ETV Bharat / state

ચૈત્રી નવરાત્રીને લઈ પાવાગઢ-માંચી રસ્તા પર ખાનગી વાહનો પર પ્રતિબંધ

author img

By

Published : Apr 5, 2019, 4:59 PM IST

પંચમહાલઃ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રિ પર્વની શરુઆત 6 એપ્રિલથી થઈ રહીછે. પાવાગઢથી માંચી સુધીનો રસ્તો ખૂબ જ સાંકડો અને વાકોચુકો છે. આ સમયે કોઇ અનહોની ના સર્જાય તે માટે જાહેરહિતમાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ખાનગી વાહનોની અવર-જવર ઉપર નિયંત્રણ મૂકતું જાહેરનામું બહાર પાડ્યું છે.

સ્પોટ ફોટો

જાહેરનામા અનુસાર 6 એપ્રિલથી 19 એપ્રિલ સુધી પાવાગઢ ખાતે તળેટીથી માંચી જવાના રસ્તા ઉપર ભારે તથા હળવા વાહનો અવર-જવર કરી શકશે નહીં. આ ઉપરાંત કોઈપણ પ્રકારના વાહનો કે પશુઓ દ્વારા સાધન સામગ્રી કે ચીજવસ્તુઓનું વહન કરવા ઉપર તેમજ માંચીથી દુધિયા તળાવ પાવાગઢ સુધીના રસ્તા ઉપર પશુઓ દોરી જનારાઓની અવર-જવર ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

pavagadh
સ્પોટ ફોટો

આ હુકમ આવશ્યક ચીજ વસ્તુઓનું પરિવહન કરતા વાહનો, એસ.ટી બસો, સરકારી ફરજ ઉપરના વાહનો તથા આરોગ્ય સેવાઓ માટે ઉપયોગમાં લેવાનાર વાહનોને લાગુ પડશે નહીં. આ ઉપરાંત અનિવાર્ય અને યથોચિત પ્રસંગોના કિસ્સામાં એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટ અને મામલતદાર, હાલોલની પૂર્વ પરવાનગી મેળવવાની રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-131 મુજબ શિક્ષાને પાત્ર થશે.

જાહેરનામા અનુસાર 6 એપ્રિલથી 19 એપ્રિલ સુધી પાવાગઢ ખાતે તળેટીથી માંચી જવાના રસ્તા ઉપર ભારે તથા હળવા વાહનો અવર-જવર કરી શકશે નહીં. આ ઉપરાંત કોઈપણ પ્રકારના વાહનો કે પશુઓ દ્વારા સાધન સામગ્રી કે ચીજવસ્તુઓનું વહન કરવા ઉપર તેમજ માંચીથી દુધિયા તળાવ પાવાગઢ સુધીના રસ્તા ઉપર પશુઓ દોરી જનારાઓની અવર-જવર ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

pavagadh
સ્પોટ ફોટો

આ હુકમ આવશ્યક ચીજ વસ્તુઓનું પરિવહન કરતા વાહનો, એસ.ટી બસો, સરકારી ફરજ ઉપરના વાહનો તથા આરોગ્ય સેવાઓ માટે ઉપયોગમાં લેવાનાર વાહનોને લાગુ પડશે નહીં. આ ઉપરાંત અનિવાર્ય અને યથોચિત પ્રસંગોના કિસ્સામાં એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટ અને મામલતદાર, હાલોલની પૂર્વ પરવાનગી મેળવવાની રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-131 મુજબ શિક્ષાને પાત્ર થશે.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.