ETV Bharat / state

અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજાના નામે ઠગાઈ કરનારી ત્રિપુટી ઝડપાઈ

author img

By

Published : Jul 14, 2019, 12:40 PM IST

જામનગર: અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજાના નામ પર ત્રણ ઈસમો દ્વારા ઠગાઈ કરવામાં આવી હતી. જેમાં તેઓ દ્વારા ગાય માટે ફાળો ઉઘરાવવાના નામે પૈસા પડાવવાનું કારસ્તાન કરતા હતાં. જેનો ભાંડો ફૂટતા આ ત્રણેય ઈસમોની અટકાયત કરવામાં આવી છે.

અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજાના નામે ઠગાઈ કરનાર ત્રિપુટી ઝડપાઈ

જામનગર શહેરમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે, ત્યારે ગાય માટે ખાસ ફાળો ઉઘરાવવા માટે લોકો આવતા હોય છે. ત્યારે ત્રણ ઈસમોએ ગાયના નામ પર ઉઘરાણું કરીને પૈસા પડાવવાનું કારસ્તાન ઘડ્યું હતું. આ અગાઉ તેઓએ એક વેપારી પાસેથી 1 હજાર રૂપિયાનું ઉઘરાણું કર્યું હતું. જ્યારે બીજા અન્ય વેપારી પાસે પૈસા ઉઘરાવવા માટે જતા આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો. ત્યારબાદ આ ત્રણેય ઈસમો સામે સીટી બી પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાના નામ પર આ પ્રકારની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું હતું. આ અંગે કાંધલ જાડેજાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

જામનગર શહેરમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે, ત્યારે ગાય માટે ખાસ ફાળો ઉઘરાવવા માટે લોકો આવતા હોય છે. ત્યારે ત્રણ ઈસમોએ ગાયના નામ પર ઉઘરાણું કરીને પૈસા પડાવવાનું કારસ્તાન ઘડ્યું હતું. આ અગાઉ તેઓએ એક વેપારી પાસેથી 1 હજાર રૂપિયાનું ઉઘરાણું કર્યું હતું. જ્યારે બીજા અન્ય વેપારી પાસે પૈસા ઉઘરાવવા માટે જતા આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો. ત્યારબાદ આ ત્રણેય ઈસમો સામે સીટી બી પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાના નામ પર આ પ્રકારની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું હતું. આ અંગે કાંધલ જાડેજાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Intro:
GJ_JMR_02_13JULY_HAKUBHA_7202728_MANSUKH

અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજા ના નામે ઠગાઈ કરનાર ત્રિપુટી ઝડપાઈ

જામનગરમાં અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજાના ભાઈના નામે ઠગાઈ કરનાર ત્રણ ઈસમો ઝડપાયા છે.... આ ત્રણેય સમ ગાયોના નામે વિવિધ જગ્યાએ પૈસા ઉઘરાવતા હતા....

મહત્વનું છે કે અગાઉ કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાના નામે પણ આવીને છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું હતું અને કાંધલ જાડેજા કાયદેસરની પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી.......

ઝડપાયેલા ત્રણેય ઇસમ જામનગરના રહેશે.... જામનગરમાં એક વેપારી પાસેથી રૂપિયા એક હજારનું ઉઘરાણું પણ કરી આવ્યા હતા..... જોકે બીજા અન્ય વેપારી પાસે પૈસા ઉઘરાવવા જતા સમગ્ર મામલાનો ભાંડો ફૂટયો છે અને આખરે ત્રણ ઇસમોને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે.....
જામનગર પંથકમાં હાલ દુકાળ જેવી સ્થિતિ છે અને ગાયો માટે ખાસ કરીને પાડો ઉઘરાવવા માટે લોકો આવતા હોય છે ત્યારે આ ત્રણ ઈસમોએ ગાયો ના નામે પૈસા પડાવવા માટેનું કારસ્તાન રચ્યું હતું....

સીટી બી પોલીસે ત્રિપુટી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે....
Body:મનસુખ સોલંકીConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.