પોરબંદરઃ જિલ્લામાં ક્વૉરેરન્ટાઇન ખાતે કુલ 303 વ્યક્તિ પૈકી 238 વ્યક્તિઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ 65 વ્યક્તિઓ તપાસ હેઠળ છે. હોમ કોરોન્ટાઈનમાં કુલ 1050 વ્યક્તિઓની તપાસ થઈ હતી. જેમાંથી ૩૦૫ વ્યક્તિઓનું હોમ કોરોન્ટાઈન પૂર્ણ થયું છે.
પોરબંદરના જુદા જુદા એન્ટ્રી પોઇન્ટ ઉપર કુલ 22554 વ્યક્તિઓની સ્ક્રીનીંગ કરવામાં આવી છે. જિલ્લામાં ડોર ટુ ડોર સર્વે કરવા જુદી જુદી ટીમો કાર્યરત છે. આ ટીમો દ્રારા 6.21 લાખથી વધુ વ્યક્તિઓનો ઘરે ઘરે જઇને સર્વે કરાયો છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંબંધિત વિભાગો અને કચેરીઓને કોરોના વાઈરસના નિયંત્રણ માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.