ETV Bharat / state

પોરબંદરના કમલાબાગના રીપેરીંગ કામમાં થઈ રહ્યો છે ભ્રષ્ટાચાર: રામદેવ મોઢવાડીયા

author img

By

Published : Jun 30, 2020, 3:45 PM IST

પોરબંદરના કોંગ્રેસ આગેવાન રામદેવ મોઢવાડિયાએ પોરબંદર નગરપાલિકામાં 2016-17 દરમિયાન કમલાબાગ રિનોવેશન કામમાં પ્રજાના નાણાનો દૂરપયોગ થયો હોવાનો આક્ષેપ લગાવ્યો છે. સાથે જ આ કામમાં નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓએ નગરપાલિકાને 43 લાખનું નુકસાન કર્યુ હોવાનું જણાવ્યું હતું.

પોરબંદર
પોરબંદર

પોરબંદરઃ જિલ્લાના કમલાબાગ રિનોવેશન માટે રૂપિયા 2,72,33,399ના કામમાં તાંત્રિક મંજૂરી તારીખ 27 જૂન 2015ના રોજ આપવામાં આવી હતી. ટેન્ડર મેન્યુઅલ ક્લોઝના બે મુજબ 25 લાખથી ઉપરના ટેન્ડર નિવેદન એક લોકલ પેપરમાં અમદાવાદથી પ્રસિદ્ધ તથા દૈનિક પત્રમાં જાહેરાત આપવાની હોય છે. પરંતુ આ ટેન્ડર નિવિદા માત્ર એક જ પોરબંદરથી પ્રસિદ્ધ થતાં પેપરમાં આવી હતી.

પોરબંદરના કમલાબાગના રીપેરીંગ કામમાં થઈ રહ્યો છે ભ્રષ્ટાચાર: રામદેવ મોઢવાડીયા
આ ઉપરાંત એક કરોડથી પાંચ કરોડ સુધીના કામોની મંજૂરી નાણાં વિભાગનાના પરિપત્ર અન્વયે સચિવ માર્ગ અને મકાનની મંજૂરી લેવી ફરજીયાત છે પરંતુ આ કામની મંજૂરી લેવામાં આવી ન હતી.આ ઉપરાંત ગુજરાત સરકારના ખાણ ખનીજ વિભાગના તારીખ નવ પાંચ 1994ના ઠરાવને માર્ગ અને મકાન વિભાગના વિસ્તાર 2005ના ઠરાવ મુજબ આખરી બિલ ન ચુકવવા પહેલા વપરાયેલી ખનીજ મટિરિયલની રોયલ્ટી સંબંધે નો-ડયું સર્ટિફિકેટ મેળવ્યા વગરના આખરી બિલની ચુકવણી કરાઈ છે.

આ અંગે કોંગ્રેસના આગેવાન રામદેવભાઈ મોઢવાડીયાએ પાલિકા પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે,નગરપાલિકા દ્વારા એક એન્જિનિયર તપાસ માટે રાખવાનો હોય છે તે ન રાખી તેના પગારની રકમમાંથી કોન્ટ્રાક્ટરને મુક્તિ અપાઈ હતી. આમ, પ્રજામાં કાર્યમાં અધિકારીઓ પોતાની ખિસ્સા ભરવાની લાલચે વિકાસ કાર્યોમાં અડચણરૂપ બની રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, આ કામમાં નાણાકીય ગેરરીતિ કરનાર અને નાણાકીય ગેરરીતિઓ પાછલા બારણેથી સામેલ ભાજપના આગેવાનો સામે કાયદાકીય પગલાં લેવા કોંગ્રેસના આગેવાન રામદેભાઇ મોઢવાડીયા એ મુખ્ય પ્રધાન રૂપાણીને કરી છે.

પોરબંદરઃ જિલ્લાના કમલાબાગ રિનોવેશન માટે રૂપિયા 2,72,33,399ના કામમાં તાંત્રિક મંજૂરી તારીખ 27 જૂન 2015ના રોજ આપવામાં આવી હતી. ટેન્ડર મેન્યુઅલ ક્લોઝના બે મુજબ 25 લાખથી ઉપરના ટેન્ડર નિવેદન એક લોકલ પેપરમાં અમદાવાદથી પ્રસિદ્ધ તથા દૈનિક પત્રમાં જાહેરાત આપવાની હોય છે. પરંતુ આ ટેન્ડર નિવિદા માત્ર એક જ પોરબંદરથી પ્રસિદ્ધ થતાં પેપરમાં આવી હતી.

પોરબંદરના કમલાબાગના રીપેરીંગ કામમાં થઈ રહ્યો છે ભ્રષ્ટાચાર: રામદેવ મોઢવાડીયા
આ ઉપરાંત એક કરોડથી પાંચ કરોડ સુધીના કામોની મંજૂરી નાણાં વિભાગનાના પરિપત્ર અન્વયે સચિવ માર્ગ અને મકાનની મંજૂરી લેવી ફરજીયાત છે પરંતુ આ કામની મંજૂરી લેવામાં આવી ન હતી.આ ઉપરાંત ગુજરાત સરકારના ખાણ ખનીજ વિભાગના તારીખ નવ પાંચ 1994ના ઠરાવને માર્ગ અને મકાન વિભાગના વિસ્તાર 2005ના ઠરાવ મુજબ આખરી બિલ ન ચુકવવા પહેલા વપરાયેલી ખનીજ મટિરિયલની રોયલ્ટી સંબંધે નો-ડયું સર્ટિફિકેટ મેળવ્યા વગરના આખરી બિલની ચુકવણી કરાઈ છે.

આ અંગે કોંગ્રેસના આગેવાન રામદેવભાઈ મોઢવાડીયાએ પાલિકા પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે,નગરપાલિકા દ્વારા એક એન્જિનિયર તપાસ માટે રાખવાનો હોય છે તે ન રાખી તેના પગારની રકમમાંથી કોન્ટ્રાક્ટરને મુક્તિ અપાઈ હતી. આમ, પ્રજામાં કાર્યમાં અધિકારીઓ પોતાની ખિસ્સા ભરવાની લાલચે વિકાસ કાર્યોમાં અડચણરૂપ બની રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, આ કામમાં નાણાકીય ગેરરીતિ કરનાર અને નાણાકીય ગેરરીતિઓ પાછલા બારણેથી સામેલ ભાજપના આગેવાનો સામે કાયદાકીય પગલાં લેવા કોંગ્રેસના આગેવાન રામદેભાઇ મોઢવાડીયા એ મુખ્ય પ્રધાન રૂપાણીને કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.