પાટણ- પવિત્ર શ્રાવણ માસમાં આવતા જન્માષ્ટમી પર્વનું અનેરૂ મહત્વ છે.પાંચ દિવસીય તહેવારોની આ શૃંખલામાં રાંધણ છઠના દિવસે વિવિધ વ્યંજનો અને શાકભાજી બનાવી શીતળા સાતમ ના દિવસે ઠંડુ જમવાની પરંપરા છે. જેને લઇ રાધન છઠ ના દિવસે શહેરની બજારોમાં શાકભાજીની ખરીદી માટે મહિલાઓની ભારે ભીડ ઉમટી હતી. (egitable price increase in patan on janmashtmi) આ વર્ષે પણ શાકભાજીની દરેક વસ્તુઓ ના ભાવમાં વધારો જોવા મળ્યો હતો.રાધણછઠ પહેલા પાટણમાં ટામેટા 20 રૂપિયે કિલો વેંચતા હતા.જે આજે 30 રૂપિયાના ભાવે વેચાયા હતા. તેવીજ રીતે કંકોડા 120ને બદલે 200 રૂપિયે, પરવર 30 રૂપિયાના બદલે 60 રૂપિયા, બટાકા 15 ના બદલે 30 રૂપિયા અને પત્તરવેલિયા માટેના પાન 150 રૂપિયાના ભાવે વેચાયા હતા.(janmashtmi2022)
આ પણ વાંચો- Ahmedabad Sweets Market: શું મોંઘવારીને કારણે મીઠાઈનો સ્વાદ મોળો થશે ખરા ?
ભાવ વધારો- પાટણમાં વિવિધ શાકભાજીના બજારોમાં ખરીદી માટે ગૃહિણીઓની ભારે ભીડ ઉમટી હતી પણ શાકભાજીની દરેક વસ્તુઓમાં 25% જેટલો ભાવ વધારો હોવાને કારણે મહિલાઓએ જરૂરિયાત કરતા ઓછી શાકભાજીની ખરીદી કરી હતી. મોંઘવારીના મારને કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની હાલત કફોડી બની છે.
આ પણ વાંચો- Valsad fishermen: ડીઝલના ભાવો વધતા માછીમારની હાલત કફોડી, સબસિડી બાદ કરતાં પણ ડીઝલ મોંઘું
સામાન્ય વર્ગના લોકોનું બજેટ- દિવસે દિવસે વધતી અસહ્ય મોંઘવારીએ સામાન્ય વર્ગના લોકોનું બજેટ ખોરવાયુ છે. જેની સીધી અસર તહેવારો પર જોવા મળી રહી છે. રાધણ છઠના દિવસે શહેરના વિવિધ શાકભાજીના માર્કેટોમાં શાકભાજીની દરેક વસ્તુમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો.