મહેસાણા શહેરમાં વડાપ્રધાન મોદીના આહવાનથી ગત રોજ સંપૂર્ણ જનતા કરફ્યૂ રહ્યો હતો. જેમાં જિલ્લાના તમામ નાગરિકોએ સમર્થન આપી એક દિવસનો બંધ પાડ્યો હતો. જોકે પરિસ્થિતિ સામે સુરક્ષિત રહેવા આજે પણ જિલ્લામાં જાહેરનામા પ્રમાણે લોકોના એકઠા થવા પર અને બિન જરૂરી બહાર નીકળવા પર પ્રતિબંધ છે.
મહેસાણા નગરપાલિકાએ આ સમયનો સદઉપયોગ કરતા પાલિકાની ફાયર ટિમની મદદથી પાણીના ફાયર ફાઈટરની ટેન્કમાં સેનેટાઇજર ઉમેરી શહેરના તમામ વિસ્તારમાં જાહેર જગ્યાઓ પર જઈ સેનેટાઇજરનો છંટકાવ કર્યો છે. જેથી શહેરમાં કોરોના જેવા વાયરસની મહામારી વચ્ચે નગરજનોને સુરક્ષા પ્રાપ્ત થાય તેવો પ્રયાસ નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે.