ETV Bharat / state

જામનગરમાં તાલુકા કક્ષાનો ખરીફ કૃષિ મહોત્સવનો કાર્યક્રમ સંપન્ન - Gujarati news

જામનગરઃ સોમવારે જામનગર જિલ્લાના APMC હાપા માર્કેટીંગ યાર્ડ ખાતે તાલુકા કક્ષાનો ખરીફ કૃષિ મહોત્સવ-2019ના કાર્યક્રમનો રાજ્યપ્રધાન ધર્મેન્દ્વસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને પ્રારંભ કરાયો હતો. આ મેળામાં જાડેજાએ ખેડૂતોને વૈજ્ઞાનિક પધ્ધતિથી સુક્ષ્મ આયોજન કરીને ખેતીનો નવતર અભિગમ અપનાવવા અનુરોધ કર્યો હતો.

જામનગર
author img

By

Published : Jun 18, 2019, 5:27 AM IST

તદ્ઉપરાંત ધર્મેન્દ્રસિંહે ખેડૂતો નવા બિયારણો, જૈવીક ખાતરનો ઉપયોગ કરીને ખેતપેદાશોને વધુ ગુણવતાલક્ષી બનાવી પોષણક્ષમ ભાવો મેળવે અને આવશ્યકતા અનુસાર આ પેદાશોની નિકાસ થકી ખેડૂતો પણ વધુ સમૃધ્ધ બની શકે તે માટે પરંપરાગત ખેતીની જગ્યાએ આપણે વૈજ્ઞાનિક પધ્ધતિથી ખેતી કરીને બદલાવ લાવવો જોઇએ તેમ કહ્યું હતું. ધારાસભ્ય અને APMCના ચેરમેનશ્રી રાઘવજી પટેલે જણાવ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2005માં જોયેલા સ્વપ્ન એટલે કે, વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી થાય તે લક્ષ્યાંક સાથે ખેડૂતોના હિતાર્થે વિવિધ યોજનાઓનું અમલીકરણ થઈ રહેલ છે.

આ કાર્યક્રમમના અગ્રણી ડાંગરભાઈએ પણ ડીપ ઈરીગ્રેશન વિશે માહિતી આપી હતી તેમજ વૈજ્ઞાનિક ડૉ.કે.ડી.મુંગરા અને જૂનાગઢ કૃષિ યુનીવર્સિટીના ડૉ.જે.આર.ડામોરએ ખેડૂતોની આવક બમણી કરવા માટે મગફળી તથા કપાસ જેવા પાકોનું વાવેતર, રાસાયણિક તથા સેન્દ્રીય ખાતરના ઉપયોગ અને જીવાતના નિયંત્રણ માટે માર્ગદર્શન આપ્યું હતું.

બાજરા સંશોધન કેન્દ્વ જામનગરના ડૉ.કડવાણીએ સ્થાનિક કૃષિ પાકો અંગે ખેડૂતોને માર્ગદર્શન આપી તેમને મુંઝવતા પ્રશ્નો અંગે ચર્ચા અને નિરાકરણ માટે કૃષિ ગોષ્ઠી કરી હતી. આ પ્રસંગે પ્રગતિશીલ ખેડુતમાં સર્વ અલ્તાફભાઈ સમાએ સજીવ ખેતીના પ્રયોગો અને પોતાના અનુભવો અને સફળતા વિશે જણાવ્યું હતું.

Jamanagar
સ્પોટ ફોટો

તેમજ આ પ્રસંગે ધર્મેન્દ્વસિંહ જાડેજાના હસ્તે પશુપાલન બાબતે પ્રગતિશીલ ખેડૂતોમાં વસોયા જ્યોત્સનાબેન, પીપળીયા જયશ્રીબેનને 10 હજાર રૂપીયાનો ચેક, બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ અને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરાયા હતા. સાથે ખેડૂતો માટે વિવિધ વિભાગો તેમજ બેંક અને સંસ્થાઓ દ્વારા માહિતી સભર પ્રદર્શન અને માર્ગદર્શન સ્ટોલો ઊભા કરાયા હતા.

Jamanagar
સ્પોટ ફોટો

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પારીક, નિવાસી અધિક કલેક્ટર રાજેન્દ્વ સરવૈયા, મદદનીશ કલેક્ટર યોગેશ ચૌધરી, પૂર્વ ધારાસભ્ય વલ્લભ ધારવીયા, APMCના વાઈસ ચેરમેન ધીરૂ કારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશ પટેલ, સહકારી મંડળીના સભ્યો, વેપારી એસોસીએશનના સદસ્યો, ખેતીવાડી વિભાગના અને પશુપાલન વિભાગના અધિકારીઓ/ કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતા.

તદ્ઉપરાંત ધર્મેન્દ્રસિંહે ખેડૂતો નવા બિયારણો, જૈવીક ખાતરનો ઉપયોગ કરીને ખેતપેદાશોને વધુ ગુણવતાલક્ષી બનાવી પોષણક્ષમ ભાવો મેળવે અને આવશ્યકતા અનુસાર આ પેદાશોની નિકાસ થકી ખેડૂતો પણ વધુ સમૃધ્ધ બની શકે તે માટે પરંપરાગત ખેતીની જગ્યાએ આપણે વૈજ્ઞાનિક પધ્ધતિથી ખેતી કરીને બદલાવ લાવવો જોઇએ તેમ કહ્યું હતું. ધારાસભ્ય અને APMCના ચેરમેનશ્રી રાઘવજી પટેલે જણાવ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2005માં જોયેલા સ્વપ્ન એટલે કે, વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી થાય તે લક્ષ્યાંક સાથે ખેડૂતોના હિતાર્થે વિવિધ યોજનાઓનું અમલીકરણ થઈ રહેલ છે.

આ કાર્યક્રમમના અગ્રણી ડાંગરભાઈએ પણ ડીપ ઈરીગ્રેશન વિશે માહિતી આપી હતી તેમજ વૈજ્ઞાનિક ડૉ.કે.ડી.મુંગરા અને જૂનાગઢ કૃષિ યુનીવર્સિટીના ડૉ.જે.આર.ડામોરએ ખેડૂતોની આવક બમણી કરવા માટે મગફળી તથા કપાસ જેવા પાકોનું વાવેતર, રાસાયણિક તથા સેન્દ્રીય ખાતરના ઉપયોગ અને જીવાતના નિયંત્રણ માટે માર્ગદર્શન આપ્યું હતું.

બાજરા સંશોધન કેન્દ્વ જામનગરના ડૉ.કડવાણીએ સ્થાનિક કૃષિ પાકો અંગે ખેડૂતોને માર્ગદર્શન આપી તેમને મુંઝવતા પ્રશ્નો અંગે ચર્ચા અને નિરાકરણ માટે કૃષિ ગોષ્ઠી કરી હતી. આ પ્રસંગે પ્રગતિશીલ ખેડુતમાં સર્વ અલ્તાફભાઈ સમાએ સજીવ ખેતીના પ્રયોગો અને પોતાના અનુભવો અને સફળતા વિશે જણાવ્યું હતું.

Jamanagar
સ્પોટ ફોટો

તેમજ આ પ્રસંગે ધર્મેન્દ્વસિંહ જાડેજાના હસ્તે પશુપાલન બાબતે પ્રગતિશીલ ખેડૂતોમાં વસોયા જ્યોત્સનાબેન, પીપળીયા જયશ્રીબેનને 10 હજાર રૂપીયાનો ચેક, બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ અને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરાયા હતા. સાથે ખેડૂતો માટે વિવિધ વિભાગો તેમજ બેંક અને સંસ્થાઓ દ્વારા માહિતી સભર પ્રદર્શન અને માર્ગદર્શન સ્ટોલો ઊભા કરાયા હતા.

Jamanagar
સ્પોટ ફોટો

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પારીક, નિવાસી અધિક કલેક્ટર રાજેન્દ્વ સરવૈયા, મદદનીશ કલેક્ટર યોગેશ ચૌધરી, પૂર્વ ધારાસભ્ય વલ્લભ ધારવીયા, APMCના વાઈસ ચેરમેન ધીરૂ કારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશ પટેલ, સહકારી મંડળીના સભ્યો, વેપારી એસોસીએશનના સદસ્યો, ખેતીવાડી વિભાગના અને પશુપાલન વિભાગના અધિકારીઓ/ કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતા.

સમૃધ્ધ કૃષિ, સમૃધ્ધ કૃષક અને સમૃધ્ધ ભારતના મંત્ર સાથે ૧૫માં કૃષિ મહોત્સવનો જામનગર ખાતે પ્રારંભ કરતા રાજ્ય મંત્રીશ્રી ધર્મેન્દ્વસિંહ જાડેજા

૦૦૦૦૦૦૦૦૦

ખેતીમાં પરિવર્તન આવશ્યક છે અને કૃષિ  મહોત્સવ આઅ પરિવર્તનનુ વાહક છે --ધારાસભ્યશ્રી રાઘવજીભાઇ પટેલ

૦૦૦૦૦૦૦૦૦

જામનગર ખાતે તાલુકા કક્ષાનો ખરીફ કૃષિ મહોત્સવનો કાર્યક્રમ સંપન્ન

 

જામનગર તા.૧૭ જુનઆજે જામનગર જિલ્લાના APMC હાપા માર્કેટીંગ યાર્ડ ખાતે તાલુકા કક્ષાના ખરીફ કૃષિ મહોત્સવ-૨૦૧૯ના કાર્યક્રમનો રાજ્ય મંત્રીશ્રી ધર્મેન્દ્વસિંહ જાડેજાના  અધ્યક્ષ સ્થાને પ્રારંભ કરવામાં આવ્યો હતો. મંત્રીશ્રી ધર્મેન્દ્વસિંહ જાડેજાએ વૈજ્ઞાનિક પધ્ધતિથી સુક્ષ્મ આયોજન કરીને ખેતીનો નવતર અભિગમ અપનાવવા ખેડૂતભાઈઓને અનુરોધ કર્યો હતો. ઉપરાંત મંત્રીશ્રીએ ખેડૂતો નવા બિયારણો, જૈવીક ખાતરનો ઉપયોગ કરીને ખેતપેદાશોને વધુ ગુણવતાલક્ષી બનાવી પોષણક્ષમ ભાવો મેળવે અને આવશ્યકતા અનુસાર આ પેદાશોના નિકાસ થકી પણ ખેડૂતો વધુ સમૃધ્ધ બની શકે તે માટે  પરંપરાગત ખેતીની જગ્યાએ આપણે વૈજ્ઞાનિક પધ્ધતિથી ખેતી કરીને બદલાવ લાવવો જોઇએ તેમ કહ્યું હતું.

ધારાસભ્યશ્રી અને APMCના ચેરમેનશ્રી રાઘવજીભાઇ પટેલે જણાવ્યુ  કે આપણા વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ૨૦૦૫માં જોયેલા સ્વપ્ન એટલે કે વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી થાય તે લક્ષ્યાંક સાથે ખેડૂતોના હિતાર્થે વિવિધ યોજનાઓનું  અમલીકરણ થઈ રહેલ છે. ત્યારે કૃષિ પાકોનું ઉત્પાદન વધુ મેળવવા વૈજ્ઞાનિકો દ્વારા જમીનનું મુલ્યાંકન, સુક્ષ્મ આયોજનકારી ખેતીની પધ્ધતિઓ અને સુક્ષ્મ  પિયત પધ્ધતિ  અને પાકનું રોટેશન કરીને ખેતીમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવી ફરીથી ખેતીને  ઉત્તમ સ્થાન પર પહોંચાડીએ

અગ્રણીશ્રી  ડાંગરભાઈએ પણ ડીપ ઈરીગ્રેશન વિશે માહિતી આપી હતી તેમજ વૈજ્ઞાનિકશ્રી ડો.કે.ડી.મુંગરા અને જુનાગઢ કૃષિ યુની.ના ડો.જે.આર.ડામોરએ ખેડૂતોની આવક બમણી કરવા માટે મગફળી તથા કપાસ જેવા પાકોનું વાવેતર, રાસાયણિક તથા સેન્દ્રીય ખાતરના ઉપયોગ અને જીવાતના નિયંત્રણ માટે માર્ગદર્શન આપ્યું હતું.                        

બાજરા સંશોધન કેન્દ્વ જામનગરના ડો.કડવાણીએ સ્થાનિક કૃષિ પાકો અંગે ખેડૂતોને માર્ગદર્શન આપી તેમને મુંઝવતા પ્રશ્નો અંગે ચર્ચા અને નિરાકરણ માટે કૃષિ ગોષ્ઠી કરી હતી.  

 

     

 

આ પ્રસંગે પ્રગતિશીલ ખેડુતમાં સર્વશ્રી અલ્તાફભાઈ સમાએ સજીવ ખેતીના પ્રયોગો અને તેમા તેમના અનુભવો અને સફળતા વિશે જણાવ્યું હતું.

તેમજ આ પ્રસંગે  મંત્રીશ્રી ધર્મેન્દ્વસિંહ જાડેજાના હસ્તે પશુપાલન બાબતે પ્રગતિશીલ ખેડૂતોમાં વસોયા જ્યોત્સનાબેન, પીપળીયા જયશ્રીબેનને રૂ./૧૦,૦૦૦નો ચેક, બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ અને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરાયા હતા.

ખેડૂતો માટે વિવિધ વિભાગો તેમજ બેંક અને સંસ્થાઓ દ્વારા માહિતી સભર પ્રદર્શન અને માર્ગદર્શન માટેના સ્ટોલો બનાવાયાં હતા.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રશસ્તિ પારીક, નિવાસી અધિક કલેકટરશ્રી રાજેન્દ્વ સરવૈયા, મદદનીશ કલેકટરશ્રી યોગેશ ચૌધરી, પૂર્વ ધારાસભ્યશ્રી વલ્લભભાઈ ધારવીયા, APMCના વાઈસ ચેરમેનશ્રી ધીરૂભાઈ કારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશ પટેલ, સહકારી મંડળીના સભ્યો,વેપારી એસોશીએશનના સદસ્યો, ખેતીવાડી વિભાગના અને પશુપાલન વિભાગના અધિકારીઓ/ કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.