જામનગર : કોઈ પરિવારના એકાદ વ્યક્તિ ગુમ થાય અને તે ફરી મળી આવે તેવું કેટલીક વખત સામે આવે છે. પરંતુ જામનગર શહેરમાં વસવાટ કરતો એક આખો પરિવાર ગુમ (Disappearance Family in Jamnagar) થયાની જાહેરાત સીટી સી ડિવિઝન પોલીસ મથકમાં સામે આવી છે. પોલીસ દ્વારા આ પરિવારના પાંચેય સભ્યો કયા સંજોગોમાં ગુમ થયા.?, કયા ગયા..? સહિતની બાબતોને કેન્દ્રમાં રાખી અને પરિવારના સભ્યોની શોધખોળ હાથ ધરી છે. જામનગર સીટી સી ડિવિઝન પોલીસ મથકના ગુમ રજીસ્ટર નંબર-21/2022 13મી ફેબ્રુઆરી 2022ના રોજ ગુમ થનાર છે.
આ પણ વાંચો : Pollution due to lease: જામનગરના મિયાત્રા ગામના લોકો લીઝના કારણે પરેશાન
પરિવાર આખો ગુમ - પરિવાર અરવિંદ નિમાવત (ઉ.વ.-52) ધંધો-હોટેલ, તેમના પત્ની શિલ્પા નિમાવત (ઉ.વ.-45), દીકરી કિરણ નિમાવત (ઉ.વ.-26), રણજીત નિમાવત (ઉ.વ.24) અને કરણ નિમાવત (ઉ.વ.-22) રહે ગોકુલનગર રડાર રોડ નવા નગર શેરી નં 5 મોબાઇલ પાન વાળી શેરી પ્રફુલભાઇ સવાણીના મકાનમાં જે ગત 11મી માર્ચ 2022ના રોજ પોતાના ઘરેથી નીકળી ગયા હતા. અરવિંદ નિમાવત હોટલના ધંધા સાથે સંકળાયેલા હતા. જો કે રહસ્યમય રીતે આખો પરિવાર ગુમ (Missing Family in Jamnagar)થતાં પોલીસે વિવિધ દિશામાં પરિવારની શોધખોળ શરૂ કરી છે. જો કે હજુ સુધી કોઇ ભાળ મળી નથી.
આ પણ વાંચો : Jamnagar Bhoi caste:જામનગરમાં સૌરાષ્ટ્રની સૌથી મોટી હોલિકા દહનની પૂર્વ તૈયારીઓ
વ્યાજખોરોનો અટકળો - મળતી માહિતી મુજબ આ પરિવાર પાડોશીને કહ્યા વગર જ નીકળી ગયો છે. ક્યાં ગયો તો પોલીસ તપાસનો વિષય બન્યો છે. ત્યારે એવી પણ અટકળો લગાવવામાં આવી રહી છે કે, ગુમ થયેલો પરિવાર વ્યાજખોરોના ફસાયો હોય તેવી શક્યતાઓ (Jamnagar Police Station) બહાર આવી રહી છે.