ETV Bharat / state

જામનગરમાં 7 લાખની વસ્તીમાં મહાનગરપાલિકાએ 17 લાખ લોકોનું સ્ક્રિનિંગ કેવી રીતે કર્યું ? - મહાનગરપાલિકા

કોરોનાની વૈશ્વિક મહામારીમાં જામનગરમાં પ્રતિદિન 8થી 10 નવા કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા કોરોનાને નાથવા માટે અનેકવિધ કાર્યક્રમોનું અમલીકરણ કર્યું હતું. જો કે આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વે તેમજ લોકોનો સ્કેનિંગ કરવાની કામગીરી પણ કરવામાં આવી હતી.

જામનગરની વસ્તી 7 લાખ અને મહાનગરપાલિકાએ 17 લાખ લોકોનું કર્યું સ્કેનિંગ, ગણતરીમાં થયો છબરડો
જામનગરની વસ્તી 7 લાખ અને મહાનગરપાલિકાએ 17 લાખ લોકોનું કર્યું સ્કેનિંગ, ગણતરીમાં થયો છબરડો
author img

By

Published : Jun 27, 2020, 5:09 PM IST

જામનગરઃ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ પરિપત્રમાં અત્યાર સુધીમાં જામનગર શહેરમાં 17 લાખ લોકોનું સ્કીનીંગ કરવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરના જણાવ્યા અનુસાર શહેરમાં રિપીટ થીયરીથી લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં અત્યાર સુધી 17 લાખ લોકોનું સ્ક્રિનિંગ પૂર્ણ કરવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

જામનગરની વસ્તી 7 લાખની વસ્તીમાં મહાનગરપાલિકાએ 17 લાખ લોકોનું કર્યું સ્કેનિંગ
આટલા સ્ક્રિનિંગ છતા પણ જામનગર જિલ્લામાં કોરોના બેકાબૂ બન્યો છે. રોજ 8થી 10 કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. જો કે સ્થાનિકોના જણાવ્યા અનુસાર મહાનગરપાલિકાના અમુક વોર્ડમાં સર્વે તેમજ ડોર ટુ ડોર સર્વે તેમજ સ્કેનિંગની કામગીરી કરવામાં જ આવી નથી તેવા આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે સવાલ છે કે મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સાચા કે સ્થાનિકો સાચા ?

મહત્વનું છે કે, કોર્પોરેટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે 7 લાખની વસ્તીનું સમયાતરે ચેકિંગ કરવામાં આવ્યું છે. જે બાદ શુક્રવારના રોજ સુધી કુલ 17 લાખ લોકોનું સ્કેનીંગ કરવામાં આવ્યું છે.

જામનગરઃ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ પરિપત્રમાં અત્યાર સુધીમાં જામનગર શહેરમાં 17 લાખ લોકોનું સ્કીનીંગ કરવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરના જણાવ્યા અનુસાર શહેરમાં રિપીટ થીયરીથી લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં અત્યાર સુધી 17 લાખ લોકોનું સ્ક્રિનિંગ પૂર્ણ કરવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

જામનગરની વસ્તી 7 લાખની વસ્તીમાં મહાનગરપાલિકાએ 17 લાખ લોકોનું કર્યું સ્કેનિંગ
આટલા સ્ક્રિનિંગ છતા પણ જામનગર જિલ્લામાં કોરોના બેકાબૂ બન્યો છે. રોજ 8થી 10 કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. જો કે સ્થાનિકોના જણાવ્યા અનુસાર મહાનગરપાલિકાના અમુક વોર્ડમાં સર્વે તેમજ ડોર ટુ ડોર સર્વે તેમજ સ્કેનિંગની કામગીરી કરવામાં જ આવી નથી તેવા આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે સવાલ છે કે મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સાચા કે સ્થાનિકો સાચા ?

મહત્વનું છે કે, કોર્પોરેટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે 7 લાખની વસ્તીનું સમયાતરે ચેકિંગ કરવામાં આવ્યું છે. જે બાદ શુક્રવારના રોજ સુધી કુલ 17 લાખ લોકોનું સ્કેનીંગ કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.