ETV Bharat / state

જામનગર પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસકર્મીએ પત્ની સાથે કર્યો આપઘાત

author img

By

Published : Aug 18, 2020, 1:39 PM IST

Updated : Aug 18, 2020, 2:51 PM IST

જામનગરમના પોલીસ હેડક્વાર્ટરમાં મોડી રાત્રે પોલીસકર્મીએ પોતાની પત્ની સાથે આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઇ ગઇ છે. જામનગરના પંચકોશી બી ડિવિઝનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભરતભાઈ જાદવ નામના પોલીસકર્મીએ પોલીસ હેડકવાર્ટરમાં પોતાના રહેણાંક મકાનમાં જ પત્ની સાથે આપઘાત કરી લીધો હતો. આપઘાત કરવાનું કારણ હજુ અકબંધ છે.

પોલીસકર્મીએ પત્ની સાથે કર્યો આપઘાત
પોલીસકર્મીએ પત્ની સાથે કર્યો આપઘાત

જામનગર: જિલ્લામાં પોલીસ હેડક્વાર્ટરમાં મોડી રાત્રે પોલીસકર્મીએ પોતાની પત્ની સાથે આપઘાત કર્યો હતો, જો કે, આવું શું કામ કર્યું તે હજી સુધી અકબંધ છે. પોલીસકર્મી ભરતભાઈ જાદવ અને તેમની પત્નીએ હેડક્વાર્ટરમાં જ આપઘાત કરી લેતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને બંનેના મૃતદેહને પોસ્ટમાર્ટમ અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

પોલીસકર્મીએ પત્ની સાથે કર્યો આપઘાત

પોલીસકર્મી અને તેની પત્નીએ આપઘાત કરી લેતા 6 મહિનાનું બાળક નિરાધાર બની ગયું છે. પતિ-પત્નીએ સાથે આપઘાત કરતા અનેક સવાલો ઉભા થયા છે. જો કે, આપઘાતનું ખરું કારણ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ જાણી શકાશે.

જામનગર: જિલ્લામાં પોલીસ હેડક્વાર્ટરમાં મોડી રાત્રે પોલીસકર્મીએ પોતાની પત્ની સાથે આપઘાત કર્યો હતો, જો કે, આવું શું કામ કર્યું તે હજી સુધી અકબંધ છે. પોલીસકર્મી ભરતભાઈ જાદવ અને તેમની પત્નીએ હેડક્વાર્ટરમાં જ આપઘાત કરી લેતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને બંનેના મૃતદેહને પોસ્ટમાર્ટમ અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

પોલીસકર્મીએ પત્ની સાથે કર્યો આપઘાત

પોલીસકર્મી અને તેની પત્નીએ આપઘાત કરી લેતા 6 મહિનાનું બાળક નિરાધાર બની ગયું છે. પતિ-પત્નીએ સાથે આપઘાત કરતા અનેક સવાલો ઉભા થયા છે. જો કે, આપઘાતનું ખરું કારણ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ જાણી શકાશે.

Last Updated : Aug 18, 2020, 2:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.