના પ્રાણીઓની અવર જવર પણ વધુ રહેતી હોય છે ત્યારે આ નવજાત બાળક હેમખેમ મળી આવતાં ગ્રામજનોએ હાશકારો પણ અનુભવ્યો હતોBody:બાઈટ - ૦૧ - સુરેશભાઈ બેરાણી (કરમાળ કોટડા - સરપંચ)

બાઈટ - ૦૨ - ડો. હિરેન વિસાણી (સિવિલ હોસ્પિટલ - ગોંડલ)

બાઈટ - ૦૩ - પ્રફુલભાઈ રાજ્યગુરુ (માનવ સેવા ટ્રસ્ટ - ગોંડલ)Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.