ETV Bharat / state

કુતિયાણાના યુવાનની જૂનાગઢમાં હત્યા, પોલીસે કરી 2 આરોપીની ધરપકડ

author img

By

Published : Dec 14, 2019, 11:36 AM IST

પોરબંદર: જિલ્લાના કુતિયાણામાં 7 ડિસેમ્બરના રોજ યુવાન ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં ગુમ થનાર મેણંદ લુવાનની હત્યા થઇ હોવાનું સામે આવ્યું છે.

murdere
ખુન

પોરબંદરના કુતિયાણાના રહેવાસી મેણંદભાઈ લુવા 7 ડિસેમ્બરના રોજ ગુમ થયા હતા. જેથી તેમના પરિવારે કુતિયાણા પોલીસ સ્ટેશનમાં ગુમ થયા અંગે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પોલીસને જાણવા મળ્યું કે, 4 આરોપીએ ગુમ થનારને સોનાના બિસ્કીટનો સોદો કરવાના બહાને મોતને ઘાટ ઉતારી દીધા છે.

યુવાનનો મૃતદેહ
યુવાનનો મૃતદેહ

પોલીસે આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, આરોપીએ મૃતક મેણંદભાઈને સોનાના બિસ્કીટનો સોદો કરવાના બહાને જૂનાગઢ બેલાવ્યા હતા. જ્યાં આરોપીએ મેણંદ લુવાનું ખુન કરીને સેન્ટ મેરી સ્કૂલની પાછળ તેમના મૃતદેહને દાટી દીધો હતો. સંમગ્ર ઘટનામાં પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે. જ્યારે 2 આરોપી ફરાર છે.

પોરબંદરના કુતિયાણાના રહેવાસી મેણંદભાઈ લુવા 7 ડિસેમ્બરના રોજ ગુમ થયા હતા. જેથી તેમના પરિવારે કુતિયાણા પોલીસ સ્ટેશનમાં ગુમ થયા અંગે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પોલીસને જાણવા મળ્યું કે, 4 આરોપીએ ગુમ થનારને સોનાના બિસ્કીટનો સોદો કરવાના બહાને મોતને ઘાટ ઉતારી દીધા છે.

યુવાનનો મૃતદેહ
યુવાનનો મૃતદેહ

પોલીસે આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, આરોપીએ મૃતક મેણંદભાઈને સોનાના બિસ્કીટનો સોદો કરવાના બહાને જૂનાગઢ બેલાવ્યા હતા. જ્યાં આરોપીએ મેણંદ લુવાનું ખુન કરીને સેન્ટ મેરી સ્કૂલની પાછળ તેમના મૃતદેહને દાટી દીધો હતો. સંમગ્ર ઘટનામાં પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે. જ્યારે 2 આરોપી ફરાર છે.

