ભારત દેશની આઝાદી બાદ અખંડ ભારતની રચના સમયે કાશ્મીરનો વિવાદ સર્જાયો હતો. ત્યારે જમ્મુ કાશ્મીરમાં 370ની કલમ લાગુ કરવામાં આવી હતી. ત્યારથી કાશ્મીર ભારતનું હોવા છતાં અહીં અલગ કાયદાઓ લાગુ પડતા હતા. ત્યારે વર્તમાન સરકારે જમ્મુ કાશ્મીરમાંથી 370 ની કલમ હટાવી દેતા ભારત દેશનું 70 વર્ષ જુનું સપનું સાકાર થયું છે. જેને લઈ દેશવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તથા ઠેરઠેર ઉજવણી કરવામાં આવી રહી છે.
પાટણમાં પણ જિલ્લા ભાજપના આગેવાનો અને કાર્યકરોએ શહેરના બગવાડા દરવાજા ખાતે એકત્ર થઈ સરકારના આ ઐતિહાસિક નિર્ણયને આવકારી ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો હતો.
ભાજપના આગેવાનો અને કાર્યકરોએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહની આ કામગીરીને બિરદાવી હતી. તથા "ભારત માતા કી જય" વંદે માતરમના નારા લગાવી પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો.