ETV Bharat / state

કાલાવડના બેડીયા ગામે 30 તોલા સોના ચાંદીના દાગીનાની ચોરી કરનાર ભાગ્યો જ નીકળ્યો

author img

By

Published : May 11, 2023, 8:13 PM IST

Updated : May 11, 2023, 9:05 PM IST

જામનગર પોલીસે કાલાવડના બેડીયા ગામેથી થયેલી ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો છે. જામનગરના ગ્રામ્ય વિસ્તાર એવા કાલાવડના બેડીયા ગામે અજાણ્યા શખ્સે મકાનને ટાર્ગેટ કરીને 7.76 લાખ રૂપિયાની ચોરી કરી હતી. જેમાં લોકલ ક્રાઈમ બ્રાંચે મધ્ય પ્રદેશમાં રહેતા એક શખ્સને પકડી લઈ કાયદેસરના પગલાં લીધા છે.

કાલાવડના બેડીયા ગામે 30 તોલા સોના ચાંદીના દાગીનાની ચોરી કરનાર ભાગ્યો જ નીકળ્યો
કાલાવડના બેડીયા ગામે 30 તોલા સોના ચાંદીના દાગીનાની ચોરી કરનાર ભાગ્યો જ નીકળ્યો

જામનગરઃ માત્ર શહેરી વિસ્તાર જ નહીં પણ ગ્રામ્ય વિસ્તારો પણ ચોરની નજરમાંથી હવે બાકાત નથી. જામનગર શહેરના કાલાવડના ગ્રામ્ય વિસ્તારમાંથી સાત લાખ રૂપિયાથી થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. જેમાં એક શખ્સ પકડાઈ જતા અન્ય ત્રણ ફરારને પકડી લેવા માટે પોલીસે પૂછપરછ શરૂ કરી દીધી છે. તારીખ 14-4ના રોજ ભગીરથસિંહ મહિપતસિંહ જાડેજાના રહેણાંક મકાનમાંથી કોઈ અજાણ્યા ઈસમોએ તિજોરી તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી રૂપિયા 7.76 લાખની ચોરી કરી હતી. જે અંગેનો ગુનો કાલાવડ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો.

ધરપકડ કરવામાં આવીઃ આ ગુના અંગે એલસીબીના દોલતસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા અને ફિરોઝ ખફીને બાતમી મળી હતી કે, આ ચોરીમાં સંડોવાયેલો શખસ મુકેશ છગનભાઈ અલાવાની ભાળ મળી ચૂકી છે. ચોક્કસ પ્રકારે યોજના બનાવીને પોલીસે આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે અન્ય આરોપીઓને શોધવા માટે ચક્ર ગતિમાન કર્યા હતા. આ ચોરીમાં સંડોવાયેલો ઇસમ મુકેશ છગનભાઈ અલાવા ચાંદી બજારમાં દાગીના વેચવાની પેરવી રહી રહ્યો છે. જે પરથી પોલીસે તેને દબોચી લઈ તેની પાસેથી સોનાનો ચેન, લક્કી, વીટી, ચાંદીના સાંકળા, રોકડ, મોબાઈલ વગેરે મળી રૂપિયા1,94,500નો મુદ્દામાલ કબજે કરી અટકાયત કરી છે. આ મામલે ડીવાયએસપી જે.પી.જાડેજાએ સ્પષ્ટતા કરી હતી.

ગ્રામ્ય વિસ્તાર કાલાવડ જિલ્લાની હદમાં આવેલા એક મકાનમાં ચોરી થયાની પોલીસ ફરિયાદ થઈ હતી. જેમાં ભગીરથસિંહ મહિપતસિંહ જાડેજાએ ફરિયાદ નોંધાવી હતી. રાત્રીના સમયે એમના ઘરમાં ચોરી થયેલી હતી. જેમાં કબાટ તોડી 30 તોલાના સોના-ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી. કાલાવડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. ક્રાઈમ બ્રાંચની ટીમ આ કેસમાં જોડાયેલી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, આ આરોપી મુકેશ અલાવા મજૂરી કામ કરતો હતો. એ વતનમાં ગયો એ પહેલા જ ચોરીનો બનાવ બનેલો હતો. શરૂઆતથી જ તે આશંકાના દાયરામાં હતો. પછી ચોક્કસ બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે પકડી પાડ્યો છે. સોનાચાંદીનો મુદ્દામાલ જપ્ત કરી લેવાયો છે.--ડીવાયએસપી જે.પી.જાડેજા

આ પણ વાંચોઃ

1) Ahmedabad Corporation: હવે જાહેરમાં પાન મસાલા ખાઈને થૂંકવું પડશે મોંઘુ, મેમો ફાટશે

2) Kerala: મેડિકલ ચેકઅપ માટે આવેલા શાળાના શિક્ષકે મહિલા ડોક્ટરને છરીના ઘા મારીને કરી હત્યા

3) Surat Crime: દુકાનના ઓટલા પર બે વર્ષની બાળકીને મૂકી યુવક ફરાર, સીસીટીવી સામે આવ્યા

અન્યની શોધખોળ ચાલુંઃ અન્ય સંડોવાયેલા શખ્સોઃ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં તેની સાથે ચોરીમાં સુકા રાયસીંગ મકવાણા અને ભુરા મકવાણા તથા એક અજાણ્યો શખસ સંડોવાયેલો હોવાની વાત સામે આવી હતી. પોલીસે ત્રણેયને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે. આરોપી પહેલા અહીં ખેતીમાં ભાગ્યું રાખતો હતો. ઘરની તમામ ખબર હોવાથી અન્ય આરોપીને બોલાવી રાત્રીના સમયે ખાતર પાડ્યું હતું. બાદમાં પોતાના વતનમાં ચાલ્યો ગયો હતો. જો કે લોકલ પોલીસ અને LCB એ વિવિધ દિશામાં ચોરીનો ગૂનો ઉકેલવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા. જ્યારે અન્યની શોધખોળ ચાલું છે.

