ETV Bharat / state

મોરબી શહેરના વિવિધ વિસ્તારમાં અશાંત ધારો લાગુ, મંજુરી વિના મકાન વેચી શકાશે નહીં

author img

By

Published : Nov 6, 2022, 8:55 PM IST

Updated : Nov 16, 2022, 11:33 AM IST

રમખાણવાળા વિસ્તારોમાં મિલકતોનું ખરીદ વેચાણ અટકાવવાના આશયથી રાજ્ય સરકારે 1991માં અશાંત ધારો લાવ્યા હતા. ત્યારે મોરબી શહેરમાં પણ RSS અને સ્થાનિકો દ્વારા સમયાંતરે અશાંતધારો લાગુ કરવાની (The Ashant Act was enforced) માંગણી ઉઠી હતી. જેને પગલે આજે ગુજરાતના મહેસુલ વિભાગ (Department of Revenue) દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંતધારો અમલી કરાયો છે અને તેનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે.

મોરબી શહેરના વિવિધ વિસ્તારમાં અશાંત ધારો લાગુ
in-various-areas-of-morbi-city-ashant-act-is-applicable-no-house-can-be-sold-without-permission

મોરબી: રાજ્યના વિવિધ શહેરોમાં નાગરિકો વચ્ચે ઘર્ષણ ના સર્જાય અને રહેણાંક વિસ્તારોમાં વસ્તી માપને નિયંત્રણમાં રાખી સકાય તેવા હેતુથી અશાંત ધારો લાગુ કરવામાં આવતો હોય (The Ashant Act was enforced) છે. મોરબી શહેરમાં પણ RSS, વિશ્વ હિંદુ પરિષદ (Vishwa Hindu Parishad) સહિતના સંગઠનો અને સ્થાનિકો દ્વારા સમયાંતરે અશાંત ધારો લાગુ કરવાની માંગણી કરાઈ હતી. જેના પગલે શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંતધારો અમલી કરાયો છે અને તેનું મહેસુલ વિભાગ (Department of Revenue) દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું (The announcement was issued) છે.

20 જેટલા વિસ્તારોમાં અશાંતધારો લાગુ: રાજ્યના રેવન્યુ ડીપાર્ટમેન્ટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને મોરબી શહેરના વિવિધ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે. જેમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક હેઠળ આવતા વાવડીરોડ ઉપરના જનકનગર, ન્યુ નજકનગર, રવિ પાર્ક સોસાયટી, નંદનવન સોસાયટી, કુબેરનગર સોસાયટી, ગાયત્રીનગર સોસાયટી, ન્યુ ગાયત્રીનગર, મીરાપાર્ક, ઓલ્ડ મોરબી હેઠળ આવતા લખધીરવાસ, બક્ષી શેરી, જોડિયા હનુમાન શેરી, બુઢા બાવાની શેરી, ચૌહણ શેરી, વિશ્વકર્મા મંદિર વાળી શેરી, રામનાથ મહાદેવ મંદિર શેરી, ભવાની ચોક, નવદુર્ગા ચોક, મોટી માધાણી શેરી, ખત્રીવાડ, સ્વામિનારાયણ મંદિર શેરી સહિતના વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે. જે તારીખ 29 ઓક્ટોબર 2022 થી 28 ઓક્ટોબર 2027 સુધી અમલમાં રહેશે.

કલેક્ટરને જાણ કર્યા વિના મિલકત વેચી શકાશે નહિ: જે વિસ્તારમાં અશાંત ધારો લાગું કરવામાં આવ્યો હોય તે વિસ્તારમાં મકાન કે દુકાન વેચવી હોય તો નિયંત્રણ લાગે છે, અને જો મિલકત વેચવી હોય તો કલેક્ટરને જાણ કરવી પડે છે. તેમજ આ મિલકત કોને વેચી રહ્યા છો તેની વિગતો પણ આપવી પડે છે. જિલ્લા કલેક્ટર ખરીદનાર અને વેચનારની સુનાવણી હાથ ધરે છે, અને યોગ્ય લાગે તો જ આ સોદો માન્ય ગણવામાં આવે છે. અશાંત ધારામાં કલેક્ટરને કેટલીક વિશેષ સત્તાઓ આપવામાં આવી છે.

સજાની શું જોગવાઈ?: અશાંત ધારાનો ભંગ સાબિત થાય તો 3થી 5 વર્ષની જેલની સજા અને એક લાખ રૂપિયાની દંડની જોગવાઈ છે, અથવા તબદિલ થયેલી મિલકતના જંત્રીના ભાવના 10માં ભાગની રકમમાંથી જે વધુ હોય તે દંડ પેટે ભોગવવાની રહે છે.

