મોરબી: તાજેતરમાં બનેલી ચીન દ્વારા ભારતીય જવાનો પર હુમલાની ઘટનાને લઈને દેશભરમાં પ્રચંડ આક્રોશ જોવા મળી રહ્યો છે. આ દુર્ઘટનામાં 20 જેટલા ભારતીય સેનાના બહાદુર જવાનોએ શહીદી વહોરી છે. ચીનના આ કાયરતાભર્યા પગલાંનો આમ આદમી પાર્ટી ગુજરાતના કાર્યકરો દ્વારા સખત શબ્દોમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે.
જેના ભાગરૂપે મોરબી ગાંધી ચોકમાં આવેલ શહિદ ભગતસિંહના સ્ટેચ્યુ પાસે મોરબી આમ આદમી પાર્ટી દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તેમજ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો.