ETV Bharat / state

જામનગરમાં ખેડૂતોની સ્થિતી દયનીય, દુકાળના વાગી રહ્યા છે ડાકલા

author img

By

Published : Jul 14, 2019, 6:07 PM IST

જામનગર: છેલ્લા ત્રણ વર્ષથી નહીંવત વરસાદના કારણે જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. આ વર્ષે પણ છેલ્લા પંદર દિવસથી વરસાદ ન થતા ખેડૂતોએ આકાશ ભણી મીટ માંડી બેઠા છે. વરસાદની આશાએ ખેડૂતોએ વરસાદ થતા જ પ્રથમ વાવેતર કરી દીધું હતું.

જામનગરમાં ખેડૂતોની સ્થિતી દયનીય..દુકાળના વાગી રહ્યા છે ડાકલા

ચારેતરફ ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઇ રહ્યા છે. વરસાદ ખેંચાતા ખેડૂતો પાયમાલ થાય તેવી દહેશત જોવા મળી રહી છે. કારણ કે મોંઘા બિયારણ વાવી ખેડૂતોએ મોટાભાગનું મૂડીરોકાણ કરી દીધું છે અને હાલ પોતાના પશુધન માટે ઘાસચારો પણ નથી. ખેડૂતો જણાવી રહ્યા છે કે, તેમને હવે પૈસાની તંગી પણ ઉભી થઇ છે.

જામનગરમાં ખેડૂતોની સ્થિતી દયનીય..દુકાળના વાગી રહ્યા છે ડાકલા

જામનગર જિલ્લાના ધુવાવ ગામના માંડણભાઇ મેર નામના ખેડૂતે ૪૫ વિધા કપાસ અને મગફળીનું વાવેતર કર્યું હતું. પ્રથમ વરસાદે જ વાવેતર કરી દીધું હતું. જોકે વરસાદ ખેંચાતા રાજ્ય સરકારે 19 ટકા જેટલો જ વીમો આપતા ખેડૂતો હાલત દયનીય સ્થિતિમાં જોવા મળી રહ્યા છે.

જામનગર જિલ્લામાં મોટાભાગના ખેડૂતોની સ્થિતિ માંડણભાઇ મેર જેવી થઈ છે. હવે છેલ્લા પંદર દિવસથી જામનગર વિસ્તારમાં મેઘરાજા પધરામણી ન થતા ખેડૂતો અને પશુઓની કફોડી સ્થિતી વધુ ખરાબ થશે તેમાં કોઇ શંકા નથી. ત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે રાજ્ય સરકાર દ્વારા જામનગર પંથકના ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે.

ચારેતરફ ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઇ રહ્યા છે. વરસાદ ખેંચાતા ખેડૂતો પાયમાલ થાય તેવી દહેશત જોવા મળી રહી છે. કારણ કે મોંઘા બિયારણ વાવી ખેડૂતોએ મોટાભાગનું મૂડીરોકાણ કરી દીધું છે અને હાલ પોતાના પશુધન માટે ઘાસચારો પણ નથી. ખેડૂતો જણાવી રહ્યા છે કે, તેમને હવે પૈસાની તંગી પણ ઉભી થઇ છે.

જામનગરમાં ખેડૂતોની સ્થિતી દયનીય..દુકાળના વાગી રહ્યા છે ડાકલા

જામનગર જિલ્લાના ધુવાવ ગામના માંડણભાઇ મેર નામના ખેડૂતે ૪૫ વિધા કપાસ અને મગફળીનું વાવેતર કર્યું હતું. પ્રથમ વરસાદે જ વાવેતર કરી દીધું હતું. જોકે વરસાદ ખેંચાતા રાજ્ય સરકારે 19 ટકા જેટલો જ વીમો આપતા ખેડૂતો હાલત દયનીય સ્થિતિમાં જોવા મળી રહ્યા છે.

જામનગર જિલ્લામાં મોટાભાગના ખેડૂતોની સ્થિતિ માંડણભાઇ મેર જેવી થઈ છે. હવે છેલ્લા પંદર દિવસથી જામનગર વિસ્તારમાં મેઘરાજા પધરામણી ન થતા ખેડૂતો અને પશુઓની કફોડી સ્થિતી વધુ ખરાબ થશે તેમાં કોઇ શંકા નથી. ત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે રાજ્ય સરકાર દ્વારા જામનગર પંથકના ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે.

Intro:GJ_JMR_03_14JULY_KHEDUT_7202728_MANSUKH

જામનગરમાં પંથકમાં દુકાળના ડાકલા વાગી રહ્યા છે...ખેડૂતોની સ્થિતિ દયનિય


બાઈટ: માંડણભાઇ મેર ,ખેડૂત, ધુવાવ


જામનગર પંથકમાં છેલ્લા ત્રણ વર્ષથી નહિવત વરસાદના કારણે જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે.... આ વર્ષે પણ છેલ્લા પંદર દિવસથી વરસાદ ન થતા ખેડૂતો આકાશ ભણી મીટ માંડી બેઠા છે... જામનગર જિલ્લામાં મોટાભાગના ખેડૂતોએ પ્રથમ વરસાદે જ વાવેતર કરી દીધું છે.......


જોકે વરસાદ ખેંચાતા ખેડૂતો પાયમાલ થાય તેવી દહેશત જોવા મળી રહી છે.... કારણકે મોંઘા બિયારણ વાવી ખેડૂતોએ મોટાભાગનું મૂડીરોકાણ કરી દીધું છે અને હાલ પોતાના પશુધન માટે ઘાસચારો પણ નથી..અને ખેડૂત પાસે પૈસાની તંગી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે....

જામનગર જિલ્લાના ધુવાવ ગામમાં માંડણભાઇ મેર નામના ખેડૂતે ૪૫ વિઘા કપાસ અને મગફળીનું વાવેતર કર્યું હતું.... પ્રથમ વરસાદે જ માંડણભાઇ આ વાવેતર કરી દીધું હતું.... જોકે વરસાદ ખેંચાતા રાજ્ય સરકારે 19 ટકા જેટલો જ વીમો આપતા ખેડૂતો હાલત દયનીય સ્થિતિમાં જોવા મળી રહ્યા છે....



આમ જામનગર પંથકમાં દુકાળના ડાકલા વાગી રહ્યા છે અને ખેડૂતો દિવસે-દિવસે દયનીય સ્થિતિમાં મુકાતા હોવાનું બહાર આવ્યું છે.... આમતો જામનગર જિલ્લામાં મોટાભાગના ખેડૂતોની સ્થિતિ માંડણભાઇ મેર જેવી થઈ છે... હવે છેલ્લા પંદર દિવસથી જામનગર વિસ્તારમાં મેઘરાજા પધરામણી ન કરતા હાલ ખેડૂતો અને પશુઓની હાલત કફોડી થતી જોવા મળી રહી છે....

ત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે રાજ્ય સરકાર દ્વારા જામનગર પંથકના ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે.....Body:મનસુખ સોલંકીConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.