કેવી રીતે રજૂ કરી શકાય છે કેસ?: સામાન્યતઃ જે વિસ્તારમાં એક ધર્મના વ્યક્તિ બીજા ધર્મના વ્યક્તિને પ્રોપર્ટી વેચવા માગતો હોય, ત્યાં રજિસ્ટ્રારની ઓફિસમાં મહેસુલ ભવન ખાતે તેની નોંધણી કરાવવાની રહે છે. જેની અરજી પર કલેક્ટર નિર્ણય લે છે. જે-તે વિસ્તારના પોલીસ સ્ટેશન દ્વારા તેની તપાસ કરવામાં આવે છે. જેનો રિપોર્ટ ઉચ્ચ પોલીસ અધિકારીને મોકલી અપાય છે. જે રિપોર્ટ કલેક્ટરને આપવામાં આવે છે. તેના આધારે કલેક્ટર તે અરજીનો નિકાલ કરે છે.

મોરબી: રાજ્યના વિવિધ શહેરોમાં નાગરિકો વચ્ચે ઘર્ષણ ના સર્જાય અને રહેણાંક વિસ્તારોમાં વસ્તી માપને નિયંત્રણમાં રાખી સકાય તેવા હેતુથી અશાંત ધારો લાગુ કરવામાં આવતો હોય (The Ashant Act was enforced) છે. મોરબી શહેરમાં પણ RSS, વિશ્વ હિંદુ પરિષદ (Vishwa Hindu Parishad) સહિતના સંગઠનો અને સ્થાનિકો દ્વારા સમયાંતરે અશાંત ધારો લાગુ કરવાની માંગણી કરાઈ હતી. જેના પગલે શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંતધારો અમલી કરાયો છે અને તેનું મહેસુલ વિભાગ (Department of Revenue) દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું (The announcement was issued) છે.

20 જેટલા વિસ્તારોમાં અશાંતધારો લાગુ: રાજ્યના રેવન્યુ ડીપાર્ટમેન્ટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને મોરબી શહેરના વિવિધ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે. જેમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક હેઠળ આવતા વાવડીરોડ ઉપરના જનકનગર, ન્યુ નજકનગર, રવિ પાર્ક સોસાયટી, નંદનવન સોસાયટી, કુબેરનગર સોસાયટી, ગાયત્રીનગર સોસાયટી, ન્યુ ગાયત્રીનગર, મીરાપાર્ક, ઓલ્ડ મોરબી હેઠળ આવતા લખધીરવાસ, બક્ષી શેરી, જોડિયા હનુમાન શેરી, બુઢા બાવાની શેરી, ચૌહણ શેરી, વિશ્વકર્મા મંદિર વાળી શેરી, રામનાથ મહાદેવ મંદિર શેરી, ભવાની ચોક, નવદુર્ગા ચોક, મોટી માધાણી શેરી, ખત્રીવાડ, સ્વામિનારાયણ મંદિર શેરી સહિતના વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે. જે તારીખ 29 ઓક્ટોબર 2022 થી 28 ઓક્ટોબર 2027 સુધી અમલમાં રહેશે.

કલેક્ટરને જાણ કર્યા વિના મિલકત વેચી શકાશે નહિ: જે વિસ્તારમાં અશાંત ધારો લાગું કરવામાં આવ્યો હોય તે વિસ્તારમાં મકાન કે દુકાન વેચવી હોય તો નિયંત્રણ લાગે છે, અને જો મિલકત વેચવી હોય તો કલેક્ટરને જાણ કરવી પડે છે. તેમજ આ મિલકત કોને વેચી રહ્યા છો તેની વિગતો પણ આપવી પડે છે. જિલ્લા કલેક્ટર ખરીદનાર અને વેચનારની સુનાવણી હાથ ધરે છે, અને યોગ્ય લાગે તો જ આ સોદો માન્ય ગણવામાં આવે છે. અશાંત ધારામાં કલેક્ટરને કેટલીક વિશેષ સત્તાઓ આપવામાં આવી છે.

સજાની શું જોગવાઈ?: અશાંત ધારાનો ભંગ સાબિત થાય તો 3થી 5 વર્ષની જેલની સજા અને એક લાખ રૂપિયાની દંડની જોગવાઈ છે, અથવા તબદિલ થયેલી મિલકતના જંત્રીના ભાવના 10માં ભાગની રકમમાંથી જે વધુ હોય તે દંડ પેટે ભોગવવાની રહે છે.

કેવી રીતે રજૂ કરી શકાય છે કેસ?: સામાન્યતઃ જે વિસ્તારમાં એક ધર્મના વ્યક્તિ બીજા ધર્મના વ્યક્તિને પ્રોપર્ટી વેચવા માગતો હોય, ત્યાં રજિસ્ટ્રારની ઓફિસમાં મહેસુલ ભવન ખાતે તેની નોંધણી કરાવવાની રહે છે. જેની અરજી પર કલેક્ટર નિર્ણય લે છે. જે-તે વિસ્તારના પોલીસ સ્ટેશન દ્વારા તેની તપાસ કરવામાં આવે છે. જેનો રિપોર્ટ ઉચ્ચ પોલીસ અધિકારીને મોકલી અપાય છે. જે રિપોર્ટ કલેક્ટરને આપવામાં આવે છે. તેના આધારે કલેક્ટર તે અરજીનો નિકાલ કરે છે.

Last Updated : Nov 16, 2022, 11:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.