ETV Bharat / state

સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની મુલાકાત લેનાર પ્રવાસીમાં 50 ટકા વધારો

author img

By

Published : Nov 13, 2019, 8:35 PM IST

નર્મદા: સ્ટેચ્યૂ ઓફ યૂનિટી પર નવા પ્રવાસનોમાં આકર્ષણો ઉમેરાતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. કેવડીયા ખાતે પ્રતિદિન 9 હજારથી વધુ પ્રવાસીઓનો ઘસારો જોવા મળે છે. ઉપરાંત એક વર્ષના ગાળામાં પ્રવાસીની સંખ્યામાં 50 ટકા વધારો જોવા મળ્યો છે.

સ્ટેચ્યૂ ઓફ યૂનિટી

સ્ટેચ્યૂ ઓફ યૂનિટી પર નવા પ્રવાસનોમાં આકર્ષણો ઉમેરાતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. સ્ટેચ્યૂ ઓફ યૂનિટી ખાતે દરરોજ 9 હજારથી વધુ પ્રવાસીઓ મુલાકાતે આવી રહ્યા છે. એક સર્વે અનુસાર, સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીમાં રોજના 10 હજાર પ્રવાસીઓ નોંધાય છે, ત્યારે પ્રવાસીની વધતી સંખ્યા જોતા આગામી દિવસોમાં સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી કરતાં પણ વધુ લોકપ્રિય સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની થઇ જશે એ ચોક્કસ છે.

સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની મુલાકાત લેનાર પ્રવાસીમાં 50 ટકા વધારો

સ્ટેચ્યૂ ઓફ યૂનિટીમાં વિવિધ પ્રકલ્પો ખુલ્લા મુકાતા પ્રવાસીઓનું આકર્ષણ વધી રહ્યું છે. સરદાર પટેલની પ્રતિમા રાષ્ટ્રને અર્પણ કર્યા બાદ પ્રથમ વર્ષમાં જ પ્રવાસીઓનો સતત ધસારો જોવા મળ્યો છે. 1 નવેમ્બર 2018થી 31 ઓક્ટોબર 2019 સુધીના એક વર્ષના સમયગાળામાં કુલ 27,17,468 પ્રવાસીઓએ સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની મુલાકાત લીધી છે. જ્યારે 10/11/2019 સુધી કુલ 29,32,220 પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. દિવાળીના તહેવાર દરમિયાન 2,91,640 એટલે લગભગ 10% જેટલા પ્રવાસીઓએ સ્ટેચ્યૂની મુલાકાત લીધી છે.

સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની આસપાસ અનેરા પ્રવાસન આકર્ષણો ઉમેરાતા પ્રવાસીઓની સંખ્યામાં 50% વધારો અને એકંદરે સરેરાશ પ્રવાસીઓની સંખ્યા 9063 પ્રતિ-દિન નોંધાઇ છે. નર્મદા નિગમના એમ.ડી. રાજીવ ગુપ્તાએ જણાવ્યું કે, કેવડીયા ખાતે 1/9/2019થી રીવર રાફ્ટીંગ તેમજ 25/10/2019થી સાયક્લીંગ જેવી પ્રવૃતિઓ વિકસાવવામાં આવી છે. આ પ્રવૃતિઓનો લાભ ખાસ કરીને યુવા પ્રવાસીઓ લઇ રહ્યા છે. ઉપરાંત યુવા પ્રવાસીઓ માટે નાઇટ ટ્રેકીંગ, ક્લાઇમ્બીંગ વોલ, રેપલીંગ વોલ, ટુ-વે ઝીપ લાઇન વગેરે પ્રવૃતિઓ ઇકોટુરીઝમ સાઇટ પર વિકસાવવામાં આવી છે.

દેશમાં પ્રથમ વાર કેવડિયા ખાતે રાત્રે મુખ્ય માર્ગ તથા તમામ પ્રોજેક્ટ અવનવી રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠે છે. રાત્રે જગમગી ઉઠતાં છોડવાઓ અને પ્રાણીઓથી અદભૂત દેખાતો 'ગ્લો ગાર્ડન' પણ સમગ્ર દેશમાં અજોડ છે જેને નિહાળવા દરરોજ 9 હજાર કરતા વધુ પ્રવાસીઓ ઉમટે છે.

