ETV Bharat / state

પાટણ જિલ્લા પંચાયતની પેટાચૂંટણીમાં બંને બેઠક પર ભાજપનો વિજય - Gujarat

પાટણઃ જિલ્લાની સાંતલપુર અને શંખેશ્વર તાલુકાની બે ખાલી પડેલી બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં આ બંને બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થયો હતો. શંખેશ્વરની પંચાસર બેઠકમાં બિનહરીફ ઉમેદવાર ચૂંટાયા આવ્યા હતાં. અહીં આ બંને બેઠક પર ભાજપનો વિજય થતાં કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

પાટણ જિલ્લા પંચાયતની સાંતલપુર અને શંખેશ્વર બેઠક પર ભાજપનું કમળ ખીલ્યું
author img

By

Published : Jul 24, 2019, 10:12 AM IST

મંગળવારના રોજ સવારે 9 કલાકે જિલ્લા પંચાયતની પેટાચૂંટણીના પરિણામો જાહેર કરાયાં હતા. સાંતલપુર બેઠકની મતગણતરી વારાહી મામલતદાર કચેરી ખાતે થઈ હતી. જેમાં ભાજપના ઉમેદવાર અરજણભાઈ આહિરને કુલ 6538 મત મળતાં તેમનો 2202 મતથી વિજયી થઈ હતાં તો સામે પક્ષે તેમના હરીફ હમીર ભાઈ આહીરને 4336 મત મળતાં હારનો સામનો કરવો પડ્યો હતો.

પાટણ જિલ્લા પંચાયતની સાંતલપુર અને શંખેશ્વર બેઠક પર ભાજપનું કમળ ખીલ્યું

શંખેશ્વર બેઠકમાં 4 ટેબલ પર 4 રાઉન્ડમાં 28 EVM થી મતગણતરી કરવામાં આવી હતી. જેમાં શરૂઆતથી જ ભાજપના ઉમેદવાર જામાજી ઠાકોર આગળ રહ્યાં હતા. કુલ 1008 મત મળતાં તે 75 મતે વિજય રહ્યાં હતા. આમ, શંખેશ્વરની સૂબાપુરા બેઠક અને જિલ્લા પંચાયતની સાંતલપુર બેઠક પર ભાજપનો ભગવો લહેરાતાં ભાજપના કાર્યકરોમાં આનંદની લાગણી જોવા મળી હતી.

મંગળવારના રોજ સવારે 9 કલાકે જિલ્લા પંચાયતની પેટાચૂંટણીના પરિણામો જાહેર કરાયાં હતા. સાંતલપુર બેઠકની મતગણતરી વારાહી મામલતદાર કચેરી ખાતે થઈ હતી. જેમાં ભાજપના ઉમેદવાર અરજણભાઈ આહિરને કુલ 6538 મત મળતાં તેમનો 2202 મતથી વિજયી થઈ હતાં તો સામે પક્ષે તેમના હરીફ હમીર ભાઈ આહીરને 4336 મત મળતાં હારનો સામનો કરવો પડ્યો હતો.

પાટણ જિલ્લા પંચાયતની સાંતલપુર અને શંખેશ્વર બેઠક પર ભાજપનું કમળ ખીલ્યું

શંખેશ્વર બેઠકમાં 4 ટેબલ પર 4 રાઉન્ડમાં 28 EVM થી મતગણતરી કરવામાં આવી હતી. જેમાં શરૂઆતથી જ ભાજપના ઉમેદવાર જામાજી ઠાકોર આગળ રહ્યાં હતા. કુલ 1008 મત મળતાં તે 75 મતે વિજય રહ્યાં હતા. આમ, શંખેશ્વરની સૂબાપુરા બેઠક અને જિલ્લા પંચાયતની સાંતલપુર બેઠક પર ભાજપનો ભગવો લહેરાતાં ભાજપના કાર્યકરોમાં આનંદની લાગણી જોવા મળી હતી.

Intro:પાટણ જીલ્લા પંચાયત ની સાંતલપુર ની એક બેઠક અને શંખેસ્વર તાલુકા પંચાયત ની બે ખાલી પડેલી બેઠકો માટેની યોજાયેલ પેટા ચૂંટણીમા આજે યોજાયેલ મત ગણતરી મા સાંતલપુર શીટ પર ભાજપ ના ઉમેદવાર ની જીત થતા ભાજ્પ ના કાર્યકરો આગેવાનો મા ખુશી છવાઈ હતી.Body: પાટણ જિલ્લા પંચાયત ની સાંતલપુર ની એક બેઠક તેમજ શંખેશ્વર તાલુકા પંચાયતની બે બેઠકો ખાલી પડતા તેના પર પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી હતી જે પૈકી પંચાસર ની બેઠક બિનહરીફ રહેતા સાંતલપુર સીટ પર એક અને શંખેશ્વર તાલુકા પંચાયત ની સૂબાપુરા ની એક બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી અને ઉમેદવાર ના ભાવિ ઇવીએમ મશીન માં કેદ થઈ જવા પામ્યા હતા ત્યારે આજે સાંતલપુર બેઠક ની મતગણતરી વારાહી મામલતદાર કચેરી ખાતે અને શંખેશ્વર બેઠક ની મતગણતરી શંખેશ્વર મામલતદાર કચેરી ખાતે સવારે 9 વાગે શરૂ થવા પામી હતી જેમાં શંખેશ્વર બેઠક માં 4 ટેબલ પર 4 રાઉન્ડ માં 28 ઇવીએમ ની મતગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં શરૂઆત થી જ ભાજપ ના ઉમેદવાર જામાજી ઠાકોર આગળ રહેતા અંતે કુલ 1008 મત મળવા પામ્યા હતા અને 75 માતે વિજય બનવા પામ્યા હતા


Conclusion: સાંતલપુર સીટ ની એક બેઠક માટે ની મત ગણતરી વારાહી મામલતદાર કચેરી ખાતે શરૂ થવા પામી હતી જેમા 4 ટેબલ ,7 રાઉન્ડ માં મતગણતરી શરૂ કરાઇ હતી જેમાં શરૂઆત માંજ ભાજપ ના ઉમેદવાર અરજણભાઈ આહિર આગળ રહેવા પામ્યા હતા અને અંતે કુલ 6538 મત મળવા પામ્યા હતા જે સાથે 2202 મત થી વિજેતા બનવા પામ્યા હતા જ્યારે કૉંગ્રેસ ના ઉમેદવાર હમીર ભાઈ આહીર ને 4336 મત મળવા પામ્યા હતા અને તેમને હાર નો સામનો કરવો પડ્યો હતો જો કે શંખેશ્વર ની સૂબાપુરા સીટ અને જિલ્લા પંચાયત ની સાંતલપુર સીટ પર ભાજપ નો ભગવો લહેરાવા પામ્યો હતો. ભાજપ ના ઉમેદવાર ની જીત થતા ભાજપ ના આગેવાનો કાર્યકરો એ વિજેતા ઉમેદવારને મો મીઠુ કરાવી શુભેચ્છોઓ પાઠવી હતી.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.