ETV Bharat / state

લોકડાઉનમાં પંચમહાલના ખેડૂતો માટે મહુડાનું વૃક્ષ કમાઉ દિકરો બન્યું

author img

By

Published : Jun 6, 2020, 12:15 PM IST

લોકડાઉનમાં પંચમહાલ જિલ્લાના આદિવાસીઓ જ્યારે રોજગારીથી વંચિત થયા છે. ત્યારે પંચમહાલ જિલ્લાના આદિવાસી પરિવાર માટે કમાણી કરી આપતો કમાઉ દિકરો એટલે મહુડો. મહુડો છે તો એક વૃક્ષનું નામ, તો પછી કમાઉ દિકરો કેમનો?

mahuda
મહુડો

પંચમહાલ : હાલ સમગ્ર વિશ્વ જયારે કોરોનાની સામે લડાઈ લડી રહ્યું છે, અને દેશના તમામ રાજ્યોમાં લોકડાઉન છે. જેને લઈ ધંધા રોજગાર બંધ છે . અમીર ગરીબ તમામ હાલ નોકરી ધંધાથી બેકાર છે. જેમાં ખાસ કરીને પંચમહાલ જિલ્લાના આદિવાસી વિસ્તારના લોકોની વાત કરીએ તો આ આદિવાસી વિસ્તારના લોકો મજૂરી કામ અર્થે ગુજરાતના મોટા મોટા શહેરો તેમજ અન્ય રાજ્યોમાં મજૂરી કામ માટે જતા હોય છે. કોરોનાએ દસ્તક દીધી ત્યારથી આ આદિવાસી પરિવાર પોતાના વતન આવી ગયા. પણ મહુડાનું વૃક્ષ તેમને લકોડાઉનના સમયમાં આર્શીવાદ સમાન સાબિત થયું છે.

લોકડાઉનમાં પંચમહાલમાં કમાઉ દિકરા સમાન મહુડાનું વૃક્ષ

મહુડોમાં ફેબ્રુઆરી મહિનાથી ફૂલ લાગવાના ચાલુ થાય છે. એ ફૂલ પાક્કા થઈને પીળા થઈને જમીન પર પડે છે. ત્યાર બાદ એ ફૂલની સૂકવણી કરી જે તે ખેડૂત દુકાન દાર પાસે વેચવા જાય છે. ખેડૂત 20 કિલોના 500 રૂપિયા થઈ લઈને 800 રૂપિયા સુધીનો ભાવ મળતો હોય છે. એક મહુડાના વૃક્ષ પરથી એક સિઝનમાં 2 થી 5 હાજર જેટલી આવક મળતી હોય છે. આતો વાત થઈ કમાણીની હવે જો મહુડાના ફૂલના ઉપયોગની વાત કરીએ તો મહુડાના ફૂલ ખાવામાં સ્વાદમાં મીઠા હોય છે. તેમજ પશુ આહાર તરીકે પણ ખેડૂતો ઉપયોગ કરતા હોય છે. વધુ માં અન્ય રાજ્યોમાં મહુડાના ફૂલમાંથી મદિરા પણ બનાવવામાં આવે છે.

મહુડાના ફૂલ 3 મહિના બાદ પડવાનું બંધ થતા એજ વૃક્ષ પર એક બીજું ફળ લાગે છે. તને ડોળી કહેવામાં આવે છે. ડોળીનું વેચાણ ખેડુતો કરે છે. મહુડાના વૃક્ષ પર બદામ જેવું એક ફળ લાગે છે. તે નીચે પડી જાય છે, અને એને ફોડીને તેને સુકવીને વેચવામાં આવે છે. ડોળીને આ ખેડૂતો ઘાણીમાં લઇ જઇ તેને પિલવામાં આવે છે,અને તેમાંથી તેલ નિકળે છે એને ડોળીયું કહેવામાં આવે છે. આ ડોળીયું ખેડૂતો ખોરાક રાંધવા માટે તેલની જગ્યાએ ઉપયોગમાં લેતા હોય છે. જે સ્વાસ્થ્ય માટે સારું હોવાનું પણ માનવામાં આવે છે. જ્યાર બાદ ડોળીયું પીલાયા બાદ તેનો ખોળ બને છે. એ ખોળનો ઉપયોગ ખાતર અને પશુ આહાર માટે કરવામાં આવે છે.

