ETV Bharat / state

લુણાવાડામાં ભ્રષ્ટાચાર મામલે કમિશનરે આપ્યા તપાસના આદેશ, આધિકારીઓમાં ફફડાટ

author img

By

Published : Nov 17, 2019, 3:19 PM IST

મહીસાગર: લુણાવાડા ભાજપ મહામંત્રી અને લુણાવાડા નગરપાલિકા સભ્યે લુણાવાડા શહેરમાં બની રહેલ ટાઉન હોલમાં સરકારની ગ્રાન્ટનો દુરુપયોગ કરી સત્તાધીશો દ્વારા આચરવામાં આવી રહેલ ભ્રષ્ટાચારના આક્ષેપ વાળી લેખિત અરજી પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ વડોદરા કચેરીમાં કરી હતી. લુણાવાડા નગરપાલિકા કોંગ્રેસ શાસિત છે. ફરિયાદ આધારે પ્રાદેશિક કમિશનરે તપાસના આદેશ આપ્યા હતા. તપાસ અધિકારીએ તપાસની પ્રક્રિયા શરૂ કરવામાં આવતા લુણાવાડા નગરપાલિકાના સત્તાધીશો અને નગરપાલિકાના અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે.

corruption investigation in Lunawada

મહીસાગર જિલ્લાના વડા મથક લુણાવાડામાં કોંગ્રેસ શાસિત નગરપાલિકા છે. 6 કરોડથી વધુ રૂપિયાના ખર્ચે ટાઉન હોલ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જે ટાઉન હોલ બનાવમાં આવી રહ્યો છે, તેમાં લુણાવાડા નગરપાલિકાના સત્તાધીશો દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાની ફરિયાદ થઈ છે. સરકાર દ્વારા આપવામાં આવેલ ગ્રાન્ટનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે, તે પ્રકારના આક્ષેપ સાથે મહીસાગર જિલ્લા ભાજપના મહામંત્રી અને લુણાવાડા નગરપાલિકાના સભ્ય મુળજીભાઈ રાણાએ પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ વડોદરા કચેરીમાં અરજી કરી હતી.

લુણાવાડામાં ભ્રષ્ટાચારની તપાસ શરુ, આધિકારીઓમાં ફફડાટ

આ અરજીની તપાસ માટે પ્રાદેશિક કમિશનરે મહીસાગર જિલ્લા સંતરામપુર નગરપાલિકાના ચીફ ઓફિસર સંજય રામાનુજને તપાસ સોપી હતી. જેમાં તેઓ ટાઉન હૉલમાં સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ અને આચરવામાં આવી રહેલા ભ્રષ્ટાચારના આક્ષેપોની તપાસ કરવાની રહેશે. તપાસ અધિકારીએ તપાસ શરૂ કરી દીધી છે. જે બાબતે તપાસ અધિકારીએ લુણાવાડા નગરપાલિકા કચેરીમાં તપાસ કરી હતી, તેમજ જ્યાં ટાઉન હોલ બને છે, તે સ્થળની તપાસ કરી હતી. જેના કારણે લુણાવાડા નગરપાલિકાના સત્તાધીશો અને નગરપાલિકા અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

ઉલ્લેખનીય છે કે, લુણાવાડા નગરપાલિકાને સરકાર દ્વારા મહીસાગર જિલ્લા સેવા સદન પાસે ટાઉન હોલ બનાવવા જમીન ફાળવી હતી. તે જગ્યા પર ટાઉન હોલ બનાવવા માટેની તમામ પ્રકારની મંજૂરીઓ લઇ ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ કરી લીધી હતી. પરંતુ સંજોગો વસાત તે જગ્યા રદ થતા ટાઉન હોલ બનાવવાનું કામ અટકી ગયું હતું. હાલના લુણાવાડા નગરપાલિકાના સત્તાધીશોએ લુણાવાડામાં આવેલ એક માત્ર રમત ગમતમાં મેદાનમાં ટાઉન હોલ બનાવવાનું કામ શરૂ કર્યું હતું.

મહીસાગર જિલ્લા ભાજપના મહામંત્રી અને નગરપાલિકા સભ્ય મુળજી રાણાએ આક્ષેપ કર્યો હતો કે, હાલ નવીન જગ્યાએ ટાઉન હોલ બની રહ્યો છે. તે જગ્યા અગાઉ ફાળવેલી જગ્યા કરતા ખુબ જ નાની છે, અને આ નવીન જગ્યા માટે ટાઉન હોલ બનાવવા કોઈ પણ પ્રકારના પ્લાન એસ્ટીમેન્ટ કે મંજૂરીઓ મેળવી નથી. ફક્ત સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કરી અને ભ્રષ્ટાચાર કરવાના ઉદ્દેશથી ટાઉન હોલ બનાવવાનું કામ શરૂ કરી દીધું છે. માત્ર ખાડા ખોદી 46 લાખ જેટલી માતબર રકમ કોન્ટ્રાક્ટરને ચૂકવવામાં આવી છે. સરકારની ગ્રાન્ટનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચરી રહ્યાં છે.

