આ પ્રસંગે પ્રધાન જયેશ રાદડિયા, સાંસદ મોહન કુંડારીયા, વિનોદ ચાવડા, સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. લોકાર્પણ અને ખાતમુર્હત બાદ ગૃહ પ્રધાને રાજ્યમાં સરકારે કાયદો અને વ્યવસ્થા માટે કરેલા કાર્યોની પ્રસંશા કરી હતી રાજ્યમાં દારૂબંધી, ગૌહત્યા માટે કડક કાયદા તેમજ સીસીટીવી કેમેરાથી સુરક્ષા સહિતની કામગીરીને વખાણી હતી.
રાજ્યના મુખ્ય પ્રધાને પ્રવચનની શરૂઆત 'મહા' વાવાઝોડાથી કરીને જણાવ્યું હતું કે જ્યાં સુધી સોમનાથ મહાદેવ અને દ્વારકાધીશ દરિયાકાંઠે બેઠા છે, ત્યાં સુધી ગુજરાતને ચિંતાની જરૂર નથી આમ, છતાં સરકારે પૂરતી તૈયારી કરી હોવાનું જણાવ્યું હતું. તો સૌરાષ્ટ્રને પાણીદાર બનાવવા જળ સંચય, સુજલામ અને સૌની યોજનાની કામગીરીની પ્રસંશા કરી હતી તો બહેનોને પગભર બનવવા માટે મોરબી મહિલા દૂધ સંઘની પ્રસંશા કરી હતી, આ સાથે રાજ્ય સરકારે પંચાયતથી લઈને પોલીસ વિભાગમાં મહિલાઓ માટે સરકારે કરેલો ભરતી અને મહિલા અનામતની યાદ અપાવીને કોંગ્રેસ પાર આકરા પ્રહારો કર્યા હતાં, સાથે જ મોરબીના મંચ પરથી ફરી ખેડૂતોને આશ્વાસન આપ્યું હતું કે ખેડૂતોને નુકશાન થયું છે તેને પુરી સહાય આપવામાં આવશે અને ખેડૂતોની ચિંતા સરકાર કરશે.