ETV Bharat / state

કચ્છમાં લીલા દુષ્કાળની સ્થિતિ, પાકને વ્યાપક નુકસાનથી ખેડૂતો પરેશાન

author img

By

Published : Oct 1, 2019, 4:09 PM IST

કચ્છઃ જિલ્લામાં ચોમાસાની રાહ જોનારા કચ્છીજનો હવે મેઘરાજાને ખમૈયા કરોની વિનવી રહયા છે. કારણ કે, દુષ્કાળ અને અછતની સ્થિતિમાંથી બહાર નીકેળેલા કચ્છીમાડુઓની હરખની હેલી સામે હવે લીલા દુકાળના ડાકલા સંભળાવાનું શરૂ થતાં ખેડૂતો પર દશા બેસી રહી છે. કચ્છમાં આ વખતે આસો મહિનાના આગમન સુધી વરસાદી હેલી ચાલુ રહેતાં માલધારીઓ હરખાયા છે, તો ખેડૂતો આ માહોલમાં હતાશા અનુભવી રહ્યા છે. સમયાંતરે થતી વૃષ્ટિથી હવે પાક નિષ્ફળ જવાની ફડક પેઠી છે.

સ્પોટ ફોટો

સમગ્ર કચ્છમાં અને ખાસ કરીને અંજાર મુંદરા વાગડ પંથકમાં વ્યાપક વરસાદના લીધે તલ, મગ, મઠ, બાજરો જેવા ખરીફ પાકની હાલત બગડતા ખેડૂતોને રોવાનો વખત આવે તેવા એંધાણ છે. રાપર તાલુકામાં મોસમનો કુલ વરસાદ 801 મિ.મી. રહ્યો છે. પરિણામે લીલા દુકાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. શ્રાદ્ધ પૂર્ણ થતાં અને નવરાત્રિ શરૂ થતાં મેઘરાજાએ પણ નૂર હણી લીધું હોય તેવો ત્રણ દિવસથી માહોલ સર્જાયો છે. છેલ્લા ત્રણ દિવસથી આકાશમાંથી વરસાદ નહીં, જાણે અરમાનોનો કડૂસલો બોલવાથી આફત વરસી રહી હોય તેવો સિનારિયો જોવા મળી રહ્યો છે.

કચ્છમાં લીલા દુષ્કાળની સ્થિતિ

મોંઘી ખેડ, મોંઘી વાવણી અને ખર્ચના ખાડામાં ઉતર્યા પછી મોઢે આવેલો કોળિયો છીનવાઈ જવાનો તાલ છે. રતનાલના યુવા ખેડૂત દેવજી આહીરના કહેવા મુજબ વરસાદની સાથે વાયેલો વાયરો ખેડૂતો માટે વેરી બન્યો છે. મોલ પાકવા પર હતો અને હવે વરસાદ સાથેના વાયરાએ મોલને ભો ભીતર કરી દેતા હવે મોલ કોહવાઈ જશે એટલે પશુ પણ એ બગડી ગયેલા ચારાને ખાઇ શકશે નહીં. વેદના વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે, બાજરી, મગ, ગુવાર, તલ, જુવાર, મઠ વિગેરે પાકોનો આ વરસાદી ઝડીએ સોથ બોલાવી દીધો છે.

ખેડુતોને અઠવાડીયા પહેલા અનેક અરમાનો મનમાં હતા કે, આટલા આડિયા મગના થશે. આટલા કળશી બાજરો થશે, મગ અને તલ થશે. ઢોર માટે ચારાની કાલરો બનાવવી પડશે. ખડાઓમાં ઢગલા થશે પણ ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદે આ બધા અરમાનો પર આકાશમાંથી સીધું પાણી ફેરવી દીધું છે.