આમ મહુડો એ આ લોકડાઉનમાં આદિવાસી વિસ્તારમાં રહેતા ગરીબ પરિવાર માટે કમાઉ દિકરો ખરા અર્થમાં સાબિત થયો છે.

પંચમહાલ : હાલ સમગ્ર વિશ્વ જયારે કોરોનાની સામે લડાઈ લડી રહ્યું છે, અને દેશના તમામ રાજ્યોમાં લોકડાઉન છે. જેને લઈ ધંધા રોજગાર બંધ છે . અમીર ગરીબ તમામ હાલ નોકરી ધંધાથી બેકાર છે. જેમાં ખાસ કરીને પંચમહાલ જિલ્લાના આદિવાસી વિસ્તારના લોકોની વાત કરીએ તો આ આદિવાસી વિસ્તારના લોકો મજૂરી કામ અર્થે ગુજરાતના મોટા મોટા શહેરો તેમજ અન્ય રાજ્યોમાં મજૂરી કામ માટે જતા હોય છે. કોરોનાએ દસ્તક દીધી ત્યારથી આ આદિવાસી પરિવાર પોતાના વતન આવી ગયા. પણ મહુડાનું વૃક્ષ તેમને લકોડાઉનના સમયમાં આર્શીવાદ સમાન સાબિત થયું છે.

લોકડાઉનમાં પંચમહાલમાં કમાઉ દિકરા સમાન મહુડાનું વૃક્ષ

મહુડોમાં ફેબ્રુઆરી મહિનાથી ફૂલ લાગવાના ચાલુ થાય છે. એ ફૂલ પાક્કા થઈને પીળા થઈને જમીન પર પડે છે. ત્યાર બાદ એ ફૂલની સૂકવણી કરી જે તે ખેડૂત દુકાન દાર પાસે વેચવા જાય છે. ખેડૂત 20 કિલોના 500 રૂપિયા થઈ લઈને 800 રૂપિયા સુધીનો ભાવ મળતો હોય છે. એક મહુડાના વૃક્ષ પરથી એક સિઝનમાં 2 થી 5 હાજર જેટલી આવક મળતી હોય છે. આતો વાત થઈ કમાણીની હવે જો મહુડાના ફૂલના ઉપયોગની વાત કરીએ તો મહુડાના ફૂલ ખાવામાં સ્વાદમાં મીઠા હોય છે. તેમજ પશુ આહાર તરીકે પણ ખેડૂતો ઉપયોગ કરતા હોય છે. વધુ માં અન્ય રાજ્યોમાં મહુડાના ફૂલમાંથી મદિરા પણ બનાવવામાં આવે છે.

મહુડાના ફૂલ 3 મહિના બાદ પડવાનું બંધ થતા એજ વૃક્ષ પર એક બીજું ફળ લાગે છે. તને ડોળી કહેવામાં આવે છે. ડોળીનું વેચાણ ખેડુતો કરે છે. મહુડાના વૃક્ષ પર બદામ જેવું એક ફળ લાગે છે. તે નીચે પડી જાય છે, અને એને ફોડીને તેને સુકવીને વેચવામાં આવે છે. ડોળીને આ ખેડૂતો ઘાણીમાં લઇ જઇ તેને પિલવામાં આવે છે,અને તેમાંથી તેલ નિકળે છે એને ડોળીયું કહેવામાં આવે છે. આ ડોળીયું ખેડૂતો ખોરાક રાંધવા માટે તેલની જગ્યાએ ઉપયોગમાં લેતા હોય છે. જે સ્વાસ્થ્ય માટે સારું હોવાનું પણ માનવામાં આવે છે. જ્યાર બાદ ડોળીયું પીલાયા બાદ તેનો ખોળ બને છે. એ ખોળનો ઉપયોગ ખાતર અને પશુ આહાર માટે કરવામાં આવે છે.

આમ મહુડો એ આ લોકડાઉનમાં આદિવાસી વિસ્તારમાં રહેતા ગરીબ પરિવાર માટે કમાઉ દિકરો ખરા અર્થમાં સાબિત થયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.