ETV Bharat / state

કચ્છની રેલ સેવાઓ સતત 3 દિવસથી બંધ, મંગળવારથી શરુ થવાની ધારણા

author img

By

Published : Aug 12, 2019, 7:30 PM IST

કચ્છઃ જિલ્લામાં ભારે વરસાદને પગલે રેલવે તંત્રને કરોડોનું નુકશાન પહોંચ્યું છે. વરસાદમાં રેલ ટ્રેક ધોવાઈ જવાથી આજે સોમવારે સતત ત્રીજા દિવસે કચ્છનો તમામ રેલ વ્યવહાર અટવાયેલો છે. જોકે તંત્રની યુદ્ધના ધોરણે કામગીરીને પગલે મંગળવારથી રેલ સેવાઓ પુર્વવત થાય તેવી શકયતા જોવાઈ રહી છે.

કચ્છની રેલ સેવાઓ સતત 3 દિવસથી બંધ, મંગળવારથી પુર્વવત થવાની ધારણા, ETV BHARAT

ભચાઉ તાલુકાના ઘરાણા ગામનું તળાવ તૂટી પડતાં વોંધ ગામ નજીક રેલવે ટ્રેકનું ધોવાણ થયું છે. જેને પગલે કચ્છ,મુંબઈની 3 સહિત તમામ રેલવે સેવાઓ રદ્દ કરાઈ છે. દરમ્યાન ખોરવાયેલો રેલવે વ્યવહાર પૂર્વવત કરવા રેલવે દ્વારા અમદાવાદ ડિવિઝનના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન તળે યુદ્ધના ધોરણે સમારકામ શરુ કરવામાં આવ્યું છે. શનિવારે પડેલા ભારે વરસાદના પગલે સામખિયાળીથી આગળ વોંધ અને લાકડિયા પાસે ટ્રેકમાં ભંગાણ સર્જાયું હતું. જેના પગલે કચ્છનો રેલવે વ્યવહાર ખોરવાઈ ગયો હતો.

KUTCH
કચ્છની રેલ સેવાઓ સતત 3 દિવસથી બંધ, મંગળવારથી પુર્વવત થવાની ધારણા, ETV BHARAT

3 સ્થળે સર્જાયેલા ભંગાણ પૈકી વોંધ પાસે સૌથી વધુ નુકસાન થયું છે. અંદાજે 2 કિલોમીટરથી વધુનો ટ્રેક સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે. સમારકામ માટે યુદ્ધના ધોરણે પ્રશાસન દ્વારા કામગીરી આરંભાઈ છે. અમદાવાદ ડિવિઝનના A.D.R.M. અને A.D.E.N. સહિતના અધિકારીઓ સમારકામની કામગીરીનું સતત મોનિટરિંગ કરી રહ્યા છે. ભંગાણના સમારકામ માટે અંદાજે 250થી વધુ કામદારો લગાડવામાં આવ્યા છે. હજુ મંગળવાર સુધીમાં રેલવે વ્યવહાર પૂર્વવત કરવામાં લાગી શકે છે.

KUTCH
કચ્છની રેલ સેવાઓ સતત 3 દિવસથી બંધ, મંગળવારથી પુર્વવત થવાની ધારણા, ETV BHARAT

ભારે વરસાદના કારણે માલ પરિવહન પણ ઠપ થઇ ગયુ છે. રેલવેના ગાંધીધામ ડિવિઝનમાંથી મુંદરા, કંડલા સહિત પ્રતિદિન 65 થી 70 માલગાડીઓની અવરજવર થાય છે. રેલવે ટ્રેક ધોવાઈ જતાં દિલ્હી, અમદાવાદ, પાલનપુરથી ગાંધીધામ વચ્ચે કોઈ કનેક્શન ન રહેતાં ટ્રેન મારફતે થતી માલની હેરફેર પણ સદંતર ઠપ થઈ ગઈ છે. જેના કારણે રેલવે તંત્રને કરોડોનો ફટકો પડયો છે તો બીજી તરફ સતત 3 દિવસથી સેવાઓ બંધ હોવાથી હજારોની સંખ્યામાં પ્રવાસીઓ પણ અટવાઈ ગયા છે.

ભચાઉ તાલુકાના ઘરાણા ગામનું તળાવ તૂટી પડતાં વોંધ ગામ નજીક રેલવે ટ્રેકનું ધોવાણ થયું છે. જેને પગલે કચ્છ,મુંબઈની 3 સહિત તમામ રેલવે સેવાઓ રદ્દ કરાઈ છે. દરમ્યાન ખોરવાયેલો રેલવે વ્યવહાર પૂર્વવત કરવા રેલવે દ્વારા અમદાવાદ ડિવિઝનના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન તળે યુદ્ધના ધોરણે સમારકામ શરુ કરવામાં આવ્યું છે. શનિવારે પડેલા ભારે વરસાદના પગલે સામખિયાળીથી આગળ વોંધ અને લાકડિયા પાસે ટ્રેકમાં ભંગાણ સર્જાયું હતું. જેના પગલે કચ્છનો રેલવે વ્યવહાર ખોરવાઈ ગયો હતો.

