ETV Bharat / state

નવસારી: મુસ્લિમોએ સોશિયલ ડિસ્ટનસિંગ સાથે ઉજવી રમઝાન ઈદ - મુસ્લિમ ધર્મગુરૂએ ઘરેથી જ ઇદની નમાઝ

કોરોના કાળમાં મુસ્લિમ લોકો પાક રમઝાન મહિનામાં ઘરે જ રહી અલ્લાહની બંદગી કર્યા બાદ, આજે સોમવારે રમઝાન ઇદની પણ સોશિયલ ડિસ્ટનસિંગના પાલન સાથે ઉજવણી કરી હતી. ખાસ કરીને મુસ્લિમ બિરાદરોએ ઇદની મુબારકબાદી એક બીજાને ગળે મળીને નહીં, પણ હિન્દુસ્તાની તહેઝીબ અનુસાર દૂરથી નમસ્કાર કરીને ઇદ મુબારક કર્યુ હતુ. જ્યારે વિશ્વ પર આવી પડેલી કોરોના મહામારી વહેલી દૂર થાય, એની અલ્લાહને દુઆ કરી હતી.

નવસારીમાં ઘરે રહીને અલ્લાહની બંદગી કર્યા બાદ, રમઝાન ઈદ પર જરૂરિયાતમંદોને રાશન કીટનું વિતરણ કરાયુ
નવસારીમાં ઘરે રહીને અલ્લાહની બંદગી કર્યા બાદ, રમઝાન ઈદ પર જરૂરિયાતમંદોને રાશન કીટનું વિતરણ કરાયુ
author img

By

Published : May 25, 2020, 2:44 PM IST

નવસારીઃ કોરોના મહામારીએ મંદિર-મસ્જિદ બંધ કરાવી દીધા છે. ત્યારે નવસારીના મુસ્લિમ બાહુલ્ય એવા ડાભેલ ગામમાં આવેલી મડ્રેસાઓ અને મસ્જિદોના દરવાજા પર તાળા લગાવી દેવાયા છે. મુસ્લિમ ધર્મગુરૂઓએ ઘરેથી જ નમાઝ પઢી અલ્લાહની બંદગી કરવાનું ફરમાન કર્યુ હતુ. કારણ કે,પાક રમઝાન મહિનામાં મોટી સંખ્યામાં ડાભેલમાં મુસ્લિમો અલ્લાહની બંદગી કરવા ભેગા થતા હોય છે. ત્યાં કોરોના કાળમાં ઘરેથી જ અલ્લાહની બંદગી કરી હતી.

નવસારીમાં ઘરે રહીને અલ્લાહની બંદગી કર્યા બાદ, રમઝાન ઈદ પર જરૂરિયાતમંદોને રાશન કીટનું વિતરણ કરાયુ

જ્યારે આજે રમઝાન ઈદ પણ સોશ્યલ ડિસ્ટનસિંગ સાથે ઉજવી હતી. મુસ્લિમ ધર્મગુરૂએ ઘરેથી જ ઇદની નમાઝ પઢાવી હતી. સાથે જ હિન્દુસ્તાની તહેઝીબ પ્રમાણે દુરથી નમસ્કાર કરીને સૌને ઇદની મુબારકબાદી આપી હતી.

જ્યારે મૌલાનાએ હિન્દુસ્તાન સહિત દુનિયામાં ફેલાયેલી કોરોના વાયરસની મહામારીમાં હેરાન થતા લોકો પર અલ્લાહ રહેમત વરસાવે અને કોરોના બીમારી દૂર થાય એવી પાક પરવરદિગાર પાસે દુઆ માંગી હતી.

રમઝાન મહિનામાં ઘરે જ રહી અલ્લાહની બંદગી કરી
રમઝાન મહિનામાં ઘરે જ રહી અલ્લાહની બંદગી કરી
પાક રમઝાન મહિનામાં મહમ્મદ પયંગબર સાહેબ પર પાક કુરાન ઉતરી હતી. જેથી મુસ્લિમો સમગ્ર રમઝાનમાં સવારથી સાંજ સુધી રોઝા (ઉપવાસ) રાખે છે. સાથે જ જરૂરિયાતમંદોને દાન પણ કરે છે.
મુસ્લિમ ધર્મગુરૂએ ઘરેથી જ ઇદની નમાઝ પઢાવી
મુસ્લિમ ધર્મગુરૂએ ઘરેથી જ ઇદની નમાઝ પઢાવી

જેમાં નવસારીના ડાભેલના આગેવાન ફકીર સોની અને તેમની ટીમ દ્વારા નવસારી, ડાંગ, સુરત જિલ્લામાં જરૂરિયાતમંદોને 5 હજારથી વધુની રાશન કીટ વહેંચી અલ્લાહની બંદગી કરી હતી. સાથે જ ઈદના પાક દિવસે કોરોના મહામારીમાં અલ્લાહ રહેમ કરે, એ માટે મૌલાનાને દુઆ કરવાની વિનંતી કરી હતી.

