આ હુકમનું ઉલ્લંઘન કરનારને ભારતના ફોજદારી અધિનિયમ 1860ની કલમ 188 અન્વયે સજા થશે. માધવપુરનો દરિયો રમણીય હોવાના લીધે અનેક મુસાફરો ત્યાં જતા હોય છે અને દરિયાની લહેરો માણતા હોય છે. પરંતુ કલેકટર દ્વારા ફરમાવામાં આવેલા ફરમાનનું પ્રતિબંધ લખેલું બોર્ડ કે દરિયા કિનારાનો વિસ્તાર કોર્ડન કરાયો નથી. ત્યાં અનેકવાર પ્રવાસીઓ ડૂબ્યા હોવાના બનાવ પણ બન્યા છે. આથી તંત્ર દ્વારા કડક પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે અથવા ચોપાટી પર જવા પર પ્રતિબંધ સૂચન બોર્ડ રાખવામાં આવે તેવી લોક માંગ પણ ઉઠી છે.
માધવપુરનો દરિયો પ્રવાસીઓ માટે ભયજનક, તંત્ર દ્વારા 5 દિવસનો પ્રતિબંધ
પોરબંદર: અરબી સમુદ્રમાં “વાયુ” સાયકલોનના પગલે આગામી દિવસોમાં ચોપાટી જેવા દરિયા કાઠાનાં વિસ્તારોમાં જવા અંગે પ્રતિબંધ દર્શાવતું જાહેરનામું બહાર પાડવા માટે પોલીસ અધિક્ષક પોરબંદર દ્રારા દરખાસ્ત કરવામાં આવી છે. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પોરબંદર એમ. એચ. જોષીએ હુકમ જારી કરી પોરબંદર જિલ્લાના દરિયા કિનારા તેમજ ચોપાટી જેવા વિસ્તારોમાં 11 જૂનથી 15 જૂન સુધી કોઇપણ વ્યક્તિને જવા આવવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ હુકમનું ઉલ્લંઘન કરનારને ભારતના ફોજદારી અધિનિયમ 1860ની કલમ 188 અન્વયે સજા થશે. માધવપુરનો દરિયો રમણીય હોવાના લીધે અનેક મુસાફરો ત્યાં જતા હોય છે અને દરિયાની લહેરો માણતા હોય છે. પરંતુ કલેકટર દ્વારા ફરમાવામાં આવેલા ફરમાનનું પ્રતિબંધ લખેલું બોર્ડ કે દરિયા કિનારાનો વિસ્તાર કોર્ડન કરાયો નથી. ત્યાં અનેકવાર પ્રવાસીઓ ડૂબ્યા હોવાના બનાવ પણ બન્યા છે. આથી તંત્ર દ્વારા કડક પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે અથવા ચોપાટી પર જવા પર પ્રતિબંધ સૂચન બોર્ડ રાખવામાં આવે તેવી લોક માંગ પણ ઉઠી છે.
પોરબંદર તા.૧૧, અરબી સમુદ્રમાં “વાયુ” સાયકલોન ઉત્પન્ન થયેલ હોય જે આગામી દિવસોમાં ગુજરાતનાં દરિયા કિનારા સુધી પહોંચી જાય તેવી સંભાવના હવામાન વિભાગ દ્રારા કરાઇ છે. જેથી તા.૧૧ જુન થી ૧૫ જુન સુધી ચોપાટી જેવા દરિયા કાઠાનાં વિસ્તારોમાં જવા અંગે પ્રતિબંધ દર્શાવતુ જાહેરનામુ બહાર પાડવા પોલીસ અધિક્ષક પોરબંદર દ્રારા દરખાસ્ત થઇ આવેલ છે. આથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પોરબંદર એમ.એચ.જોષીએ હુકમ જારી કરી પોરબંદર જિલ્લાના સમગ્ર પોલીસ વિસ્તારના દરિયા કિનારા તેમજ ચોપાટી જેવા વિસ્તારોમાં તા.૧૧ જુનથી ૧૫ જુન સુધી કોઇપણ વ્યક્તિને જવા આવવા પર પ્રતિબંધ ફરમાવાયો છે.
આ હુકમનું ઉલ્લંઘન કરનારને ભારતના ફોજદારી અધિનિયમ ૧૮૬૦ ની કલમ ૧૮૮ અન્વયે સજા થઇ શકશે. ત્યારે માધવપુર નો દરિયો રમણીય હોવાના લીધે અનેક મુસાફરો ત્યાં જતા હોય છે અને દરિયાની લહેરો માણતા હોય છે પરંતુ કલેકટર દ્વારા ફરમાવેલ ફરમાન નું પ્રતિ બંધ લખેલું બોર્ડ કે દરિયા કિનારાનો વિસ્તાર કોર્ડન કરાયો નથી ત્યાં અનેક વાર પ્રવાસીઓ ડૂબ્યા હોવાના બનાવ પણ બન્યા છે આથી તંત્ર દ્વારા કડક પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે અથવા ચોપાટી પર જવા પર પ્રતિબન્ધ સૂચન બોર્ડ રાખવાં આવે તેવી લોક માંગ પણ ઉઠી છે