સ્ટેચ્યૂ ઓફ યૂનિટી પર નવા પ્રવાસનોમાં આકર્ષણો ઉમેરાતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. સ્ટેચ્યૂ ઓફ યૂનિટી ખાતે દરરોજ 9 હજારથી વધુ પ્રવાસીઓ મુલાકાતે આવી રહ્યા છે. એક સર્વે અનુસાર, સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીમાં રોજના 10 હજાર પ્રવાસીઓ નોંધાય છે, ત્યારે પ્રવાસીની વધતી સંખ્યા જોતા આગામી દિવસોમાં સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી કરતાં પણ વધુ લોકપ્રિય સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની થઇ જશે એ ચોક્કસ છે.

સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની મુલાકાત લેનાર પ્રવાસીમાં 50 ટકા વધારો

સ્ટેચ્યૂ ઓફ યૂનિટીમાં વિવિધ પ્રકલ્પો ખુલ્લા મુકાતા પ્રવાસીઓનું આકર્ષણ વધી રહ્યું છે. સરદાર પટેલની પ્રતિમા રાષ્ટ્રને અર્પણ કર્યા બાદ પ્રથમ વર્ષમાં જ પ્રવાસીઓનો સતત ધસારો જોવા મળ્યો છે. 1 નવેમ્બર 2018થી 31 ઓક્ટોબર 2019 સુધીના એક વર્ષના સમયગાળામાં કુલ 27,17,468 પ્રવાસીઓએ સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની મુલાકાત લીધી છે. જ્યારે 10/11/2019 સુધી કુલ 29,32,220 પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. દિવાળીના તહેવાર દરમિયાન 2,91,640 એટલે લગભગ 10% જેટલા પ્રવાસીઓએ સ્ટેચ્યૂની મુલાકાત લીધી છે.

સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની આસપાસ અનેરા પ્રવાસન આકર્ષણો ઉમેરાતા પ્રવાસીઓની સંખ્યામાં 50% વધારો અને એકંદરે સરેરાશ પ્રવાસીઓની સંખ્યા 9063 પ્રતિ-દિન નોંધાઇ છે. નર્મદા નિગમના એમ.ડી. રાજીવ ગુપ્તાએ જણાવ્યું કે, કેવડીયા ખાતે 1/9/2019થી રીવર રાફ્ટીંગ તેમજ 25/10/2019થી સાયક્લીંગ જેવી પ્રવૃતિઓ વિકસાવવામાં આવી છે. આ પ્રવૃતિઓનો લાભ ખાસ કરીને યુવા પ્રવાસીઓ લઇ રહ્યા છે. ઉપરાંત યુવા પ્રવાસીઓ માટે નાઇટ ટ્રેકીંગ, ક્લાઇમ્બીંગ વોલ, રેપલીંગ વોલ, ટુ-વે ઝીપ લાઇન વગેરે પ્રવૃતિઓ ઇકોટુરીઝમ સાઇટ પર વિકસાવવામાં આવી છે.

દેશમાં પ્રથમ વાર કેવડિયા ખાતે રાત્રે મુખ્ય માર્ગ તથા તમામ પ્રોજેક્ટ અવનવી રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠે છે. રાત્રે જગમગી ઉઠતાં છોડવાઓ અને પ્રાણીઓથી અદભૂત દેખાતો 'ગ્લો ગાર્ડન' પણ સમગ્ર દેશમાં અજોડ છે જેને નિહાળવા દરરોજ 9 હજાર કરતા વધુ પ્રવાસીઓ ઉમટે છે.