કોરોના મહામારીએ મંદિર-મસ્જિદ બંધ કરાવ્યા
કોરોના મહામારીએ મંદિર-મસ્જિદ બંધ કરાવ્યા

નવસારીઃ કોરોના મહામારીએ મંદિર-મસ્જિદ બંધ કરાવી દીધા છે. ત્યારે નવસારીના મુસ્લિમ બાહુલ્ય એવા ડાભેલ ગામમાં આવેલી મડ્રેસાઓ અને મસ્જિદોના દરવાજા પર તાળા લગાવી દેવાયા છે. મુસ્લિમ ધર્મગુરૂઓએ ઘરેથી જ નમાઝ પઢી અલ્લાહની બંદગી કરવાનું ફરમાન કર્યુ હતુ. કારણ કે,પાક રમઝાન મહિનામાં મોટી સંખ્યામાં ડાભેલમાં મુસ્લિમો અલ્લાહની બંદગી કરવા ભેગા થતા હોય છે. ત્યાં કોરોના કાળમાં ઘરેથી જ અલ્લાહની બંદગી કરી હતી.

નવસારીમાં ઘરે રહીને અલ્લાહની બંદગી કર્યા બાદ, રમઝાન ઈદ પર જરૂરિયાતમંદોને રાશન કીટનું વિતરણ કરાયુ

જ્યારે આજે રમઝાન ઈદ પણ સોશ્યલ ડિસ્ટનસિંગ સાથે ઉજવી હતી. મુસ્લિમ ધર્મગુરૂએ ઘરેથી જ ઇદની નમાઝ પઢાવી હતી. સાથે જ હિન્દુસ્તાની તહેઝીબ પ્રમાણે દુરથી નમસ્કાર કરીને સૌને ઇદની મુબારકબાદી આપી હતી.

જ્યારે મૌલાનાએ હિન્દુસ્તાન સહિત દુનિયામાં ફેલાયેલી કોરોના વાયરસની મહામારીમાં હેરાન થતા લોકો પર અલ્લાહ રહેમત વરસાવે અને કોરોના બીમારી દૂર થાય એવી પાક પરવરદિગાર પાસે દુઆ માંગી હતી.

રમઝાન મહિનામાં ઘરે જ રહી અલ્લાહની બંદગી કરી
રમઝાન મહિનામાં ઘરે જ રહી અલ્લાહની બંદગી કરી
પાક રમઝાન મહિનામાં મહમ્મદ પયંગબર સાહેબ પર પાક કુરાન ઉતરી હતી. જેથી મુસ્લિમો સમગ્ર રમઝાનમાં સવારથી સાંજ સુધી રોઝા (ઉપવાસ) રાખે છે. સાથે જ જરૂરિયાતમંદોને દાન પણ કરે છે.
મુસ્લિમ ધર્મગુરૂએ ઘરેથી જ ઇદની નમાઝ પઢાવી
મુસ્લિમ ધર્મગુરૂએ ઘરેથી જ ઇદની નમાઝ પઢાવી

જેમાં નવસારીના ડાભેલના આગેવાન ફકીર સોની અને તેમની ટીમ દ્વારા નવસારી, ડાંગ, સુરત જિલ્લામાં જરૂરિયાતમંદોને 5 હજારથી વધુની રાશન કીટ વહેંચી અલ્લાહની બંદગી કરી હતી. સાથે જ ઈદના પાક દિવસે કોરોના મહામારીમાં અલ્લાહ રહેમ કરે, એ માટે મૌલાનાને દુઆ કરવાની વિનંતી કરી હતી.

કોરોના મહામારીએ મંદિર-મસ્જિદ બંધ કરાવ્યા
કોરોના મહામારીએ મંદિર-મસ્જિદ બંધ કરાવ્યા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.