નાણાપ્રધાન નિર્મલા સીતારામનએ મધ્યમ વર્ગની અવાક મર્યાદા યથાવત રાખી, સાથે સાથે સુપર રિચ કેટેગરીમાં આવતા નાગરિકો ઉપર સરચાર્જ લગાવી આર્થિક સમાનતા લાવવા પગલાં હાથ ધર્યા છે, જૂઓ બજેટની અમુક વિગતો....
- કોર્પોરેટ સેક્ટર, હાઉસિંગ લોન, સ્ટાર્ટપ તથા ઇલેક્ટ્રિક સનસાધનોમાં ટેક્સ છૂટ આપી છે.
- ડિજિટલ પેમેન્ટને વધુ સસ્તું બનાવ પર ભાર મુક્યો
- ભારત ભરમાં એક જ કાર્ડ તમામ એ.ટી.એમ માટે નો "વન નેશન, વન કાર્ડ"નો અભિગમ રજુ કરેલ છે.
- ભાડુતી મકાનો માટે નવા કાયદાનું ઘડતર કરવા સાથે, ૪૫ લાખ સુધીના મકાનની લોન પર વધુ ૧.૫ લાખની છૂટ આપવાની જાહેરાત કરવામાં આવેલ છેે.
- મુદ્રા લોન અંતર્ગત મહિલાને ૧ લાખ સુધીની લોન પ્રાપ્ત થશે, તથા ૫૦૦૦ સુધીઓ ઓવરડ્રાફ્ટ ફેસેલિટી પણ પ્રાપ્ત થઇ શકશે.
- ૨૦૨૨ સુધીમાં રેલવે માલવાહક કોરિડોરનું કામકાજ પૂર્ણ કરવામાં આવશે.
- ૨૦૧૯ના વર્ષમાં જ દેશના વિવિધ રેલવે સ્ટેશનોનું મોટાપાયે આધુનિકરણ કરવામાં આવશે.
- વિદેશી વિદ્યાર્થીઓને ભારતમાં અભ્યાસ માટે "સ્ટડી ઈન ઇન્ડિયા" કાર્યક્રમ હાથ ધરવામાં આવશે.
- ૨૦૨૦માં આંતરાષ્ટ્રીય સ્તરની શૈક્ષણિક સંસ્થાઓ ચાલુ કરવા માટે ૪૦૦ કરોડના બજેટની જાહેરાત કરેલ છે.
- ૧૭ જેટલા આંતરાષ્ટ્રીય સ્તરની પ્રવાસન સ્થળનો વિકાસ કરવાં આવશે.
- ગામડુ, ગરીબ અને કિશાન સરકારની પ્રાથમિકતા છે.
- ગ્રામ્ય વિસ્તારોના દરેક ગામડાઓના "હર ઘર જલ", યોજનાથી લાભ થશે.
- પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અતંર્ગત ૮૦,૨૫૦ કરોડનું બજેટ ગ્રામ્ય વિસ્તાર માટે ફાળવવામાં આવેલ છે.
ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા પ્રજાલક્ષી અને આદર્શ બજેટ રજુ કરવામાં આવેલ તેમ પુનમ માડમે જણાવ્યું હતુ.
કેબિનેટ મિનિસ્ટર આર.સી.ફળદુ, રાજયમંત્રી ધમેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ ભારતીય જનતા પાર્ટી શહેર પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, મહામંત્રી ધર્મરાજસિંહ જાડેજા, વિમલ કગથરા, પ્રકાશ બામભણીયા, મેયર હસમુખભાઈ જેઠવા, ડે મેયર કરસનભાઈ કરમુર, દંડક જડીબેન સરવૈયા સરવૈયા, શાસકપક્ષ નેતા દિવ્યેશ અકબરી, સ્ટેન્ડિગ કમિટી ચેરમેન સુભાષ જોશી, શહેર સંગઠનના પદાધિકારી, કોર્પોરેટરો, યુવા મોરચા, મહિલા મોરચા, બક્ષીપંચ મોરચા, કિશાન મોરચા, લઘુમતી મોરચા, વોર્ડ પ્રમુખ, વોર્ડ સમિતિના હોદેદારો, શિક્ષણ સમિતિના હોદેદારો, આઈ.ટી.સેલ, મીડિયા સેલના સભ્યો દ્વારા આ પ્રજાલક્ષી અને આદર્શ બજેટને વધાવવામાં આવ્યુ છે. આ પ્રજાલક્ષી કેન્દ્રીય બજેટથી ખેડૂતને પાણી - વીજળી અને પૂરતા ભાવ મળશે, રિયલ એસ્ટેટમાં બિલ્ડરો અને ગ્રાહકોને ફાયદો થશે, શિક્ષણ અને સરક્ષણમાં સુધાર આવશે, ઉદ્યોગ અને કોર્પોરેટ જગત અંગે સ્પષ્ટ નીતિને અનુસનધાને રોજગારીમાં વૃદ્ધિ થશે, મહિલાઓ માટે અનેક યોજનાઓથી નારી સશક્તીકરણની ભાવના મજબૂત થશે, નવા ઉદ્યોગો સ્થાપવાથી દેશનું અર્થતંત્ર મજબૂત બનશે, આ તબક્કે કેન્દ્રીય બજેટને આવકારવામાં આવેલ, વધાવવામાં આવેલ છે.