- ગૌશાળામાં 100થી વધુ ગાયોના મોત થયાની આશંકા
- ગૌ પ્રેમીઓમાં ભારે રોષ
- વિસાવદર નજીક નટવર પૂરા ગૌશાળાનો સમગ્ર મામલો
જૂનાગઢઃ જિલ્લાના વિસાવદર નજીક નટવર પુરા ગૌશાળામાં છેલ્લા કેટલાક મહિનાની અંદર 100 કરતાં વધુ ગાયોના મોત થવા હોવાની આશંકાને લઈ ગૌ પ્રેમીઓમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. વિસાવદર નજીક નટવર પુરા ગૌશાળા ગોપીનાથજી અને વલ્લભ દિગ્વિજય ટ્રસ્ટ દ્વારા અહીં ગૌશાળા બનાવવામાં આવી હતી. જેમાં 200 કરતાં વધુ ગાયોને રાખવામાં આવી હતી, જે પૈકીની 100 કરતાં વધુ ગાયોના મોત બીમારી અને ઘાસચારો નહીં મળવાને કારણે થયા હોવાનું બહાર આવી રહ્યું છે. જે નટવર પુરા ગૌશાળાનું સંચાલન કરી રહ્યો હતો તે પૈકીના ગોપીનાથજી ટ્રસ્ટ ગેરકાયદેસર ઊભું કરવામાં આવ્યું છે અને ગૌશાળા પાછળ નાણાકીય ઉચાપતની મેલી મુરાદ પણ જોવા મળી રહી છે. સમગ્ર મામલાને લઈને ગૌ પ્રેમીઓમાં ભારે ચિંતાની સાથે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
![નટવર પુરા ગૌશાળા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jnd-05-cow-photo-04-av-7200745_24122020214036_2412f_1608826236_873.jpg)