Intro:કુતિયાણા ના યુવાન નું અપહરણ વીથ ખુન નો ભેદ ઉકેલતી પોરબંદર પોલીસ

                           ગત તા.૦૭/૧૨/૨૦૧૯ ના રોજ કુતિયાણા પો.સ્ટે ગુમ રજી નંબર ૧૭/૧૯ ના કામે ગુમથનાર મેણંદભાઇ નાથાભાઇ લુવા જાતે આહીર ઉવ ૨૩ રહે ગોકરણ (કુતીયાણા) ગુમ થયેલાની નોંધ કુતિયાણા પો.સ્ટે.મા નોંધાયેલ હતી. ત્યારબાદ પોરબંદર SP ડો.પાર્થરાજસિંહ ગોહીલની સુચના હેઠળ અને પોરબંદર ગ્રામ્ય DySP આર.ડી.જાડેજાના સુપરવિઝન હેઠળ કુતિયાણા પો.સબ ઇન્સ.કે.એચ.ગરચર દ્રારા આ બનાવની તપાસ શરૂ કરવામા આવી અને તપાસ દરમ્યાન ટેકનીકલ સોર્સ દ્વારા શકદાર તરીકે અજય અરજણ બટવા આહીર રહે જુનાગઢ બુંદેલા ચોક પાસે વાળાની પો.સબ ઇંન્સ. કે.એસ.ગરચર દ્રારા પૂછપરછ કરતા જણાયેલ કે, ગઇ તા.૦૬/૧૨/૨૦૧૯ ના રોજ આ કામના ગુમથનાર/મરણજનાર મેણંદભાઇ નાથાભાઇ લુવા જાતે આહીર ઉવ ૨૩ રહે ગોકરણ તા કુતીયાણા જી.પોરબંદર. વાળાને આરોપી નં. (૧) અજય સ/ઓ અરજણભાઇ વિક્રમભાઇ બાટવા જાતે આહિર રહે જુનાગઢ સિસુમંગલ પાસે નં-(૨) પિંન્ટુ યોગેશભાઇ બારીયા જાતે રાજપુત રહે. જુનાગઢ ગાંધીગ્રામ સિંધી સોસાયટી બાપા સિતારામા વાળી ગલી (૩) આશીષ મુંજાભાઇ ઉર્ફે ભગત વાંદા જાતે રબારી રહે. જુનાગઢ ગાંધીગ્રામ સિંધી સોસાયટી (૪) બાવન ઉર્ફે નાથો ઉર્ફે ટકો સ/ઓ ભિખાભાઇ મેરામણભાઇ કોડીયાતર જાતે રબારી રહે જુનાગઢ સિંધી સોસાયટી વ્યાસ સાહેબના દવાખાના સામે (૫) જીગ્નેશ ઉર્ફે જગુ ઉર્ફે જગદીશ સ/ઓ પબા નાથાભાઇ કોડિયાતર જાતે રબારી રહે જુનાગઢ ગાંધીગ્રામ સિંધી સોસાયટી સેરી નંબર ૦૪ વાળા તમામ આરોપીઓએ પુર્વઆયોજીત કાવતરૂ રચી મરણજનારને મોબાઇલ ફોન ઉપર સોનાના બિસ્કીટના ફોટા બતાવવા બાબતે મરણજનાર ને મોબાઇલ ફોનથી જાણ કરી સોદો કરવા માટે જુનાગઢ બોલાવતા સોદો કેન્સલ થતા આરોપીઓએ ગે.કા મંડળી રચી મરણજનારને જુનાગઢ એસ.ટી ડેપોએ જતો રહેલ ત્યાથી અરોપીઓએ મરણજનારનુ અપહરણ કરી બિલખા રોડ ઉપર આવેલ પાવર સ્ટેશન પાછળ પ્લાસવા ગામની સિમમા અવાવરૂ પથ્થર ની ખાણમા લઇ જઇ લાકડી તથા પાઇપ જેવા જીવલેણ હથીયારો વડે માર મારી ગંભીર ઇજા કરી મોત નિપજાવી લાશ અવાવરૂ જગ્યામાં જમીનમા દાટી દઈ પુરાવાનો નાસ કરવા માટે લાશને બીજી જગ્યાએ લઇજઇ ખાડો કરી દાટી દિધેલ હોવાની કબુલાત આપેલ હતી.
ત્યારબાદ *SP ડો.પાર્થરાજસિંહ ગોહીલ ની સુચના મુજબ કુતિયાણા પો.સ્ટેના પો.સબ ઇન્સ. કે.એસ.ગરચર તથા એલ.સી.બી.ના પો.સબ ઇંન્સ. એચ.એન.ચુડાસમા* તેઓની ટીમો સાથે આરોપી (૧) અજય સ/ઓ અરજણભાઇ વિક્રમભાઇ બાટવા જાતે આહિર રહે જુનાગઢવાળાને સાથે લઇ જુનાગઢ મુકામે જઇ પ્લાસવા ગામની પડતર પથ્થરની ખાણ વિસ્તાર માં સર્ચ ઓપરેશન હાથ ધરેલ હતુ અને આ સર્ચ ઓપરેશનમા જુનાગઢ DySP પી.જી જાડેજા ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પો.સબ ઇન્સ. આર.કે.ગોહિલ તથા જુનાગઢ સી.ડીવીઝન પો.સબ ઇન્સ. બડવા તથા પો.સબ ઇસ વાજા પણ તેમની ટીમો સાથે જોડાયેલ હતા. આ દરમ્યાન એસ.ડી.એમ. જુનાગઢ નાઓની હાજરીમા ખોદકામ કરાવડાવી મરણ જનાર મેણંદભાઇ નાથાભાઇ લુવાની લાશ પથ્થરની ખાણમા જમીનમા દાટેલ હોય જે લાશ બહાર કાઢેલ હતી.
                  બાદ કુતિયાણા પો.સ્ટે.ના પો.સબ ઇન્સ. કે.એસ.ગરચર એ ફરીયાદી લખમણભાઇ લુવા જાતે આહીર ઉ.વ.૨૬ ધંધો નોકરી રહે ગોકરણ તા કુતીયાણા જી.પોરબંદર વાળાની ફરીયાદ લઇ જુનાગઢ તાલુકા પો.સ્ટે. મા IPC ૩૦૨,૩૬૫,૧૪૩, ૧૪૭, ૧૪૮,૧૪૯,૨૦૧,૧૨૦(બી) GP ACT ૧૩૫ મુજબનો ગુન્હો રજી. કરાવેલ છે.
                           આ કામગીરીમાં કુતિયાણા પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. કે.એસ.ગરચર, તથા એલ.સી.બી. પો.સ.ઇન્સ એચ.એન.ચુડાસમા તથા કુતિયાણા પો.સ્ટે.ના બી.ટી.બાલચ, બી.એલ.જાડેજા, નટુભાઇ, અરજણભાઇ, જીવાભાઇ, ભરતભાઇ તથા એલ.સી.બી. ના બટુકભાઇ, રવિભાઇ, ગોવિંદભાઇ વિગેરે એ ભારે જહેમત ઉઠાવેલ હતી....Body:.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.