ETV Bharat / state

જૂનાગઢમાં પ્રદૂષણ અટકાવવાના હેતુથી દિવાળીમાં ફટાકડા ન ફોડવા વિદ્યાર્થીઓને શપથ લેવડાવ્યાં

જૂનાગઢઃ દિવાળીને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, ત્યારે પ્રદૂષણની ચિંતા લોકોને સતાવી રહી છે. જેથી વિવિધ સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા પ્રદૂષણ અટકાવવાના હેતુસર વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. જેમાં બાળકોને ફટાકડા ન ફોડવા માટે શપથ લેવડાવવામાં આવી રહ્યાં છે. સાથે પ્રદૂષણ અટકાવવા માટે વૃક્ષારોપણ કરવાની સૂચના આપવામાં આવી હતી.

author img

By

Published : Oct 18, 2019, 2:14 PM IST

Updated : Oct 18, 2019, 2:23 PM IST

વિદ્યાર્થીઓને દિવાળીમાં ફટાકડા ન ફોડવા શપથ લેવડાવ્યાં

દિવસેને દિવસે પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે.જેની સામે વૃક્ષોનું પ્રમાણે ઘટી રહ્યું છે. એટલે વાતાવરણમાં ઝેરી રજકણોનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે દીવાળીના તહેવારમાં ફટાકડાની આતશબાજી આવા ઝેરી જંતુઓને પોષવાનું કામ કરે છે. સાથે અનેક ગંભીર બીમારીઓને જન્મ આપે છે. જેથી આવી બીમારીઓને અટકાવવા માટે પર્યાવરણ બચાવની ઝુંબેશ ચલાવવામાં આવી છે. જે અંતર્ગત જૂનાગઢની કે.પી.ગોડા હાઈસ્કુલમાં પર્યાવરણને બચાવવા અને પ્રદૂષણને અટકાવવા માટે જાગ્રુતતા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓને પર્યાવરણની જાણકારી આપીને ફટાકડા ન ફોડવા માટે શપથ લેડાવ્યા હતાં.

વિદ્યાર્થીઓને દિવાળીમાં ફટાકડા ન ફોડવા શપથ લેવડાવ્યાં

ઉલ્લેખનીય છે કે, દિવાળીના સમયમાં એક અઠવાડિયા સુધી વ્યાપક પ્રમાણમાં પ્રદૂષણ ફેલાય છે. જેના કારણે પર્યાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઈડ જેવા ઝેરી વાયુઓનું પ્રમાણ વાતાવરણમાં વિસ્તરે છે. આ બંને ઝેરી વાયુ શ્વાસ વાટે શરીરમાં પ્રવેશે છે જે કેટલાક કેસોમાં ખૂબ જ ઘાતક સાબિત થાય છે. તેથી દિવાળીના તહેવારોમાં ફટાકડા નહીં ફોડવા અથવા તો ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં ફોડવામાં આવે, તો વાતાવરણમાં ફેલાતા હવાના પ્રદૂષણને કંઈક અંશે રોકી શકાય તેમ છે. આથી, વિવિધ સંસ્થાઓ દ્વારા ફટાકડાનો ઉપયોગ ટાળવાની વિનંતી કરવામાં આવી રહી છે.

દિવસેને દિવસે પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે.જેની સામે વૃક્ષોનું પ્રમાણે ઘટી રહ્યું છે. એટલે વાતાવરણમાં ઝેરી રજકણોનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે દીવાળીના તહેવારમાં ફટાકડાની આતશબાજી આવા ઝેરી જંતુઓને પોષવાનું કામ કરે છે. સાથે અનેક ગંભીર બીમારીઓને જન્મ આપે છે. જેથી આવી બીમારીઓને અટકાવવા માટે પર્યાવરણ બચાવની ઝુંબેશ ચલાવવામાં આવી છે. જે અંતર્ગત જૂનાગઢની કે.પી.ગોડા હાઈસ્કુલમાં પર્યાવરણને બચાવવા અને પ્રદૂષણને અટકાવવા માટે જાગ્રુતતા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓને પર્યાવરણની જાણકારી આપીને ફટાકડા ન ફોડવા માટે શપથ લેડાવ્યા હતાં.

વિદ્યાર્થીઓને દિવાળીમાં ફટાકડા ન ફોડવા શપથ લેવડાવ્યાં

ઉલ્લેખનીય છે કે, દિવાળીના સમયમાં એક અઠવાડિયા સુધી વ્યાપક પ્રમાણમાં પ્રદૂષણ ફેલાય છે. જેના કારણે પર્યાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઈડ જેવા ઝેરી વાયુઓનું પ્રમાણ વાતાવરણમાં વિસ્તરે છે. આ બંને ઝેરી વાયુ શ્વાસ વાટે શરીરમાં પ્રવેશે છે જે કેટલાક કેસોમાં ખૂબ જ ઘાતક સાબિત થાય છે. તેથી દિવાળીના તહેવારોમાં ફટાકડા નહીં ફોડવા અથવા તો ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં ફોડવામાં આવે, તો વાતાવરણમાં ફેલાતા હવાના પ્રદૂષણને કંઈક અંશે રોકી શકાય તેમ છે. આથી, વિવિધ સંસ્થાઓ દ્વારા ફટાકડાનો ઉપયોગ ટાળવાની વિનંતી કરવામાં આવી રહી છે.