Intro:APROAL BAY-DESK

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર નવા પ્રવાસન આકર્ષણો ઉમેરાતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દરરોજ ના 9 હજાર થી વધુ પ્રવાસીઓ ની આવક થવા લાગી છે અને એક સર્વે મુજબ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જે વર્ષો જૂની અને દુનિયાની અજાયબીમાં ગણાય છે જ્યાં રોજના 10 હજાર પ્રવાસીઓ નોંધાય છે ત્યારે પ્રવાસીઓ ની વધતી સંખ્યા જોતા આગામી દિવસોમાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા પણ લોકપ્રિયતામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી આગળ જતું રહેશે એ વાત ચોક્કસ છે.Body: કેમકે અહીંયા અન્ય વિવિધ પ્રકલ્પો ખુલ્લા મુકાતા પ્રવાસીઓ નું આકર્ષણ વધી રહ્યું છે સરદાર પટેલની પ્રતિમાનું 31 ઓક્ટોબર 2018 નાં રોજ રાષ્ટ્રાપર્ણ થયા બાદ પ્રથમ વર્ષમાં જ પ્રવાસીઓનો સતત ધસારો જોવા મળ્યો છે.1 નવેમ્બર 2018 થી 31 ઓક્ટોબર 2019 સુધી એક વર્ષના સમયગાળામાં કુલ 27,17,468 પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે.10/11/2019 સુધી કુલ 29,32,220 પ્રવાસીઓએ મુલાકાત લીધેલ છે.એ પૈકી 2,91,640 એટલે લગભગ 10% જેટલા પ્રવાસીઓએ તો ફક્ત ચાલુ સાલે દિવાળીના તહેવારોમાં જ મુલાકાત લીધી છે.ગયા વર્ષની રજાઓમાં સરેરાશ પ્રતિ દિન 14,918 પ્રવાસીઓની સામે ચાલુ વર્ષે દિવાળીની રજાઓમાં સરેરાશ પ્રતિ દિન 22,434 પ્રવાસીઓ નોંધાયા છે.Conclusion:.સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ અનેરા પ્રવાસન આકર્ષણો ઉમેરાતા પ્રવાસીઓની સંખ્યામાં 50% વધારો અને એકંદરે સરેરાશ પ્રવાસીઓની સંખ્યા 9063 પ્રતિ દિન નોંધાયો છે.આ બાબતે નર્મદા નિગમ ના એમ.ડી. રાજીવ ગુપ્તા એ ખાસ મુલાકાત માં જણાવ્યું હતું કે. કેવડીયા ખાતે 1/9/2019 થી રીવર રાફ્ટીંગ તેમજ 25/10/2019 થી સાયક્લીંગ જેવી પ્રવૃતિઓ વિકસાવવામાં આવી છે.આ પ્રવૃતિઓનો ખાસ કરીને યુવા પ્રવાસીઓ હજારોની સંખ્યામાં ઉત્સાહભેર લાભ લઇ રહ્યા છે.આ ઉપરાંત યુવા પ્રવાસીઓ માટે નાઇટ ટ્રેકીંગ,ક્લાઇમ્બીંગ વોલ, રેપલીંગ વોલ, ટુ-વે ઝીપ લાઇન વગેરે પ્રવૃતિઓ ઝરવાણી ઇકોટુરીઝમ સાઇટ પર વિકસાવવામાં આવી છે.દેશમાં પ્રથમ વાર કેવડિયા ખાતે નાઈટ ટુરિઝમ - રાત્રે મુખ્ય માર્ગ તથા તમામ પ્રોજેક્ટ અવનવી રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠે છે.રાત્રે જગમગી ઉઠતાં છોડવાઓ અને પ્રાણીઓથી અદભૂત દેખાતો "ગ્લો ગાર્ડન" પણ સમગ્ર દેશમાં અજોડ છે જેને નિહાળવા દરરોજ 9 હજાર કરતા વધુ પ્રવાસીઓ ઉમટે છે. આમ કેવડીયા એ પ્રવાસીઓ માટે એક અનેરું આકર્ષણ સ્થળ બન્યું છે

બાઈટ -01 ઉર્જા  (પ્રવાસી )
બાઈટ - 02 રાજીવ ગુપ્તા (એમ ડી નર્મદા નિગમ )
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.