જોકે કચ્છમાં આઠથી દસ દિવસના વરસાદના કારણે સીમમાં ઢગલા મોઢે ઘાસ ઊગ્યું છે. ભૂગર્ભ પાણીના સ્તર પણ ઊંચા આવ્યા છે. વન-વગડામાં પશુ અને રાની પશુઓની પીવાના પાણીની તકલીફ પણ દૂર થઈ છે. પણ સાથે-સાથે કપાસ, તલ, બાજરા, ભુતડીના પાકોને મોટું નુકસાન પણ થયું છે. સતત એકધારા અનરાધાર વરસાદ પછી તડકા નીકળવા જોઈએ એ નીકળ્યા નથી. હવે તડકા નીકળે તો પણ નુકસાની થઈ છે એ ભરપાઈ કરી શકાશે નહીં.

સમગ્ર કચ્છમાં અને ખાસ કરીને અંજાર મુંદરા વાગડ પંથકમાં વ્યાપક વરસાદના લીધે તલ, મગ, મઠ, બાજરો જેવા ખરીફ પાકની હાલત બગડતા ખેડૂતોને રોવાનો વખત આવે તેવા એંધાણ છે. રાપર તાલુકામાં મોસમનો કુલ વરસાદ 801 મિ.મી. રહ્યો છે. પરિણામે લીલા દુકાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. શ્રાદ્ધ પૂર્ણ થતાં અને નવરાત્રિ શરૂ થતાં મેઘરાજાએ પણ નૂર હણી લીધું હોય તેવો ત્રણ દિવસથી માહોલ સર્જાયો છે. છેલ્લા ત્રણ દિવસથી આકાશમાંથી વરસાદ નહીં, જાણે અરમાનોનો કડૂસલો બોલવાથી આફત વરસી રહી હોય તેવો સિનારિયો જોવા મળી રહ્યો છે.

કચ્છમાં લીલા દુષ્કાળની સ્થિતિ

મોંઘી ખેડ, મોંઘી વાવણી અને ખર્ચના ખાડામાં ઉતર્યા પછી મોઢે આવેલો કોળિયો છીનવાઈ જવાનો તાલ છે. રતનાલના યુવા ખેડૂત દેવજી આહીરના કહેવા મુજબ વરસાદની સાથે વાયેલો વાયરો ખેડૂતો માટે વેરી બન્યો છે. મોલ પાકવા પર હતો અને હવે વરસાદ સાથેના વાયરાએ મોલને ભો ભીતર કરી દેતા હવે મોલ કોહવાઈ જશે એટલે પશુ પણ એ બગડી ગયેલા ચારાને ખાઇ શકશે નહીં. વેદના વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે, બાજરી, મગ, ગુવાર, તલ, જુવાર, મઠ વિગેરે પાકોનો આ વરસાદી ઝડીએ સોથ બોલાવી દીધો છે.

ખેડુતોને અઠવાડીયા પહેલા અનેક અરમાનો મનમાં હતા કે, આટલા આડિયા મગના થશે. આટલા કળશી બાજરો થશે, મગ અને તલ થશે. ઢોર માટે ચારાની કાલરો બનાવવી પડશે. ખડાઓમાં ઢગલા થશે પણ ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદે આ બધા અરમાનો પર આકાશમાંથી સીધું પાણી ફેરવી દીધું છે.

જોકે કચ્છમાં આઠથી દસ દિવસના વરસાદના કારણે સીમમાં ઢગલા મોઢે ઘાસ ઊગ્યું છે. ભૂગર્ભ પાણીના સ્તર પણ ઊંચા આવ્યા છે. વન-વગડામાં પશુ અને રાની પશુઓની પીવાના પાણીની તકલીફ પણ દૂર થઈ છે. પણ સાથે-સાથે કપાસ, તલ, બાજરા, ભુતડીના પાકોને મોટું નુકસાન પણ થયું છે. સતત એકધારા અનરાધાર વરસાદ પછી તડકા નીકળવા જોઈએ એ નીકળ્યા નથી. હવે તડકા નીકળે તો પણ નુકસાની થઈ છે એ ભરપાઈ કરી શકાશે નહીં.