મહીસાગર જિલ્લાના વડા મથક લુણાવાડામાં કોંગ્રેસ શાસિત નગરપાલિકા છે. 6 કરોડથી વધુ રૂપિયાના ખર્ચે ટાઉન હોલ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જે ટાઉન હોલ બનાવમાં આવી રહ્યો છે, તેમાં લુણાવાડા નગરપાલિકાના સત્તાધીશો દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાની ફરિયાદ થઈ છે. સરકાર દ્વારા આપવામાં આવેલ ગ્રાન્ટનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે, તે પ્રકારના આક્ષેપ સાથે મહીસાગર જિલ્લા ભાજપના મહામંત્રી અને લુણાવાડા નગરપાલિકાના સભ્ય મુળજીભાઈ રાણાએ પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ વડોદરા કચેરીમાં અરજી કરી હતી.

લુણાવાડામાં ભ્રષ્ટાચારની તપાસ શરુ, આધિકારીઓમાં ફફડાટ

આ અરજીની તપાસ માટે પ્રાદેશિક કમિશનરે મહીસાગર જિલ્લા સંતરામપુર નગરપાલિકાના ચીફ ઓફિસર સંજય રામાનુજને તપાસ સોપી હતી. જેમાં તેઓ ટાઉન હૉલમાં સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ અને આચરવામાં આવી રહેલા ભ્રષ્ટાચારના આક્ષેપોની તપાસ કરવાની રહેશે. તપાસ અધિકારીએ તપાસ શરૂ કરી દીધી છે. જે બાબતે તપાસ અધિકારીએ લુણાવાડા નગરપાલિકા કચેરીમાં તપાસ કરી હતી, તેમજ જ્યાં ટાઉન હોલ બને છે, તે સ્થળની તપાસ કરી હતી. જેના કારણે લુણાવાડા નગરપાલિકાના સત્તાધીશો અને નગરપાલિકા અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

ઉલ્લેખનીય છે કે, લુણાવાડા નગરપાલિકાને સરકાર દ્વારા મહીસાગર જિલ્લા સેવા સદન પાસે ટાઉન હોલ બનાવવા જમીન ફાળવી હતી. તે જગ્યા પર ટાઉન હોલ બનાવવા માટેની તમામ પ્રકારની મંજૂરીઓ લઇ ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ કરી લીધી હતી. પરંતુ સંજોગો વસાત તે જગ્યા રદ થતા ટાઉન હોલ બનાવવાનું કામ અટકી ગયું હતું. હાલના લુણાવાડા નગરપાલિકાના સત્તાધીશોએ લુણાવાડામાં આવેલ એક માત્ર રમત ગમતમાં મેદાનમાં ટાઉન હોલ બનાવવાનું કામ શરૂ કર્યું હતું.

મહીસાગર જિલ્લા ભાજપના મહામંત્રી અને નગરપાલિકા સભ્ય મુળજી રાણાએ આક્ષેપ કર્યો હતો કે, હાલ નવીન જગ્યાએ ટાઉન હોલ બની રહ્યો છે. તે જગ્યા અગાઉ ફાળવેલી જગ્યા કરતા ખુબ જ નાની છે, અને આ નવીન જગ્યા માટે ટાઉન હોલ બનાવવા કોઈ પણ પ્રકારના પ્લાન એસ્ટીમેન્ટ કે મંજૂરીઓ મેળવી નથી. ફક્ત સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કરી અને ભ્રષ્ટાચાર કરવાના ઉદ્દેશથી ટાઉન હોલ બનાવવાનું કામ શરૂ કરી દીધું છે. માત્ર ખાડા ખોદી 46 લાખ જેટલી માતબર રકમ કોન્ટ્રાક્ટરને ચૂકવવામાં આવી છે. સરકારની ગ્રાન્ટનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચરી રહ્યાં છે.

