- મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બાદ આવાસનો લકી ડ્રો
- આવાસનો લકી ડ્રો કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા
- 560 આવાસનો લકી ડ્રો સાંસદ પૂનમ માડમ અને કૃષિ પ્રધાન આર.સી.ફળદુ હસ્તે
જામનગરઃ મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બાદ 560 આવાસનો લકી ડ્રો સાંસદ પૂનમ માડમ અને કૃષિ પ્રધાન આર.સી.ફળદુ હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુભાષ જોશી તેમજ જામનગર મહાનગરપાલિકાના મેયર હસમુખ જેઠવા તેમજ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઘરનું ઘર મળી રહે તે માટે અનેક યોજનાઓ
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે અનેક યોજનાઓ બનાવી છે. મુખ્યપ્રધાન આવાસ યોજના અને વડાપ્રધાન આવાસ યોજના અંતર્ગત જામનગરમાં અનેક આવાસ બનાવવામાં આવ્યા છે. આવાસના લકી વિજેતાઓને કોવિડનો ગાઈડલાઈન મુજબ 10-10લોકોને ડ્રોમાં બોલાવવામાં આવ્યા હતા અને ફરજિયાત માસ્ક થતા સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખવામાં આવ્યું હતું.
સ્ટેન્ડિંગ કમિટીના તમામ સભ્યો રહ્યા ઉપસ્થિત
સોમવારથી રાજ્યની નગરપાલિકામાં તમામ કામગીરી કમિશનર હસ્તેક આવી જશે. છેલ્લી સ્ટેન્ડિંગ કમિટી પહેલા જામનગરમાં 560 જેટલા આવાસના લકી ડ્રો કરવામાં આવ્યો હતો. કુલ 215 કરોડના વિવિધ વિકાસ કામો છેલ્લી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં મજૂર કરવામાં આવ્યા છે. આ બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટીના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
ખાસ કરીને જામનગરમાં પ્રથમ ફ્લાઈ ઓવર બ્રીજની પણ સ્ટેન્ડિંગ કમિટીમાં મજૂરી આપવામાં આવી છે. જેના કારણે જામનગરમાં થતો ટ્રાફિક જામની સમસ્યા કાયમ માટે ઉકેલાશે.