- મહીસાગર લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કોવિડ -19 અંગે જાગૃતિના પ્રયાસ
- પોસ્ટર તથા મોબાઇલ વાન દ્વારા જાગૃતિ કાર્યક્રમ
- સાયન્સ અને ટેકનોલોજી વિભાગ ગાંધીનગર દ્વારા વીડિયો તથા પ્રદર્શન
મહીસાગરઃ જિલ્લાના લોકોને આ રોગથી બચવા માટે કયા પ્રકારની તકેદારી રાખવી એ માટે ગુજરાત સરકારના સાયન્સ અને ટેકનોલોજી વિભાગ ગાંધીનગર દ્વારા વીડિયો તથા પ્રદર્શનની શ્રેણી તૈયાર કરવામાં આવી છે. જે જિલ્લાના તમામ ગામડાઓ સુધી પહોંચે એ માટે મહીસાગર લોક વિજ્ઞાન કેન્દ્ર લુણાવાડા સતત કાર્ય કરી રહ્યું છે.
![મહીસાગર લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જિલ્લામાં કોવિડ -19 જનજાગૃતિ અભિયાન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/r-gj-msr-01-jan-jagruti-abhiyan-script-photo-3-gj1000_28122020174454_2812f_1609157694_920.jpg)
કાર્યક્રમ છેલ્લા ઓક્ટોબર માસથી કાર્યરત
આ કાર્યક્રમમાં માસ્ક કેવી રીતે પહેરવું, કોરોના અંગે પ્રશ્નોત્તરી વગેરે જણાવવામાં આવ્યું છે. મહીસાગર લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા છેલ્લા ઓક્ટોબર માસથી આ કાર્યક્રમ કાર્યરત છે. લુણાવાડા જિલ્લાના આદિવાસી વિસ્તાર તેમજ શહેરી વિસ્તારમાં આ કાર્યક્રમ કાર્યરત છે. તેમજ જિલ્લામાં ભરાતા અઠવાડિક હાટમાં પણ પ્રદર્શન લગાડવામાં આવે છે.
![મહીસાગર લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જિલ્લામાં કોવિડ -19 જનજાગૃતિ અભિયાન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/r-gj-msr-01-jan-jagruti-abhiyan-script-photo-3-gj1000_28122020174454_2812f_1609157694_394.jpg)
ઓડિયો વીડિયોના માધ્યમથી કોવિડ-19 વિશે જાગૃતતા
મહીસાગર જિલ્લાના અંતરિયાળ ગામો જેવા કે અંજાણવા, રેલ, ઉબેર ટેકરા, સરસવા, સાઠા, ચોપડા, ઉખરેલી, ખાનપુર તેમજ ઉડારા જેવા ગામોમાં પોસ્ટર લગાવીને તથા મોબાઇલ વાન દ્વારા જાગૃતિ કાર્યક્રમ તથા પ્રદર્શન જનજાગૃતિ કાર્યક્રમ દ્વારા ગામડાઓમાં કોવિડ-19 વિશે જાગૃતતા કાર્યક્રમ કરવામાં આવી છે. જેમાં મોબાઈલવાન દ્વારા ઓડિયો વીડિયોના માધ્યમથી તથા કોવિડ-19 જાગૃતતા પ્રદર્શન દ્વારા ગામડાઓમાં લોકોને વિશેષ માહિતી અને સૂચનાઓ દ્વારા માહિતગાર તથા જાગૃત કરવામાં આવ્યા હતા.