ETV Bharat / state

રાધનપુરના નર્સરી વિસ્તારમાં 15 દિવસથી પાણી ભરાયા

રાધનપુરમાં વરસાદનો વિરામ થવા છતાં નગરના વડપાસર તળાવ નજીક આવેલા નર્સરી વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયેલા છે. જેના નિકાલ માટે તંત્ર દ્વારા નક્કર કામગીરી હાથ ધરવામાં નહીં આવતા આ વિસ્તારના પરિવારો પોતાના મકાન છોડીને રસ્તા ઉપર રહેવા મજબૂર બન્યા છે.

author img

By

Published : Sep 7, 2020, 1:18 AM IST

ETV BHARAT
રાધનપુરના નર્સરી વિસ્તારમાં 15 દિવસથી પાણીનો ભરાયા

પાટણ: રાધનપુરના વડપાસર તળાવને પાણી પહોંચાડતી કેનાલ નજીક આવેલા નર્સરી વિસ્તારમાં 15 દિવસથી પાણી ભરાયેલા છે. જેથી અહીં રહેતા 50 જેટલા પરિવારોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. આ વિસ્તારમાં ભરાયેલા પાણીના નિકાલની તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં નહીં આવતા મોટાભાગના લોકો રસ્તા ઉપર રહેવા મજબૂર બન્યા છે.

રાધનપુરના નર્સરી વિસ્તારમાં 15 દિવસથી પાણીનો ભરાયા

વરસાદી પાણી અને તળાવના વધારાના પાણીના નિકાલ માટે ગટરની કામગીરી ગત 5 વર્ષથી ગોકળ ગતિએ ચાલી રહી છે. હજૂ સુધી આ કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી. આ ઉપરાંત પાણીના નિકાલ માટે આ વિસ્તારના નગરસેવકે પ્રાંત અધિકારીને રજૂઆત પણ કરી છે, પરંતુ નગરપાલિકાના ચીફ ઓફિસર આ બાબતે આંખ આડા કાન કરતા હોવાનું લાગી રહ્યું છે.

પાટણ: રાધનપુરના વડપાસર તળાવને પાણી પહોંચાડતી કેનાલ નજીક આવેલા નર્સરી વિસ્તારમાં 15 દિવસથી પાણી ભરાયેલા છે. જેથી અહીં રહેતા 50 જેટલા પરિવારોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. આ વિસ્તારમાં ભરાયેલા પાણીના નિકાલની તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં નહીં આવતા મોટાભાગના લોકો રસ્તા ઉપર રહેવા મજબૂર બન્યા છે.

રાધનપુરના નર્સરી વિસ્તારમાં 15 દિવસથી પાણીનો ભરાયા

વરસાદી પાણી અને તળાવના વધારાના પાણીના નિકાલ માટે ગટરની કામગીરી ગત 5 વર્ષથી ગોકળ ગતિએ ચાલી રહી છે. હજૂ સુધી આ કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી. આ ઉપરાંત પાણીના નિકાલ માટે આ વિસ્તારના નગરસેવકે પ્રાંત અધિકારીને રજૂઆત પણ કરી છે, પરંતુ નગરપાલિકાના ચીફ ઓફિસર આ બાબતે આંખ આડા કાન કરતા હોવાનું લાગી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.