ખેડાના ડાકોર નજીક આવેલા આગરવા ગામ પાસેથી પસાર થતી આણંદ ગોધરા રેલવે ટ્રેક પર ગુડ્સ ટ્રેનની અડફેટે આવતા બે વ્યક્તિના મોત નિપજ્યા હતા. આ ઘટનાને લઇ મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થઇ ગયા હતા.
ગામના સરપંચ દ્વારા મૃતક યુવક અને યુવતીની ઓળખ કરતા બન્ને આગરવા પાસે આવેલા નવાપુરાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. એક જ ગામના 2 વ્યક્તિના મોતને પગલે સમગ્ર ગામમાં શોકનું વાતાવરણ ફેલાયું હતું. આ ઘટનાને પગલે ઠાસરાના ધારાસભ્ય કાંતિભાઈ પરમાર તેમજ રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ ઘટના સંદર્ભે રેલવે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરાઈ હતી.