પોરબંદરમાં આવેલ શેરા જીમના સંચાલક અલ્પેશ શર્માએ જણાંવ્યુ હતું કે, વર્તમાન સમયમાં અમુક ઉંમર બાદ મોટાભાગના લોકોને કરોડરજ્જુના દુ:ખાવાની સમસ્યા રહે છે. પોરબંદરના શેરા જીમમાં સ્પાઇનલના દર્દીઓ માટે વિના મૂલ્યે સારવાર આપવામાં આવે છે અને એક દિવસમાં 400 જેટલા કરોડરજ્જુના દર્દીઓ તેનો લાભ લઇ રહ્યા છે. આજે અસમાવતી રિવર ફ્રન્ટ ખાતે વર્લ્ડ સ્પાઇનલ ડે ની ઉજવણી કરાઈ હતી.
જ્યારે પોરબંદરના એક દર્દી ભીખુભાઈ સામાણીએ જણાવ્યું હતું કે, તેઓને ઘૂંટણની તકલીફ હોવાથી તબીબોએ બે લાખ જેટલો ખર્ચ થશે તેમ જણાવ્યું હતું પરંતુ શેરા જીમની વિનામૂલ્યે સારવારથી હવે ઓપરેશનની જરુર નથી રહી અને હું એકદમ તંદુરસ્ત છું.