Intro:પ્રદૂષણ ઘટાડવા અને જીવ હત્યા ન થાય તે માટે શાળામાં ભણતા વિદ્યાર્થીઓએ ફટાકડા નહીં ફોડવા ના આજે શપથ લીધા હતા


Body:દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે ચારે તરફ ફટાકડા ની બોલબાલા પણ જોવા મળશે ત્યારે ફટાકડા થી થતું પ્રદૂષણ અને કેટલાક કિસ્સાઓમાં થતી જીવ હત્યા ને ધ્યાને લઇને જૂનાગઢની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પ્રદૂષણ ઘટાડવા ફટાકડા નહીં ફોડવા ના શપથ લીધા હતા

દિવાળીનો તહેવાર હવે નજીક આવી રહ્યો છે.આમ તો દિવાળીને પ્રકાશના પર્વ તરીકે ઉજવવામાં આવે છે પરંતુ આદિ-અનાદિ કાળથી દિવાળીના તહેવારોમાં ફટાકડા ફોડવાની પણ એક પરંપરા ચાલતી આવે છે જે આજે ખૂબ જ વિસ્તરી ગઈ છે દિવાળીના દિવસોમાં ફટાકડા દ્વારા થતા પ્રદૂષણને કારણે હજારો લોકો બીમારીનો ભોગ બને છે તેમજ ફટાકડા ને કારણે પર્યાવરણને પણ ખૂબ જ મોટું નુકસાન થાય છે ત્યારે આગામી દિવાળીના તહેવારોમાં ફટાકડા નહીં ફરવાના જૂનાગઢની શાળાના વિદ્યાર્થીઓએ શપથ લીધા હતા

દિવાળીના સમયમાં એક અઠવાડિયા સુધી વ્યાપક પ્રમાણમાં પ્રદૂષણ ફેલાય છે જેને કારણે પર્યાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઈડ જેવા જેરી વાયુઓનું પ્રમાણ વાતાવરણમાં વિસ્તરે છે આ બંને ઝેરી વાયુ શ્વાસ વાટે શરીરમાં પ્રવેશે છે જે કેટલાક કેસોમાં ખૂબ જ ઘાતક અસરો પાડે છે તો બીજી તરફ કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઈડ પણ આંતરિક અંગો શિવાય શરીરની ચામડીમાં પણ કેટલાક રોગો ઉત્પન્ન કરવા માટે પૂરતા છે આ બંને ઝેરી વાયુ થી આંખોને પણ આજીવન કહી શકાય તેવું નુકશાન થઇ શકે છે જો દિવાળીના તહેવારોમાં ફટાકડા નહીં ફોડવા અથવા તો ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં ફોડવામાં આવે તો વાતાવરણમાં ફેલાતા હવાના પ્રદૂષણને કંઈક અંશે રોકી શકાય તેમ છે

જો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઈડનુ પ્રમાણ ઘટાડવામાં આપણને સફળતા મળશે તો સૂર્યમાંથી નીકળતા અને જેને ખૂબ જ નુકસાનકારક કહી શકાય તેવા અલ્ટ્રા વાયોલેટ કિરણો ને આપણે વાતાવરણમાંથી દૂર રાખવામાં સફળ થઈશું પરંતુ કાર્બન મોનોક્સાઈડ અને કાર્બન ડાયોક્સાઇડ ની સાથે ક્લોરો ફ્લોરો કાર્બન સંયુક્ત રીતે પૃથ્વીના આવરણ માં જે રક્ષણ પળ તરીકે કામ કરે છે તેવા ઓઝોન ને બચાવવામાં આપણે મદદરૂપ થઈ શકીએ તેમ છે આ ઓઝોન વાયુનું પળ સમગ્ર વાતાવરણને ફરતે જોવા મળતું હોય છે જે સૂર્યના હાનિકારક કિરણોથી પૃથ્વીના વાતાવરણને બચાવે છે પરંતુ કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઈડ ની સાથે ક્લોરો ફ્લોરો કાર્બન ઓઝોનના આ પળને ખૂબ જ નુકસાન કરી રહ્યું છે જેને કારણે પૃથ્વી પર ગ્લોબલ વોર્મિંગ જેવી ઘાતક સમસ્યા પણ ઉદભવી રહી છે

બાઈટ 1 રાઠોડ ભૂમિ વિદ્યાર્થીની જુનાગઢ

બાઈટ 2 શિહોરા પ્રિયંકા વિદ્યાર્થીની જુનાગઢ

બાઈટ 3 ડો.મિતેશ ખોખાણી સર્જન જુનાગઢ






Conclusion:
Last Updated : Oct 18, 2019, 2:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.