Intro:


લુણાવાડા:-
મહીસાગર જિલ્લા ભાજપ મહામંત્રી અને લુણાવાડા નગરપાલિકા સભ્ય દ્વારા કોંગ્રેસ શાસિત લુણાવાડા નગરપાલિકાના
સત્તાધીશો દ્વારા લુણાવાડા શહેરમાં બની રહેલ ટાઉન હોલમાં સરકારની ગ્રાન્ટનો દુરુપયોગ કરી સત્તાધીશો દ્વારા
આચરવામાં આવી રહેલ ભ્રષ્ટાચારના આક્ષેપો વાળી અરજી પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ વડોદરા કચેરીમાં કરતા
પ્રાદેશિક કમિશનર દ્વારા તપાસના આદેશ અપાતા તપાસ અધિકારી દ્વારા તપાસ પ્રક્રિયા શરૂ કરવામાં આવતા લુણાવાડા
નગરપાલિકાના સત્તાધીશો અને નગરપાલિકાના અધિકારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે.
Body: મહીસાગર જિલ્લાના વડા મથક લુણાવાડામાં કોંગ્રેસ શાસિત લુણાવાડા નગરપાલિકા દ્વારા છ કરોડ થી વધુ રૂપિયાના
ખર્ચે ટાઉન હોલ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે અને જે ટાઉન હોલ બનાવમાં આવી રહ્યો છે તેમાં લુણાવાડા નગરપાલિકાના સત્તાધીશો દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે અને સરકાર દ્વારા આપવામાં આવી રહેલ ગ્રાન્ટનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે તે પ્રકારના આક્ષેપ સાથે મહીસાગર જિલ્લા ભાજપના મહામંત્રી અને લુણાવાડા નગરપાલિકાના સભ્ય મુળજીભાઈ રાણા એ પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ વડોદરા કચેરીમાં અરજી કરતા પ્રાદેશિક કમિશનર દ્વારા મહીસાગર જિલ્લા સંતરામપુર નગરપાલિકાના ચીફ ઓફિસર સંજય રામાનુજ ને લુણાવાડા નગરપાલિકા દ્વારા બનવામાં આવી રહેલ ટાઉન હૉલમાં થઈ રહેલ સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કરી અને આચરવામાં આવી રહેલ ભ્રષ્ટાચારના આક્ષેપોની તપાસ સોંપવામાં આવતા તપાસ અધિકારી એ તપાસ શરૂ કરી છે અને જે બાબતે તપાસ અધિકારી એ લુણાવાડા નગરપાલિકા કચેરી માં જઈ ટાઉન હોલ વિશેનું દફતર તપાસ્યું હતું તેમજ જ્યાં ટાઉન હોલ બને છે તે સ્થળની સ્થળ તપાસ કરી હતી. જેના કારણે લુણાવાડા નગરપાલિકાના સત્તાધીશો અને નગરપાલિકા અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
Conclusion: ઉલ્લેખનિય છે કે લુણાવાડા નગરપાલિકા ને સરકાર દ્વારા મહીસાગર જિલ્લા સેવા સદન પાસે ટાઉન હોલ બનાવવા
જમીન ફાળવી હતી અને તે જગ્યા પર ટાઉન હોલ બનાવવા માટેની તમામ પ્રકારની મંજૂરીઓ લઇ ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ
કરી લીધી હતી પરંતુ સંજોગો વસાત તે જગ્યા રદ થતા ટાઉન હોલ બનાવવાનું કામ અટકી ગયું હતું ત્યારે હાલના લુણાવાડા
નગરપાલિકાના સત્તાધીશો એ લુણાવાડામાં આવેલ એક માત્ર રમત ગમતમાં મેદાનમાં ટાઉન હોલ બનાવવાનું કામ શરૂ
કરવામાં આવ્યું હતું ત્યારે મહીસાગર જિલ્લા ભાજપના મહામંત્રી અને નગરપાલિકા સભ્ય મુળજીભાઈ રાણા એ આક્ષેપ કર્યા
હતા કે હાલ જે જગ્યા એ નવીન ટાઉન હોલ બની રહેલ છે તે જગ્યા સરકાર દ્વારા અગાઉ ફાળવેલ જગ્યા કરતા ખુબજ નાની
છે અને આ નવીન જગ્યા માટે ટાઉન હોલ બનાવવા કોઈ પણ પ્રકારના પ્લાન એસ્ટીમેટ સરકારમાં રજૂ કરી કોઈપણ પ્રકારની
સરકાર પાસેથી મંજૂરીઓ મેળવ્યા વગર ફક્ત સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કરી અને ભ્રષ્ટાચાર કરવાના ઉદેશથી ટાઉન હોલ
બનાવવાનું કામ શરૂ કરી દીધેલ છે અને ફક્ત ખાડા ખોદી 46 લાખ જેટલી માતબર રકમ કોન્ટ્રાક્ટરને ચૂકવી દીધેલ છે અને
સરકારની ગ્રાન્ટનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચરેલ છે.
બાઇટ- સંજય ટી.રામાનુજ (તપાસ અધિકારી-ચીફ ઓફિસર, સંતરામપુર નગરપાલિકા)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.