જામનગરઃ માત્ર શહેરી વિસ્તાર જ નહીં પણ ગ્રામ્ય વિસ્તારો પણ ચોરની નજરમાંથી હવે બાકાત નથી. જામનગર શહેરના કાલાવડના ગ્રામ્ય વિસ્તારમાંથી સાત લાખ રૂપિયાથી થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. જેમાં એક શખ્સ પકડાઈ જતા અન્ય ત્રણ ફરારને પકડી લેવા માટે પોલીસે પૂછપરછ શરૂ કરી દીધી છે. તારીખ 14-4ના રોજ ભગીરથસિંહ મહિપતસિંહ જાડેજાના રહેણાંક મકાનમાંથી કોઈ અજાણ્યા ઈસમોએ તિજોરી તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી રૂપિયા 7.76 લાખની ચોરી કરી હતી. જે અંગેનો ગુનો કાલાવડ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો.

ધરપકડ કરવામાં આવીઃ આ ગુના અંગે એલસીબીના દોલતસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા અને ફિરોઝ ખફીને બાતમી મળી હતી કે, આ ચોરીમાં સંડોવાયેલો શખસ મુકેશ છગનભાઈ અલાવાની ભાળ મળી ચૂકી છે. ચોક્કસ પ્રકારે યોજના બનાવીને પોલીસે આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે અન્ય આરોપીઓને શોધવા માટે ચક્ર ગતિમાન કર્યા હતા. આ ચોરીમાં સંડોવાયેલો ઇસમ મુકેશ છગનભાઈ અલાવા ચાંદી બજારમાં દાગીના વેચવાની પેરવી રહી રહ્યો છે. જે પરથી પોલીસે તેને દબોચી લઈ તેની પાસેથી સોનાનો ચેન, લક્કી, વીટી, ચાંદીના સાંકળા, રોકડ, મોબાઈલ વગેરે મળી રૂપિયા1,94,500નો મુદ્દામાલ કબજે કરી અટકાયત કરી છે. આ મામલે ડીવાયએસપી જે.પી.જાડેજાએ સ્પષ્ટતા કરી હતી.

ગ્રામ્ય વિસ્તાર કાલાવડ જિલ્લાની હદમાં આવેલા એક મકાનમાં ચોરી થયાની પોલીસ ફરિયાદ થઈ હતી. જેમાં ભગીરથસિંહ મહિપતસિંહ જાડેજાએ ફરિયાદ નોંધાવી હતી. રાત્રીના સમયે એમના ઘરમાં ચોરી થયેલી હતી. જેમાં કબાટ તોડી 30 તોલાના સોના-ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી. કાલાવડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. ક્રાઈમ બ્રાંચની ટીમ આ કેસમાં જોડાયેલી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, આ આરોપી મુકેશ અલાવા મજૂરી કામ કરતો હતો. એ વતનમાં ગયો એ પહેલા જ ચોરીનો બનાવ બનેલો હતો. શરૂઆતથી જ તે આશંકાના દાયરામાં હતો. પછી ચોક્કસ બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે પકડી પાડ્યો છે. સોનાચાંદીનો મુદ્દામાલ જપ્ત કરી લેવાયો છે.--ડીવાયએસપી જે.પી.જાડેજા

આ પણ વાંચોઃ

1) Ahmedabad Corporation: હવે જાહેરમાં પાન મસાલા ખાઈને થૂંકવું પડશે મોંઘુ, મેમો ફાટશે

2) Kerala: મેડિકલ ચેકઅપ માટે આવેલા શાળાના શિક્ષકે મહિલા ડોક્ટરને છરીના ઘા મારીને કરી હત્યા

3) Surat Crime: દુકાનના ઓટલા પર બે વર્ષની બાળકીને મૂકી યુવક ફરાર, સીસીટીવી સામે આવ્યા

અન્યની શોધખોળ ચાલુંઃ અન્ય સંડોવાયેલા શખ્સોઃ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં તેની સાથે ચોરીમાં સુકા રાયસીંગ મકવાણા અને ભુરા મકવાણા તથા એક અજાણ્યો શખસ સંડોવાયેલો હોવાની વાત સામે આવી હતી. પોલીસે ત્રણેયને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે. આરોપી પહેલા અહીં ખેતીમાં ભાગ્યું રાખતો હતો. ઘરની તમામ ખબર હોવાથી અન્ય આરોપીને બોલાવી રાત્રીના સમયે ખાતર પાડ્યું હતું. બાદમાં પોતાના વતનમાં ચાલ્યો ગયો હતો. જો કે લોકલ પોલીસ અને LCB એ વિવિધ દિશામાં ચોરીનો ગૂનો ઉકેલવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા. જ્યારે અન્યની શોધખોળ ચાલું છે.

Last Updated : May 11, 2023, 9:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.