ETV Bharat / state

અંધશ્રદ્ધામાં ડૂબેલાં પતિને કારણે પત્નીનું મોત, કોર્ટે પતિને 2 વર્ષની સજા ફટકારી - morbi news

મોરબીઃ તાલુકામાં પત્નીએ ઝેર પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે અંધશ્રદ્ધામાં ડૂબેલો પતિ પત્નીને હૉસ્પિટલના બદલે ભુવા પાસે લઈ ગયો હતો. સમયસર સારવાર ન મળતાં મહિલાનું મોત થયું હતું. આ કેસમાં 24 સપ્ટેમ્બરના રોજ કોર્ટે ચુકાદો આપતાં પતિને 2 વર્ષની કેદ અને રૂ. 5 હજારનો દંડ ફટકાર્યો છે.

અંધશ્રદ્ધામાં ડૂબેલાં પતિ કારણે પત્નીનું થયું મોત, કોર્ટે પતિને 2 વર્ષની સજા ફટકારી
author img

By

Published : Sep 24, 2019, 3:08 PM IST

મોરબી તાલુકામાં વિસ્તારમાં રહેતી મીનાબેન ચાવડાએ બે વર્ષ પહેલા ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. આ ઘટના બાદ મૃતકની બહેને પતિ ગોરધન ચાવડા અને સાસુ પુરીબેન ચાવડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં જણાવ્યાનુસાર,સાસરીમાં મળતાં શારિરીક અને માનસિક ત્રાસથી કંટાળી મીનાબહેને આપઘાત કર્યો હતો . મીનાબેને ઝેરી દવા પી લીધા બાદ તેમના પતિ દવાખાનામાં લઈ જવાને બદલે વાકેનર નજીકના ગામમાં ભુવા પાસે લઈ ગયા હતા. આ દરમિયાન ઝેર તેમના શરીરમાં ફેલાઈ ગયું હતું. જેના કારણે તેમનું મોત થયું હતું.

આ કેસમાં તાલુકા પોલીસે પતિ અને સાસુ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કેસની સુનાવણી ડીસ્ટ્રીકટ કોર્ટમાં એ.ડી.ઓઝાના કોર્ટે હેઠળ ચાલતી હતી. પુરાવાને ધ્યાને રાખી સાસુને નિર્દોષ છોડ્યા હતા. જ્યારે ભૂવા પાસે પત્નીને લઈ જનાર પતિની બેદરકારી ધ્યાનમાં લઈને તેને 2 વર્ષની કેદ અને રૂ. 5 હજારનો દંડ ફટકાર્યો હતો.

મોરબી તાલુકામાં વિસ્તારમાં રહેતી મીનાબેન ચાવડાએ બે વર્ષ પહેલા ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. આ ઘટના બાદ મૃતકની બહેને પતિ ગોરધન ચાવડા અને સાસુ પુરીબેન ચાવડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં જણાવ્યાનુસાર,સાસરીમાં મળતાં શારિરીક અને માનસિક ત્રાસથી કંટાળી મીનાબહેને આપઘાત કર્યો હતો . મીનાબેને ઝેરી દવા પી લીધા બાદ તેમના પતિ દવાખાનામાં લઈ જવાને બદલે વાકેનર નજીકના ગામમાં ભુવા પાસે લઈ ગયા હતા. આ દરમિયાન ઝેર તેમના શરીરમાં ફેલાઈ ગયું હતું. જેના કારણે તેમનું મોત થયું હતું.

આ કેસમાં તાલુકા પોલીસે પતિ અને સાસુ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કેસની સુનાવણી ડીસ્ટ્રીકટ કોર્ટમાં એ.ડી.ઓઝાના કોર્ટે હેઠળ ચાલતી હતી. પુરાવાને ધ્યાને રાખી સાસુને નિર્દોષ છોડ્યા હતા. જ્યારે ભૂવા પાસે પત્નીને લઈ જનાર પતિની બેદરકારી ધ્યાનમાં લઈને તેને 2 વર્ષની કેદ અને રૂ. 5 હજારનો દંડ ફટકાર્યો હતો.

Intro:gj_mrb_02_morbi_court_judgement_vakil_file_photo_av_gj10004
gj_mrb_02_morbi_court_judgement_script_av_gj10004
approved by kalpeshbhai
gj_mrb_02_morbi_court_judgement_av_gj10004
Body:મોરબીમાં પત્નીને દવાખાને નહિ પરંતુ ભૂવા પાસે લઇ જનાર પતિને બે વર્ષની કેદ
મોરબી તાલુકામાં પત્નીએ ઝેરી દવા પી લેતા તેને હોસ્પિટલમાં લઈ જવાને બદલે પતિ ભૂવા પાસે લઈ જતા તેનું મોત નીપજ્યું હતું. આ કેસનો આજે કોર્ટે ચુકાદો આપીને પતિને ભૂલ ગણીને ૨ વર્ષની કેદ તથા રૂ. ૫ હજારનો દંડ ફટકાર્યો છે.
બનાવની મળતી માહિતી મુજબ મોરબી તાલુકામા વિસ્તારમાં રહેતી મીનાબેન ભગવાનજીભાઈ ચાવડાએ બે વર્ષ પેહલા ઝેરી જંતુનાશક દવા પીને આપઘાત કરી લીધો હતો. આ બનાવ બાદ મૃતક મીનાબેનના બહેને મીનાબેનના પતિ ગોરધનભાઇ ભગવાનજીભાઈ ચાવડા અને સાસુ પુરીબેન ભગવાનજીભાઈ ચાવડા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેમના બહેન મીનાબેનને તેમના પતિ અને સાસુએ ચારિત્ર્ય પર શંકા કરી શારિરીક તેમજ માનસિક ત્રાસ આપતા હતા. જેનાથી કંટાળી જઈને મીનાબેને જંતુનાશક દવા પીને આપઘાત કર્યો હતો .અને મીનાબેને ઝેરી દવા પી લીધા બાદ તેમના પતિ તેમને દવાખાનામા લઈ જવાને બદલે વાકેનર નજીકના ગામમાં ભુવા પાસે લઈ ગયા હતા. આ દરમિયાન ઝેર તેમના શરીરમા ફેલાઈ ગયું હતું. જેથી તેમનું મોત નીપજ્યું હતું. આ કેસમાં તાલુકા પોલીસે પતિ અને સાસુ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસ ડીસ્ટ્રીકટ કોર્ટમાં એ.ડી.ઓઝા સાહેબમાં ચાલી જતા કોર્ટે અલગ અલગ પુરાવાઓને ધ્યાને રાખી સાસુને નિર્દોષ છોડ્યા હતા. જ્યારે ભૂવા પાસે પત્નીને લઈ જનાર પતિને બેદરકારી બદલ તેને ૨ વર્ષની સખ્ત કેદ અને રૂ. ૫ હજારનો દંડ ફટકાર્યો હતો. આ કેસમાં ફરિયાદી પક્ષે સરકારી વકીલ વિજયભાઈ જાની રોકાયા હતા.
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩

For All Latest Updates

TAGGED:

morbi news
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.