Intro: કચ્છમાં ચોમાસાની રાહ જોનારા કચ્છીજનો હવે મેઘરાજાને ખમૈયા કરોની વિનવણી કરી રહયા છે. કારણ કે દુષ્કાળ અને અછતની સ્થિતીમાંથી માંડ બહાર નિકેળેલા કચ્છીમાડુઓની હરખને હેલી સામે હવે લીલા દુકાળના ડાકલા સંભળાવાનું શરૂ થતાં ખેડુતો પર દશા બેસી રહી છે. કચ્છમાં આ વખતે આસો મહિનાના આગમન સુધી વરસાદી હેલી ચાલુ રહેતાં માલધારીઓ હરખાય છે, તો ખેડૂતો આ માહોલમાં હતાશા અનુભવી રહ્યા છે. સમયાંતરે થતી વૃષ્ટિથી હવે પાક નિષ્ફળ જવાની ફડક પેઠી છે. Body:


સમગ્ર કચ્છમાં અને ખાસ કરીને અંજાર મુંદરા વાગડ પથકમાં વ્યાપક વરસાદના લીધે તલ, મગ, મઠ, બાજરો જેવા ખરીફ પાકની હાલત બગડતાં ખેડૂતોને રોવાનો વખત આવે તેવા એંધાણ છે. રાપર તાલુકામાં મોસમનો કુલ વરસાદ 801 મિ.મી. રહ્યો છે. પરિણામે લીલા દુકાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. શ્રાદ્ધ પૂર્ણ થતાં અને નવરાત્રિ શરૂ થતાં મેઘરાજાએ પણ નૂર હણી લીધું હોય તેવો ત્રણ દિવસથી માહોલ સર્જાયો છે. છેલ્લા ત્રણ દિવસથી આકાશમાંથી વરસાદ નહીં, જાણે અરમાનોનો કડૂસલો બોલવાથી આફત વરસી રહી હોય તેવો સિનારિયો છે .

મોંઘી ખેડ, મોંઘી વાવણી અને ખર્ચના ખાડામાં ઉતર્યા પછી મોઢે આવેલો કોળિયો છીનવાઈ જવાનો તાલ છે.રતનાલના યુવા ખેડુત દેવજી આહીરના કહેવા મુજબ વરસાદની સાથે વાયેલો વાયરો ખેડૂતો માટે વેરી બન્યો છે. મોલ પાકવા પર હતો અને હવે વરસાદ સાથેના વાયરાએ મોલને ભો ભીતર કરી દેતા હવે મોલ કોહવાઈ જશે એટલે પશુ પણ એ બગડી ગયેલા ચારાને ખાશે નહીં. વેદના વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે બાજરી, મગ, ગુવાર, તલ, જુવાર, મઠ વિગેરે પાકોનો આ વરસાદી ઝડીએ સોથ બોલાવી દીધો છે.

ખેડુતોને અઠવાડીયા પહેલા અનેક અરમાનો મનમાં હતા કે આટલા આડિયા મગના થશે .. આટલા કળશી બાજરો થશે, મગ અને તલ થશે.. ઢોર માટે ચારાની કાલરો બનાવવી પડશે.. ખડાઓમાં ઢગલા થશે પણ ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદે આ બધા અરમાનો પર આકાશમાંથી સીધું પાણી ફેરવી દીધું !

જોકે કચ્છમાં આઠથી દસ દિવસના વરસાદના કારણે સીમમાં ઢગલા મોઢે ઘાસ ઊગ્યું છે ભૂગર્ભ પાણીના સ્તર પણ ઊંચા આવ્યા છે. વન-વગડામાં પશુ અને રાની પશુઓની પીવાના પાણીની તકલીફ પણ દૂર થઈ છે. પણ સાથે સાથે કપાસ, તલ, બાજરા, ભુતડીના પાકોને મોટું નુકસાન પણ થયું છે. સતત એકધારા અનરાધાર વરસાદ પછી તડકા નીકળવા જોઈએ એ નીકળ્યા નથી. હવે તડકા નીકળે તો પણ નુકસાની થઈ છે એ ભરપાઈ કરી શકાશે નહીં.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.