ગીરસોમનાથ : જીલ્લામાં કેસર કેરી બાદ બીજો ફટકો અહીંના પ્રખ્યાત લીલા મરચાને પડ્યો છે. ગીરસોમનાથના સોનારીયા, નાવદ્રા, આજોઠા, ઈન્દ્રોઈ, મેઘપુર સહીતના ગામો છેલ્લા ઘણા દશકાથી લીલા મરચાની ખેતી માંટે પ્રખ્યાત છે. અહીની જમીન અને આબોહવા સાથે 35 ડીગ્રી તાપમાન મરચાને માફક હોય છે. જેથી કરીને અહી ભારે માત્રામાં મરચાનું ઉત્પાદન કરાઇ છે.
મરચાથી એક વીઘામાં એક લાખની આવક થાય છે. જેથી અહી મરચાની ખેતીનો સારો વિકાસ થયો છે. અહીંના લીલા મરચા અમદાવાદ, બરોડા સહીત હાઈવે હોટેલો રોસ્ટોરન્ટોમાં ભારે વેચાય છે, પરંતુ કોરોના અને લોકડાઉન બાદ તમામ હોટેલો, ભોજનાલયો, રેસ્ટોરન્ટો બંધ છે. શહેરોમાં પણ લોકડાઉનને પગલે આ માગ ઘટી છે. જેથી 700 રૂપીયાની મરચાની 13થી 15 કીલોની ગુણી 700 રૂપિયાને બદલે માત્ર 50થી 100 રૂપીયામાં વેચવા તૈયાર ખેડુતો પાસેથી કોઈ મરચા ખરીદવા તૈયાર નથી.

આ પગલે ગીરસોમનાથમાં છેલ્લા 1 વર્ષથી જાણે ખેડૂતો માટે કાળ ચક્ર ચાલતું હોય તેમ કોઈપણ પાક સફળ નથી જઈ રહ્યો, ત્યારે તેઓ ઈશ્વર ઉપર કૃપા કરવા પ્રાર્થના કરી રહ્યા છે.