KUTCH
કચ્છની રેલ સેવાઓ સતત 3 દિવસથી બંધ, મંગળવારથી પુર્વવત થવાની ધારણા, ETV BHARAT

3 સ્થળે સર્જાયેલા ભંગાણ પૈકી વોંધ પાસે સૌથી વધુ નુકસાન થયું છે. અંદાજે 2 કિલોમીટરથી વધુનો ટ્રેક સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે. સમારકામ માટે યુદ્ધના ધોરણે પ્રશાસન દ્વારા કામગીરી આરંભાઈ છે. અમદાવાદ ડિવિઝનના A.D.R.M. અને A.D.E.N. સહિતના અધિકારીઓ સમારકામની કામગીરીનું સતત મોનિટરિંગ કરી રહ્યા છે. ભંગાણના સમારકામ માટે અંદાજે 250થી વધુ કામદારો લગાડવામાં આવ્યા છે. હજુ મંગળવાર સુધીમાં રેલવે વ્યવહાર પૂર્વવત કરવામાં લાગી શકે છે.

KUTCH
કચ્છની રેલ સેવાઓ સતત 3 દિવસથી બંધ, મંગળવારથી પુર્વવત થવાની ધારણા, ETV BHARAT

ભારે વરસાદના કારણે માલ પરિવહન પણ ઠપ થઇ ગયુ છે. રેલવેના ગાંધીધામ ડિવિઝનમાંથી મુંદરા, કંડલા સહિત પ્રતિદિન 65 થી 70 માલગાડીઓની અવરજવર થાય છે. રેલવે ટ્રેક ધોવાઈ જતાં દિલ્હી, અમદાવાદ, પાલનપુરથી ગાંધીધામ વચ્ચે કોઈ કનેક્શન ન રહેતાં ટ્રેન મારફતે થતી માલની હેરફેર પણ સદંતર ઠપ થઈ ગઈ છે. જેના કારણે રેલવે તંત્રને કરોડોનો ફટકો પડયો છે તો બીજી તરફ સતત 3 દિવસથી સેવાઓ બંધ હોવાથી હજારોની સંખ્યામાં પ્રવાસીઓ પણ અટવાઈ ગયા છે.

Intro: કચ્છમાં ભારે વરસાદને પગલે રેલવે તંત્રને કરોડોનું નુકશાન પહોંચ્યું છે. વરસાદમાં રેલ ટ્રેક ધોવાઈ જવાથી આજે સતત ત્રીજા દિવસે કચ્છનો તમામ રેલ વ્યવહાર અટવાયેલો છે. જોકે તંત્રની યુદ્ધના ધોરણે કામગીરીને પગલે આવતીકાલ મંગળવારથી રેલ સેવાઓ પુર્વવત થાય તેવી શકયતા જોવાઈ રહી છે. Body:


ભચાઉ તાલુકાના ઘરાણા ગામનું તળાવ તૂટી પડતાં વોંધ ગામ નજીક રેલવે સ્ટેશન રેલવે ટ્રેકનું' ધોવાણ થયું છે. જેને પગલે કચ્ચની મુંબઈની ત્રણ સહિત તમામ રેલવે સેવાઓ રદ્દ કરાઈ છે. . દરમ્યાન ખોરવાયેલો રેલવે વ્યવહાર પૂર્વવત કરવા રેલવે દ્વારા અમદાવાદ ડિવિઝનના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન તળે યુદ્ધના ધોરણે સમારકામ આદરવામાં આવ્યું છે. શનિવારે પડેલા ભારે વરસાદના પગલે સામખિયાળીથી આગળ વોંધ અને લાકડિયા પાસે' ટ્રેકમાં ભંગાણ સર્જાયું હતું. જેના પગલે કચ્છનો રેલવે વ્યવહાર ખોરવાઈ ગયો હતો. ત્રણ સ્થળે સર્જાયેલા ભંગાણ પૈકી વોંધ પાસે સૌથી વધુ નુકસાન થયું છે. અંદાજે બે કિલોમીટરથી વધુનો ટ્રેક સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે. સમારકામ માટે યુદ્ધના ધોરણે પ્રશાસન દ્વારા કામગીરી આરંભાઈ છે. અમદાવાદ ડિવિઝનના એ.ડી.આર.એમ. અને એ.ડી.ઈ.એન. સહિતના અધિકારીઓ સમારકામની કામગીરીનું સતત મોનિટરિંગ કરી રહ્યા છે. ભંગાણના સમારકામ માટે અંદાજે 250થી વધુ કામદારો લગાડવામાં આવ્યા' છે. હજુ આવતીકાલ સુધીમાં રેલવે વ્યવહાર પૂર્વવત કરવામાં લાગી શકે છે.
ભારે વરસાદના કારણે માલ પરિવહન પણ ઠપ રેલવેના ગાંધીધામ ડિવિઝનમાંથી મુંદરા, કંડલા સહિત પ્રતિ દિન 65થી 70 માલગાડીઓની અવરજવર થાય છે. રેલવે ટ્રેક ધોવાઈ જતાં દિલ્હી, અમદાવાદ, પાલનપુરથી ગાંધીધામ વચ્ચે કોઈ કનેક્શન ન રહેતાં ટ્રેન મારફતે થતી માલની હેરફેર પણ સદંતર ઠપ થઈ ગઈ છે. જેના કારણે રેલવે તંત્રને કરોડોનો ફટકો પડયો છે તો બીજીતરફ સતત ત્રણ દિવસથી સેવાઓ બંધ હોવાથી હજારોની સંખ્યામાં પ્રવાસીઓ પણ અટવાઈ ગયા છે.
Conclusion:null
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.