ETV Bharat / state

અહેમદ ચાચાનો અનોખો દેશપ્રેમ, 365 દિવસ લહેરાવે છે રાષ્ટ્રધ્વજ

સરકારી કચેરીઓમાં તો હંમેશા રાષ્ટ્રધ્વજ લહેરાતો હોય છે પણ દેશપ્રેમી અહેમદ ચાચા પોતાના ઘરે 365 દિવસ રાષ્ટ્રધ્વજ લહેરાતો રાખે છે. રાજ્યમાં તેમનું મકાન એવું છે જ્યાં હંમેશા તિરંગો લહેરાતો જોવા મળે છે.

author img

By

Published : Jan 25, 2020, 5:34 PM IST

Patan
અનોખો દેશપ્રેમ

પાટણ: સિદ્ધપુર તાલુકાના નેદ્રા ( પાંચકુવા) ગામના વતની અહેમદભાઈ અલીભાઈ નાંદોલિયા દેશ આઝાદ થયો ત્યારે 15 વર્ષના હતા. 19 વર્ષની ઉંમરે તેઓ ભારતીય સેનામાં જોડાયા હતા. બાદમાં સામાજીક કારણોસર તેઓ વતન પરત આવ્યા હતા. દેશપ્રેમ તેમના હ્રદયમાં હોવાથી તેઓ 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ રાષ્ટ્રધ્વજ ફરકાવતા હતાં. તેમણે એવો નિર્ધાર કર્યો કે, 'મારે 365 દિવસ મકાન પર રાષ્ટ્રધ્વજ લહેરાવવો છે'.

અહેમદ ચાચાનો અનોખો દેશપ્રેમ, 365 દિવસ લહેરાવે છે રાષ્ટ્રધ્વજ

ઘણી કાયદાકીય ગુંચવણો પસાર કરી આખરે 26 જાન્યુઆરી 2001થી તેમનું સપનું સાકાર થયુ. ત્યારથી લઈને આજ સુધી તેઓ પોતાના ઘર ઉપર તિરંગો લહેરાવી રહ્યા છે.

પાટણ: સિદ્ધપુર તાલુકાના નેદ્રા ( પાંચકુવા) ગામના વતની અહેમદભાઈ અલીભાઈ નાંદોલિયા દેશ આઝાદ થયો ત્યારે 15 વર્ષના હતા. 19 વર્ષની ઉંમરે તેઓ ભારતીય સેનામાં જોડાયા હતા. બાદમાં સામાજીક કારણોસર તેઓ વતન પરત આવ્યા હતા. દેશપ્રેમ તેમના હ્રદયમાં હોવાથી તેઓ 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ રાષ્ટ્રધ્વજ ફરકાવતા હતાં. તેમણે એવો નિર્ધાર કર્યો કે, 'મારે 365 દિવસ મકાન પર રાષ્ટ્રધ્વજ લહેરાવવો છે'.

અહેમદ ચાચાનો અનોખો દેશપ્રેમ, 365 દિવસ લહેરાવે છે રાષ્ટ્રધ્વજ

ઘણી કાયદાકીય ગુંચવણો પસાર કરી આખરે 26 જાન્યુઆરી 2001થી તેમનું સપનું સાકાર થયુ. ત્યારથી લઈને આજ સુધી તેઓ પોતાના ઘર ઉપર તિરંગો લહેરાવી રહ્યા છે.

Intro:રાષ્ટ્ર ધ્વજ સરકારી કચેરીઓ મા દિવસ દરમ્યાન લહેરાતો જોવા મળે છે પણ દેશ પ્રેમ ના રંગે રંગાયેલા લઘુમતી સમાજના અહેમદચાચા પોતાના ઘર આગળ ખુલ્લી જગ્યામાં 365 દિવસ રાષ્ટ્ર ધ્વજ લહેરાતો રાખે છે.સમગ્ર ગુજરાત મા તેમનું મકાન એવુ છે કે જ્યાં દેશ દુલરો તિરંગો દિવસ દરમ્યાન લહેરાતો જોવા મળે છે.


Body:વિઓ1 સિદ્ધપુર તાલુકાના નેદ્રા ( પાંચકુવા) ગામના વતની અહેમદભાઈ અલીજીભાઈ નાંદોલિયા 1947 મા દેશ આઝાદ થયો ત્યારે 15 વર્ષ ની ઉંમરના હતા 19 વર્ષ ની ઉંમરે તેઓ ભારતીય લશ્કર મા જોડાયા હતા પણ સામાજિક કારણોસર તેઓ લશ્કર નિ નોકરી છોડી વતન પરત આવ્યા બાદ વર્ષ મા બે દિવસ એટલેકે 15 મી ઓગસ્ટ અને 26 મી જાન્યુઆરી એ રાષ્ટ્રધ્વજ લહેરાવતા હતા ત્યારે તેમણે એવો નીર્ધાર કર્યો કે મારે 365 દિવસ મકાન પર રાષ્ટ્રધ્વજ લહેરાવવો છે પરંતુ કાયદાકીય આંટીઘૂંટી સામે આવી.સને 2000 મા પૂર્વ સાંસદ અને અગ્રણી ઉદ્યોગપતિ વિનોદ જીંદાલે પણ પોતાના મકાન પર 365 દિવસ રાષ્ટ્રધ્વજ લહેરાવવા સુપ્રીમ કોર્ટ મા આઈ.પી.એલ દાખલ કરી હતી જેમાં તેઓ પક્ષકાર તરીકે જોડાયા હતા.

ઘણી કાયદાકીય ગુંચવણો પસાર કરી આખરે સુપ્રિમ કોર્ટે આ બંનેની દેશપ્રેમ ની કદર રૂપે તેમને 365 દિવસ મકાન પર તિરંગો લહેરાવવાની મંજૂરી આપી જેને દેશના મહામહિમ રાષ્ટ્રપતિ એ આખરી મહોર મારત આખરે 26 જાન્યુઆરી 2001 થી તેમનું સ્વપ્નું સાકાર થયુ. ત્યારથી માંડી આજે 20 વર્ષ થી તેઓ આન બાન શાન સાથે તિરંગો લહેરાવી રહ્યા છે

વિઓ 2 અહેમદચાચા એ 365 દિવસ રાષ્ટ્ર ધ્વજ ફરકતો રાખવા માટે ઘર મા અન્ય એક વ્યક્તિ ની નિમણૂક કરી છે જે સવારે રાષ્ટ્રધ્વજ ચડાવે અને સૂર્યાસ્ત પહેલા ઉતારી લેછે. અહેમદચાચા હાજર હોય ત્યારે ધ્વજ ને સલામી આપે છે એક વર્ષ મા તેઓ ચાર વખત રાષ્ટ્રધ્વજ બદલે છે.ધ્વજ ક્ષતિગ્રસ્ત બને તો તેને શાનદાર રીતે દફનવિધિ કરે છે.અહેમદચાચા અનોખા દેશપ્રેમ થકી રાષ્ટ્રધ્વજ પ્રત્યેની લાગણીથી સમગ્ર ગુજરાતમાં એક આગવી ઓળખ ધરાવે છે.


Conclusion:દેશ પ્રેમ ના રંગેરગાયેલા અહેમદચાચા એ આઝાદી સમય ના પોતાના સંસ્મરણો ને વાગોળ્યા હતા.

વન ટુ વન દેશ પ્રેમી અહેમદચાચા


હિન્દી બાઈટ 1 અહેમદચાચા નાંદોલિયા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.